ETV Bharat / elections

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?

author img

By

Published : May 24, 2019, 6:18 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર કમળ ખીલ્યું છે, ત્યારે કોંગ્રેસને કારમી હાર વેઠવવાનો વારો આવ્યો છે. જેના કારણે  કોંગ્રેસની અંદરોઅંદર મતભેદો ઉભા થયા છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નામે હારનું ટોપલું મુકવામાં આવ્યું છે. જેથી અમિત ચાવડા રાજીનામું આપશે તેવી વાતોએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?

ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો હાર પચાવવાને બદલે હારનો ટોપલો એકબીજા પર નાખી રહ્યાં છે. જેનું એક ઉદાહરણ પરિણામના દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ભાજપની જીતનો શંખ ફૂંકાયો, ત્યારે જ જોવા મળ્યું હતું. એક બાજુ ભાજપ જીતની ઉજવણી કરી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસમાં હાર માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા. તેની સાથે અમિત ચાવડાના રાજીનામાની વાતો વહેતી થઇ હતી.

AHD
ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?
રાજીનામાની વાતો વચ્ચે ઇ.ટીવી ભારતે અમિત ચાવડા સાથે ટેલીફોનિક સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, "અત્યારે મેં રાજીનામા અંગે વિચાર્યું નથી, પણ જરૂર પડશે તો ચોક્કસ આ બાબતે વિચારીશ." આમ, અમિત ચાવડા રાજીનામા બાબાતે ઘણી અસમજંસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં યોજાનારી કોંગ્રેસ કમિટીમન બેઠક બાદ તેઓ રાજીનામુ આપશે તેવી વાતો ચર્ચાઇ રહી છે.લોકસભા વર્ષ 2014મ બાદ ફરીથી વર્ષ 2019માં ભાજપાએ 26 બેઠકો મેળવી છે.જેથી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ પાસે રીપોર્ટની માંગ કરાઇ છે.હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાશે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવિૃત્તિઓકરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેને લઇને ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે બેઠક યોજી કોંગ્રેસ હારના કારણોની સમીક્ષા કરશે.આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને લલિત વસોયા સહિત નેતાઓને કયાં કારણથી હારનો સ્વાદ ચાખવો પડ્યો તેની ચર્ચા થશે. ઉપરાંત આયોજનથી લઇને કોંગ્રેસ બુથ પર એજન્ટોની નિમણૂકથી તમામ બાબતોને ધ્યાનમાં લઇને સમીક્ષા કરવામાં આવશે.

ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો હાર પચાવવાને બદલે હારનો ટોપલો એકબીજા પર નાખી રહ્યાં છે. જેનું એક ઉદાહરણ પરિણામના દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ભાજપની જીતનો શંખ ફૂંકાયો, ત્યારે જ જોવા મળ્યું હતું. એક બાજુ ભાજપ જીતની ઉજવણી કરી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસમાં હાર માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા. તેની સાથે અમિત ચાવડાના રાજીનામાની વાતો વહેતી થઇ હતી.

AHD
ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?
રાજીનામાની વાતો વચ્ચે ઇ.ટીવી ભારતે અમિત ચાવડા સાથે ટેલીફોનિક સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, "અત્યારે મેં રાજીનામા અંગે વિચાર્યું નથી, પણ જરૂર પડશે તો ચોક્કસ આ બાબતે વિચારીશ." આમ, અમિત ચાવડા રાજીનામા બાબાતે ઘણી અસમજંસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં યોજાનારી કોંગ્રેસ કમિટીમન બેઠક બાદ તેઓ રાજીનામુ આપશે તેવી વાતો ચર્ચાઇ રહી છે.લોકસભા વર્ષ 2014મ બાદ ફરીથી વર્ષ 2019માં ભાજપાએ 26 બેઠકો મેળવી છે.જેથી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ પાસે રીપોર્ટની માંગ કરાઇ છે.હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાશે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવિૃત્તિઓકરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેને લઇને ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે બેઠક યોજી કોંગ્રેસ હારના કારણોની સમીક્ષા કરશે.આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને લલિત વસોયા સહિત નેતાઓને કયાં કારણથી હારનો સ્વાદ ચાખવો પડ્યો તેની ચર્ચા થશે. ઉપરાંત આયોજનથી લઇને કોંગ્રેસ બુથ પર એજન્ટોની નિમણૂકથી તમામ બાબતોને ધ્યાનમાં લઇને સમીક્ષા કરવામાં આવશે.
R_GJ_AHD_05_24MAY_2019_AMIT_CHAVDA_RAJINAMU_PHOTO_STORY_PARTH_JANI_GANDHINAGAR

કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, રાજ્ય, અમદાવાદ

હેડિંગ- કોંગ્રેસની કારમી હાર : અમિત ચાવડા રાજીનામુ આપશે? 

અમદાવાદ- લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 26 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે અને કોંગ્રેસની કારમી હારનો સ્વીકાર કર્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં 10 જેટલી બેઠક પર જીતશે તેવો વિશ્વાસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો, પરંતુ કારમી હાર થતાં હવે દોષનો ટોપલો અમિત ચાવડા પર આવ્યો છે. પોતાની જવાબદારી ન સંભાળી શક્તા અમિત ચાવડા બેજવાબદારી બાબતે પ્રમુખ પદેથી રાજીનામુ આપશે કે નહી તે મુદ્દો કોંગ્રેસમાં ચર્ચાઇ રહ્યો છે. 

પરિણામના દિવસે બપોરના 12 કલાકની આસપાસ પરિણામ સ્પષ્ટ થઇ ગયું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયામાં પ્રમુખ અમિત ચાવડાના રાજીનામા અંગેની ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે ઇ ટીવી ભારતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે  ટેલિફોનીક વાતચીત કરતા ચાવડાએ જણાવ્યું હતું કે અત્યારે તો આવુ કંઇ નથી, પરંતુ રાજીનામ અંગે વિચારણા કરીશ. આમ અમિત ચાવડા હવે દિલ્હીમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપે તેવુ ચર્ચાઇ રહ્યું છે. 

લોકસભાની ગુજરાતમાં વર્ષ 2014 બાદ ફરીથી વર્ષ 2019ની લોકસભામાં પણ 26 બેઠકો ભાજપને ફાળે જતાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પાસેથી ખાસ રીપોર્ટની માંગ કરવામાં આવી છે. હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર સામે સખત કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. જેને લઇને ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે બેઠક યોજીને કોંગ્રેસ હારની સમીક્ષા કરશે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં દિગજ્જ નેતાઓ જેવા કે ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને લલિત વસોયા  જેવા નેતાઓને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. 
અણઆવડત અને સત્તાના નશામાં કોંગ્રેસ હારી છે : અલ્પેશ ઠાકોર
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસના નેતાઓ પોતાનું જ વિચારીને પક્ષ ચલાવે છે. જ્યારે કોંગ્રેસ અણઆવડતના કારણે અને આયોજનનો અભાવ હોવાને કારણે હાર્યુ છે. જ્યારે તમામ નેતાઓ ફક્ત સત્તાના મેળવવા માંગે છે. એક હથ્થુ સાસન લાવવા માંગે છે. જ્યારે આયોજન બાબતે કોંગ્રેસ બુથ એજન્ટોની પણ નિમણુક કરી ન હતી જેથી તમામ બેઠકો પર હારવાનો વારો આવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.