અમદાવાદઃ કોરોના મહામારીને લઈને જાહેર કરાયેલા લૉકડાઉન બાદ ધંધો-રોજગારી ઠપ્પ થતા રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં પ્રથમ કવોટર્સની ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી વસુલવામાં ન આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે આ અંગે નિર્દેશ મેળવવાનો આગ્રહ કરતા વધુ સુનાવણી 22મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
![ખાનગી શાળાઓમાં પ્રથમ કવોટર્સમાં ટ્યુશન ફી સિવાય કોઈ ફી ન વસુલવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-22-khangi-shaada-pratham-quarter-tution-fees-sivay-anya-koi-na-vasulva-hc-pil-photostory-7204960_01052020221258_0105f_1588351378_423.jpg)
અરજદાર તરફે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન સરકારી અથવા ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોઈપણ પ્રકારની ફીમાં વધારો ન કરવાની માગ કરી હતી. 2020ના શૈક્ષણિક સત્રના પ્રથમ ક્વાર્ટરમાં ટ્રાન્સપોર્ટ, મેડિકલ, કરિકુલમ સહિતની ફી કોઈપણ રીતે વસૂલવામાં ન આવે.
વિદ્યાર્થીઓને લૉકડાઉનના સમયમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે. તેમને આના માટે ઓનલાઈન આઈડી અને પાસવર્ડ શાળા દ્વારા ઉપલબ્ધ કરાવવા જોઈએ. આર્થિક કટોકટીને લીધે ફી ન ભરી શકનારા વિદ્યાર્થીની ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બંધ કરવામાં ન આવે આટલું જ નહીં આવા સમયગાળામાં બાળકોના માતા-પિતા પર ફી ભરવા અંગે કોઈપણ પ્રકારનો દબાણ ન કરવામાં આવે, અગાઉ જે એડવાન્સ ફી ભરવામાં આવી છે, તે પણ પરત કરવામાં આવે તેવી માગ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી 22મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ એક પણ કેસ ન હોવા છતાં લૉકડાઉનના ભાગરૂપે બ્લોક કરી દેવાયેલા જાહેર માર્ગ ખોલવામાં આવેએ માગ સાથે જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.