અમદાવાદ: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહિત કાર્યકરો અને આર્ટિસ્ટ દ્વારા કમલમના પ્રાંગણમાં રંગોળી પુરવામાં આવી છે.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રામ મંદિરના શિલાન્યાસ પર સૌ દેશવાસીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. આજે ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી રામ મંદિર શિલાન્યાસના લાઈવ દર્શન નિહાળવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઠેર-ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો ઉજવાઇ રહ્યાં છે. તેમજ રાત્રીના સમયે દીપોત્સવ અને આતશબાજીનો કાર્યક્રમ પણ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યો છે.