વડોદરાઃ અમદાવાદ તરફથી તેમજ સુરત, અંકલેશ્વર, ભરૂચ તરફથી આવેલા પરપ્રાંતિયો ગોલ્ડન ચોકડીએ ભેગાં થયા હતા. ત્યાંથી તમામને પોલીસે અલગ-અલગ જગ્યાઓ પર રાખ્યા હતા. લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો ગુજરાતમાં ફસાઈ ગયા હતા. આખરે તેમને વતન રવાના કરવાની શરૂઆત કરાઈ હતી.
શહેરના વિવિધ 19 વિસ્તારોમાંથી મધ્ય પ્રદેશના 431 જેટલા પરપ્રાંતિયોને જુદી જુદી 16 બસોમાં બેસાડીને મધ્ય પ્રદેશ મોકલવાનું શરૂ કરાયુ હતુ. શનિવારે મોડી સાંજથી બસો ઉપડી હતી. જે દાહોદ આગળ મધ્ય પ્રદેશની બોર્ડર પર તમામને ઉતારવા ગઈ હતી.