ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના કુલ 934 કેસ નોંધાયા

author img

By

Published : Jul 10, 2020, 9:19 PM IST

વૈશ્વિક મહામારી કોરોના દિવસેને દિવસે વધતી જઈ રહી છે અમદાવાદ શહેરમાં તેનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. શુક્રવારના રોજ ગ્રામ્ય વિસ્તારમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 934 પર પહોંચ્યો છે.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના કુલ 934 કેસ નોંધાયા
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના કુલ 934 કેસ નોંધાયા

અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 934 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 250ને પાર પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 267 થાયો છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 182, બાવળામાં 94 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 198, ધંધુકા 28, વિરમગામ 105, બાવળા -94 અને માંડલ તાલુકામાં 32 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 57 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.34 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 26 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 267 અને સાણંદમાં 198 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં નવા 12 કેસ નોંધાતા કુલ આંકડો 934 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 250ને પાર પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 267 થાયો છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 182, બાવળામાં 94 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 198, ધંધુકા 28, વિરમગામ 105, બાવળા -94 અને માંડલ તાલુકામાં 32 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 57 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.34 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 26 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 267 અને સાણંદમાં 198 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.