ETV Bharat / state

હરેન પંડયા મર્ડર કેસના મુખ્ય આરોપીને સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

અમદાવાદઃ વર્ષ 2003માં ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યા થઈ હતી. આ કેસમાં ગુરુવારે અમદાવાદ સ્પેશયલ પોટા કોર્ટે મુખ્ય આરોપી અસગર અલીની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો છે અને આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

author img

By

Published : Aug 8, 2019, 8:17 PM IST

haren pandya murder case

હરેન પંડયા કેસ વિશે વાતચીત કરતા આરોપીના વકીલ ઈલ્યાસ ખાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સંદર્ભે અમદાવાદ પોટા કોર્ટ જજ એમ.કે દવે એ આરોપી અસગર અલીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી અન્ય એક મર્ડર કેસમાં હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી તેને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ પણ કેસના 11 આરોપીઓનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

મુખ્ય આરોપીને સુપ્રિમ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

સુપ્રીમ કોર્ટે ગતે 5મી જુલાઈના રોજ હરેન પંડેયા મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, ત્યારબાદ દિલ્હી CBIએ અમદાવાદ પોટા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમામ આરોપીઓના ભાગી જવાની શકયતાને પગલે કસ્ટડીની માંગ કરતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ વોરન્ટ પણ ઈશ્યું કર્યું હતું. આ તમામ આરોપીઓને અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આજીવન કેદની સજાને માન્ય રાખી છે.

હરેન પંડયા કેસ વિશે વાતચીત કરતા આરોપીના વકીલ ઈલ્યાસ ખાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સંદર્ભે અમદાવાદ પોટા કોર્ટ જજ એમ.કે દવે એ આરોપી અસગર અલીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી અન્ય એક મર્ડર કેસમાં હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી તેને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ પણ કેસના 11 આરોપીઓનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

મુખ્ય આરોપીને સુપ્રિમ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

સુપ્રીમ કોર્ટે ગતે 5મી જુલાઈના રોજ હરેન પંડેયા મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, ત્યારબાદ દિલ્હી CBIએ અમદાવાદ પોટા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમામ આરોપીઓના ભાગી જવાની શકયતાને પગલે કસ્ટડીની માંગ કરતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ વોરન્ટ પણ ઈશ્યું કર્યું હતું. આ તમામ આરોપીઓને અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આજીવન કેદની સજાને માન્ય રાખી છે.

Intro:(નોંધ - આ બાઈટ વાળી સ્ટોરી લેવી)

વર્ષ 2003માં ગુજરાતના પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી હરેન પંડયાની હત્યાના કેસમાં ગુરુવારે અમદાવાદ સ્પેશયલ પોટા કોર્ટે મુખ્ય આરોપી અસગર અલીને જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કરી સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો હુકમ કર્યો હોવાની વિગતો સામે આવી છે.. સુપ્રિમ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવતો ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો...Body:હરેન પંડયા કેસ વિશે વાતચીત કરતા આરોપીના વકીલ ઈલ્યાસ ખાને જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સંદર્ભે અમદાવાદ પોટા કોર્ટ જજ એમ.કે દવેએ આરોપી અસગર અલીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો..ઉલ્લેખનીય છે કે આરોપી અન્ય એક મર્ડર કેસમાં હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી તેને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો..કોર્ટે અગાઉ કેસના 11 આરોપીઓનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતાConclusion:સુપ્રિમ કોર્ટ ગત 5મી જુલાઈન રોજ હરેન પંડયા મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જોકે ત્યારબાદ દિલ્હી સીબીઆઈએ અમદાવાદ પોટા કોર્ટમાં અરજી દાખલ કરી તમામ આરોપીઓના ભાગી જવાની શકયતાને પગલે કસ્ટડીની માંગ કરતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ વોંરન્ટ ઈશ્યું કર્યું હતું...આ તમામ આરોપીઓને અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા..જોકે સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આજીવન કેદના ચુકાદાને માન્ય રાખતા તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી..

બાઈટ - ઈલ્યાસ ખાન, આરોપીના વકીલ, પોટા કોર્ટ, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.