ETV Bharat / headlines

આ તે કેવી વિવશતા...અંતિમ સંસ્કાર માટે પણ પ્રતિક્ષા..!!

author img

By

Published : Apr 9, 2021, 11:43 AM IST

Updated : Apr 9, 2021, 1:43 PM IST

ગુજરાતમાં કોરોનાએ મુશ્કેલી સર્જી છે ત્યારે ગઈ કાલે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે મૃતદેહોના વેઇટિંગનો વીડિયો વાયરલ થયો હતો. લગભગ આઠથી વધુ મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે વારો આવે એની રાહ જોતા મૃતકના સ્વજનો બેસી રહ્યા હતા.

surat
surat

  • સુરતમાં કોરોનાના કેસમાં થયો રેકોર્ડ બ્રેક વધારો
  • અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ
  • અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા

સુરત: સુરત શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ જોવા મળ્યું હતું. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહ માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો આવી રહ્યા છે સાંજે આવેલા મૃતદેહનો 14 કલાક બાદ પણ અંતિમ ક્રિયા થઈ શકી નથી. અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ આવે છે.

આ પણ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોના સંક્રમણને કારણે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા

સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સુરતની હોસ્પિટલોમાં બેડની અછત હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાયું છે પરંતુ આ બધા વચ્ચે સુરતના સ્મશાનગૃહનો વીડિયો ભયાવહ છે. બે દિવસ અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટોકન લઈને પરિવારજનો વેઈટિંગમાં બેઠા છે.

અંતિમ સંસ્કાર માટે રાહ જોતાં પરિજનોનો વીડિયો થયો વાયરલ

આ વીડિયો બાદ સુરતના ઉમરા સ્થિત સ્મશાનગૃહનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. દરરોજ સૌથી વધુ મૃતદેહો સુરતમાં તમામ ગૃહમાં આવી રહ્યા છે. ત્યારે હાલ 14થી 16 કલાક વેઈટિંગ અંતિમ ક્રિયા માટે છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા છે.

આ તે કેવી વિવશતા...અંતિમ સંસ્કાર માટે પણ પ્રતિક્ષા..!!

સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન

કોવિડની ગાઈડલાઈન મુજબ અહીં મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. અહી 40 જેટલા મૃતદેહો વેઈટિંગમાં છે. મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન થઇ રહ્યા છે તો બીજી તરફ સ્મશાનગૃહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે અંતિમવિધિ કરવામાં આવે છે તે દ્રશ્યો તમારી સામે જ છે. ત્યારે લોકોને વિનંતી છે કે, તંત્રની સાથે તેઓ પણ પોતાની જવાબદારી સમજે વગર કારણે ઘરની બહાર નીકળવાનું ટાળે, કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તે ખુબ જ જરૂરી છે. સાથે જ લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી

ગુજરાતમાં ગુરુવારના રોજ કોરોનાના નવા પોઝિટિવ 4,021 કેસ નોંધાયા હતા અને કુલ 35 લોકોના મૃત્યુ થયા હતા. દિનપ્રતિદિન મોતનો આંક વધતો જાય છે. કોરાનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતની જનતાએ હવે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમજ કામ સિવાય બહાર ન નીકળવા ETV ભારત આપને અપીલ કરી રહ્યું છે.

182 લોકો વેન્ટિલેટર પર

ગુજરાતમાં કોરોનાના નવા 4,021 કેસ નોંધાયા છે, તેની સામે 2,197 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ 20,473 દર્દીઓ કોરોના પોઝિટિવની સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 182 વેન્ટિલેટર પર છે અને 20,291 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 4,655 મોત થઈ ચુકયા છે.

આ પણ વાંચો: સુરતમાં શુક્રવારે કોરોના વાઈરસના 745 કેસ નોંધાયા

સુરતમાં 14 અને અમદાવાદમાં 9 મોત

ગુરુવારના રોજ ગુજરાતમાં કુલ 35 મોત થયા છે. સુરતમાં 14 મોત થયા છે, અમદાવાદમાં 9 મોત થયા છે, તેમજ રાજકોટમાં 4, વડોદરામાં 3, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણામાં 1-1 મોત નોંધાયા છે.

કુલ 83,32,840 વ્યક્તિઓનું રસીકરણ થયું

અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે અને 9,27,976 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યા છે. આજે ગુરુવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

  • સુરતમાં કોરોનાના કેસમાં થયો રેકોર્ડ બ્રેક વધારો
  • અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ
  • અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા

સુરત: સુરત શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ જોવા મળ્યું હતું. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહ માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો આવી રહ્યા છે સાંજે આવેલા મૃતદેહનો 14 કલાક બાદ પણ અંતિમ ક્રિયા થઈ શકી નથી. અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ આવે છે.

આ પણ વાંચો: ગુજરાત બન્યુ વુહાન, કોરોનાના રેકોર્ડબ્રેક 4,021 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોના સંક્રમણને કારણે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા

સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સુરતની હોસ્પિટલોમાં બેડની અછત હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાયું છે પરંતુ આ બધા વચ્ચે સુરતના સ્મશાનગૃહનો વીડિયો ભયાવહ છે. બે દિવસ અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટોકન લઈને પરિવારજનો વેઈટિંગમાં બેઠા છે.

અંતિમ સંસ્કાર માટે રાહ જોતાં પરિજનોનો વીડિયો થયો વાયરલ

આ વીડિયો બાદ સુરતના ઉમરા સ્થિત સ્મશાનગૃહનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્યાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. દરરોજ સૌથી વધુ મૃતદેહો સુરતમાં તમામ ગૃહમાં આવી રહ્યા છે. ત્યારે હાલ 14થી 16 કલાક વેઈટિંગ અંતિમ ક્રિયા માટે છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગોડાઉન બનાવી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યા છે.

આ તે કેવી વિવશતા...અંતિમ સંસ્કાર માટે પણ પ્રતિક્ષા..!!

સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન

કોવિડની ગાઈડલાઈન મુજબ અહીં મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. અહી 40 જેટલા મૃતદેહો વેઈટિંગમાં છે. મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરતમાં 8થી 10 લોકોના કોરોનાના કારણે નિધન થઇ રહ્યા છે તો બીજી તરફ સ્મશાનગૃહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે અંતિમવિધિ કરવામાં આવે છે તે દ્રશ્યો તમારી સામે જ છે. ત્યારે લોકોને વિનંતી છે કે, તંત્રની સાથે તેઓ પણ પોતાની જવાબદારી સમજે વગર કારણે ઘરની બહાર નીકળવાનું ટાળે, કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે તે ખુબ જ જરૂરી છે. સાથે જ લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી

ગુજરાતમાં ગુરુવારના રોજ કોરોનાના નવા પોઝિટિવ 4,021 કેસ નોંધાયા હતા અને કુલ 35 લોકોના મૃત્યુ થયા હતા. દિનપ્રતિદિન મોતનો આંક વધતો જાય છે. કોરાનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતની જનતાએ હવે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમજ કામ સિવાય બહાર ન નીકળવા ETV ભારત આપને અપીલ કરી રહ્યું છે.

182 લોકો વેન્ટિલેટર પર

ગુજરાતમાં કોરોનાના નવા 4,021 કેસ નોંધાયા છે, તેની સામે 2,197 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ 20,473 દર્દીઓ કોરોના પોઝિટિવની સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 182 વેન્ટિલેટર પર છે અને 20,291 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 4,655 મોત થઈ ચુકયા છે.

આ પણ વાંચો: સુરતમાં શુક્રવારે કોરોના વાઈરસના 745 કેસ નોંધાયા

સુરતમાં 14 અને અમદાવાદમાં 9 મોત

ગુરુવારના રોજ ગુજરાતમાં કુલ 35 મોત થયા છે. સુરતમાં 14 મોત થયા છે, અમદાવાદમાં 9 મોત થયા છે, તેમજ રાજકોટમાં 4, વડોદરામાં 3, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણામાં 1-1 મોત નોંધાયા છે.

કુલ 83,32,840 વ્યક્તિઓનું રસીકરણ થયું

અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે અને 9,27,976 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યા છે. આજે ગુરુવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

Last Updated : Apr 9, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.