- વડોદરા કોંગ્રેસ જિલ્લા મથક પર ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ
- અત્યાર સુધીમાં ખેડૂત આંદોલનમાં 30 ખેડૂતો શહીદ થયા
- કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ
વડોદરાઃ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા સ્તરે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી પાઠવી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલને માસ્ક નહીં પહેરવા બદલ પોલીસે 1 હજારનો દંડ ફટકારતા વિવાદ સર્જાયો હતો.
કિસાન આંદોલનમાં શહીદ થયેલા કુલ 30 ખેડૂતોને જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ આપી
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો 27મો દિવસ છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. અગાઉ એક દિવસ ઉપવાસ કરનારા આંદોલનકારી ખેડૂતોએ હવે 24 કલાકના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. હાલમાં દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં શહીદ થયેલા કુલ 30 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ ગ્રામસભા યોજશે
આમ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લા સ્તરે શ્રદ્ધાંજલિ તેમજ ગ્રામ સભાના કાર્યક્રમો યોજી ખેડૂત આંદોલનમાં સમર્થન કરાશે.