- ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાનનો આજે જન્મદિવસ
- ઈરફાન ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યા છે
- ઈરફાને પાકિસ્તાન સામેની મેચમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક વિકેટ લીધી હતી
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટમાં એવા અનેક કીર્તિમાન છે, જે કેટલાક જ ખેલાડી હાંસલ કરી શકે છે. સંયોગથી ઈરફાન પઠાન એમાંથી એક છે. વડોદરામાં જન્મેલા ઈરફાન આજે (27 ઓક્ટોબરે) પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
આ પણ વાંચો- દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી, VVS લક્ષ્મણ એનસીએમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા
ઈરફાન પઠાનની રમત પર ગાંગુલીની નજર પડતા જ ઈરફાન ટીમ ઈન્ડિયામાં સામેલ થયા
ઈરફાન પઠાનના ટેલેન્ટને તો સમગ્ર વિશ્વ સલામ કરે છે. ઈરફાન પઠાન જ્યારે પાકિસ્તાન સામે અંડર 19 ક્રિકટ રમી રહ્યા હતા. ત્યારે સૌરવ ગાંગુલીની નજર તેમની રમત પર પડી હતી. હવે કહેવાની વાત નથી કે, સૌરવે શું કર્યું હશે. ગાંગુલી એ સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. તેમણે ટીમના પસંદગીકારો સાથે વાતચીત કરી અને કેટલાક દિવસની અંદર પઠાન પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા અને અંડર 19 ટીમથી ટીમ ઈન્ડિયાના સભ્ય બની ગયા હતા.
આ પણ વાંચો- પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સના મીરે વિરાટ કોહલીના વખાણ કર્યા
ઈરફાન સ્વિંગ અને સીમ બોલિંગમાં માહેર હતા
આપને જણાવી દઈએ કે, ઈરફાન પઠાનની એન્ટ્રી પછી ભારતીય ટીમની એ કમી પૂરી થઈ ગઈ, જે કપિલ દેવના સંન્યાસ પછી ઉભી થઈ હતી. એક એવો બોલર, જે સ્વિંગ અને સીમ બોલિંગ કરતો હતો અને પહેલી ઓવર નાખવાની આવડત રાખતો હતો. સોને પે સુહાગા જેવી વાત તો એ છે કે, કોઈ પણ ક્રમ પર બેટિંગ કરાવી લો. જોકે, આશાઓનું દબાણ કહો કે તેમની બેટિંગ ક્રમથી વારંવાર છેડછાડ. ઈરફાન પોતાના ટેલેન્ટ અનુસાર કારકિર્દી લાંબી ન ખેંચી શક્યા, પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે, કપિલ દેવ પછી તે ભારતના બેસ્ટ પેસ ઓલરાઉન્ડર છે.
ઈરફાન ખાન સાથે જોડાયેલી કેટલીક યાદો...
- ઈરફાને વર્ષ 2005માં પાકિસ્તાન સામે ટેસ્ટ મેચમાં તેમની જ ધરતી પર પહેલી જ ઓવરમાં હેટ્રિક લીધી હતી.
- ટી20 વર્લ્ડ કપમાં ઈરફાન પઠાને ફક્ત 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા હતા.
- પ્લેયર ઓફ ધ મેચ ભારતના ફક્ત ત્રણ ક્રિકેટર જ આ એવોર્ડ જીતી શક્યા છે અને ઈરફાન તેમાંથી એક છે.
- બાકી 2 નામ મોહિન્દર અમરનાથ અને એમ. એસ. ધોની છે.
- ઈરફાન પોતાની કારકિર્દી લાંબી ન ખેંચી શક્યા, તેના મુખ્ય 2 કારણ માનવામાં આવે છે.
- પહેલી તેમની ઈજા, જ્યારે તેમણે ઈજાની રિકવરી પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી તો તેમના હાથમાં એ ઝડપ નહતી, જે પહેલા હતી.
- ઓછી ઝડપના કારણે તેમની સ્વિંગ પણ એટલી આક્રમક ન રહી.
- બીજું કારણ, તેમના બેટિંગ ક્રમ સાથે છેડછાડ હતી.
- ઈરફાને 120 વન-ડે, 29 ટેસ્ટ અને 24 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
- આમાંથી 301 વિકેટ અને 2,821 રન બનાવ્યા હતા.
- ઝડપી બોલિંગ કરનારા ભારતીય ક્રિકેટર્સમાં ફક્ત કપિલ દેવનું પ્રદર્શન તેમનાથી સારું છે.