ETV Bharat / sitara

સુશાંતની આત્મહત્યા પર મુકેશ ભટ્ટનું નિવેદન, કહ્યું- આવું વર્તન પરવીન બાબી સાથે જોયું હતું

author img

By

Published : Jun 18, 2020, 8:54 PM IST

તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, મુકેશ ભટ્ટે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હરકતોથી લાગતું હતું કે તેમની સાથે કઇંક ખોટું થઇ રહ્યું છે અને આવું તેમણે પરવીન બાબી સાથે જોયું હતું. આ સાથે જો સમાચારની વાત માનીએ તો તેના ભાઈ મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી અંતર રાખવા કહ્યું હતું, જેથી તેના પર આ અસર ન થાય.

સુશાંત
સુશાંત

મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયા છોડી દીધી, પણ તેઓ તેમની પાછળ ઘણા પ્રશ્નો છોડી ગયા. તેના ગયા પછી તમામ નિવેદનો અને પ્રશ્નો આવી રહ્યા છે, કોઈ પૂછે છે કે સુશાંત તમે આ કેમ કર્યું? તો કોઈ કહી રહ્યું છે, મને ખ્યાલ છે કે તમે આ કેમ કર્યું. સુશાંત સિંહ રાજપૂત જેવા સારા વ્યક્તિ અને ખૂબ સારા અભિનેતાની આત્મહત્યા દરેકને નિરાશ કરી રહ્યું છે.

અભિનેતાના અવસાન બાદ મુકેશ ભટ્ટનું નિવેદન આવ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, સુશાંતને થોડી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે તેવો અહેસાસ થતો હતો. કંઈક તો ગડબડ છે. મુકેશ ભટ્ટે કહ્યું કે તેણે આવું પરવીન બાબી સાથે જોયું હતું.

આ ખુલાસા બાદ લોકો મહેશ ભટ્ટ અને તેના ભાઈ મુકેશ ભટ્ટ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સુશાંતના મોત માટે બંનેને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલો ઉભા કરી રહ્યા છે કે જ્યારે બંનેને સુશાંતની હાલત વિશે જાણ હતી, તો પછી તેમને કેમ બચાવવા માટે કંઇ કર્યું નહીં.

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાના કેસ બાદથી બોલિવુડ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. બોલિવુડનો એક વર્ગ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નેપોટિઝમ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. જ્યારે બીજો ભાગ આ સમયે શાંતિથી બેઠો છે. અભિનેત્રી કંગના રાનૌત, રણવીર શોરે, અભિનવ કશ્યપ સહીત ઘણાં અન્ય સ્ટાર્સે પણ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયા છોડી દીધી, પણ તેઓ તેમની પાછળ ઘણા પ્રશ્નો છોડી ગયા. તેના ગયા પછી તમામ નિવેદનો અને પ્રશ્નો આવી રહ્યા છે, કોઈ પૂછે છે કે સુશાંત તમે આ કેમ કર્યું? તો કોઈ કહી રહ્યું છે, મને ખ્યાલ છે કે તમે આ કેમ કર્યું. સુશાંત સિંહ રાજપૂત જેવા સારા વ્યક્તિ અને ખૂબ સારા અભિનેતાની આત્મહત્યા દરેકને નિરાશ કરી રહ્યું છે.

અભિનેતાના અવસાન બાદ મુકેશ ભટ્ટનું નિવેદન આવ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, સુશાંતને થોડી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે તેવો અહેસાસ થતો હતો. કંઈક તો ગડબડ છે. મુકેશ ભટ્ટે કહ્યું કે તેણે આવું પરવીન બાબી સાથે જોયું હતું.

આ ખુલાસા બાદ લોકો મહેશ ભટ્ટ અને તેના ભાઈ મુકેશ ભટ્ટ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સુશાંતના મોત માટે બંનેને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર સવાલો ઉભા કરી રહ્યા છે કે જ્યારે બંનેને સુશાંતની હાલત વિશે જાણ હતી, તો પછી તેમને કેમ બચાવવા માટે કંઇ કર્યું નહીં.

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાના કેસ બાદથી બોલિવુડ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. બોલિવુડનો એક વર્ગ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નેપોટિઝમ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. જ્યારે બીજો ભાગ આ સમયે શાંતિથી બેઠો છે. અભિનેત્રી કંગના રાનૌત, રણવીર શોરે, અભિનવ કશ્યપ સહીત ઘણાં અન્ય સ્ટાર્સે પણ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.