શિક્ષકોની અછતને લીધે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું શિક્ષણ કાચું રહી જાય છે. મંજુર સંખ્યા પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો નથી. અરજદાર ઉમેદસિંહ ચાવડાએ RTI મારફતે મેળવેલ માહિતીના આધારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસમાં શિક્ષણ વિભાગના સચિવ, કમિશ્નર સહિતને પક્ષકાર બનાવ્યા છે. આ મામલે વધુ સુનાવણી 25મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
સરકારી શાળામાં શિક્ષકોની ભરતીને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ
અમદાવાદ: રાજ્યની સરકારી શાળામાં શિક્ષકોની ભરતીમાં આચરવા મુદ્દે કરવામાં આવતી ગેરરીતિને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, તાલુકા અને જીલ્લા સ્તરે આવેલી સરકારી શાળામાં શિક્ષકોની પુરતી ભરતી કરવામાં આવતી નથી.
શિક્ષકોની અછતને લીધે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું શિક્ષણ કાચું રહી જાય છે. મંજુર સંખ્યા પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો નથી. અરજદાર ઉમેદસિંહ ચાવડાએ RTI મારફતે મેળવેલ માહિતીના આધારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસમાં શિક્ષણ વિભાગના સચિવ, કમિશ્નર સહિતને પક્ષકાર બનાવ્યા છે. આ મામલે વધુ સુનાવણી 25મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.