ETV Bharat / city

સુરતમાં પુલ પર આવેલો બ્રીજ તોડી પાડવામાં આવતા સ્થાનિકો...

શહેરના માધવ બાગ પાસે આવેલી ખાડી ચોમાસામાં ઓવરફલો(Overflow) થાય છે. જેથી મનપાની ટીમે કોઈ પ્રકારની નોટિસ પાઠવ્યા વિના બ્રીજ(Bridge) તોડવાની કામગીરી શરૂ કરી છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, આ બ્રીજ(Bridge) તોડવાથી 30,000 જેટલા લોકોને હાલાકીનો સામનો કરવો પડેશે.

author img

By

Published : May 27, 2021, 6:46 PM IST

સુરતમાં પુલ પર આવેલો બ્રીજ તોડી પાડવામાં આવતા સ્થાનિકો...
સુરતમાં પુલ પર આવેલો બ્રીજ તોડી પાડવામાં આવતા સ્થાનિકો...
  • બ્રીજ તોડવાથી સ્થાનિકોમાં રોષ
  • નોટિસ પાઠવ્યા વિના તોડ્યો બ્રીજ
  • ચોમાસામાં 30,000 લોકોને થશે સમસ્યા

સુરત: શહેરના માધવ બાગ પાસે આવેલી ખાડી ચોમાસામાં ઓવરફલો(Overflow) થાય છે અને અહીં ખાડીપૂર સર્જાઈ છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા અહીં પુલ પર આવેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપા(Municipal Corporation)ની ટીમ બ્રીજ તોડવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, બ્રીજ તોડવા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સાથે જ સ્થાનિકોએ જણાવ્યું કે, બ્રીજ તોડી પાડવાથી સમસ્યા હલ થવાની નથી.

આ પણ વાંચોઃ વલસાડ નજીક ઓઝર ગામે દર ચોમાસે વણઝાર ખાડીનો બ્રિજ બને છે લોકો માટે સિરદર્દ

સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરના દ્રશ્યો સર્જાઈ છે. ખાસ કરીને પર્વત પાટિયા પાસે આવેલું માધવ બાદ અને તેની આસપાસના વિસ્તારો ખુબ પ્રભાવિત થાય છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા માધવ બાગ સોસાયટી(Madhav Bag Society)ની આગળ ખાડીની ઉપર બંધાયેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપાની ટીમ બ્રીજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી કરી રહી છે. જેથી ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા અને મનપાની બ્રીજ તોડવાની કામગીરીનો સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

બ્રીજ તોડી પાડવાથી સમસ્યા નહીં ઉકેલાય

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક વખત ખાડીને સાફ સફાઈ કરવી જોઈએ. સીધા જ પુલ તોડી પાડવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. અમે આ અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ ઉપરાંત મનપા(Municipal Corporation)ના અધિકારીઓ અહીં વગર નોટિસે(Notice) ખાડી પરનો બ્રીજ તોડવા પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ 55 વર્ષ જૂનો ગોરા બ્રીજ હવે ઈતિહાસ બની જશે

નોટિસ પણ આપી નથી

માધવબાગ સોસાયટી(Madhav Bag Society)ના ગેટ બહાર ખાડી પસાર થાય છે અને સોસાયટીમાં જવા માટે ગેટની આગળ ખાડી ઉપર એક બ્રીજ(Bridge) બનાવવામાં આવ્યો છે, પરંતુ ખાડી પુરની સમસ્યાને લઈને મનપા(Municipal Corporation)ની ટીમ અહીં બ્રીજ તોડવા પહોંચી હતી. જેથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ બ્રીજ તોડવા અંગે કોઈ નોટિસ(Notice) મળી નથી અને સીધા જ બ્રીજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રીજ તોડ્યા બાદ પણ સમસ્યા નહીં સર્જાઈ તેની કોઈ લેખિતમાં માહિતી આપતું નથી. આ ઉપરાંત અહીં બ્રીજ તોડી પાડવામાં આવશે તો આ વિસ્તારમાં રહેતા 30,000 જેટલા લોકો પ્રભાવિત થશે. આ સાથે જ તેમને અવર-જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  • બ્રીજ તોડવાથી સ્થાનિકોમાં રોષ
  • નોટિસ પાઠવ્યા વિના તોડ્યો બ્રીજ
  • ચોમાસામાં 30,000 લોકોને થશે સમસ્યા

સુરત: શહેરના માધવ બાગ પાસે આવેલી ખાડી ચોમાસામાં ઓવરફલો(Overflow) થાય છે અને અહીં ખાડીપૂર સર્જાઈ છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા અહીં પુલ પર આવેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપા(Municipal Corporation)ની ટીમ બ્રીજ તોડવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, બ્રીજ તોડવા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ સાથે જ સ્થાનિકોએ જણાવ્યું કે, બ્રીજ તોડી પાડવાથી સમસ્યા હલ થવાની નથી.

આ પણ વાંચોઃ વલસાડ નજીક ઓઝર ગામે દર ચોમાસે વણઝાર ખાડીનો બ્રિજ બને છે લોકો માટે સિરદર્દ

સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરના દ્રશ્યો સર્જાઈ છે. ખાસ કરીને પર્વત પાટિયા પાસે આવેલું માધવ બાદ અને તેની આસપાસના વિસ્તારો ખુબ પ્રભાવિત થાય છે, ત્યારે મનપા(Municipal Corporation) દ્વારા માધવ બાગ સોસાયટી(Madhav Bag Society)ની આગળ ખાડીની ઉપર બંધાયેલો બ્રીજ(Bridge) તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપાની ટીમ બ્રીજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી કરી રહી છે. જેથી ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા હતા અને મનપાની બ્રીજ તોડવાની કામગીરીનો સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

બ્રીજ તોડી પાડવાથી સમસ્યા નહીં ઉકેલાય

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક વખત ખાડીને સાફ સફાઈ કરવી જોઈએ. સીધા જ પુલ તોડી પાડવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. અમે આ અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. આ ઉપરાંત મનપા(Municipal Corporation)ના અધિકારીઓ અહીં વગર નોટિસે(Notice) ખાડી પરનો બ્રીજ તોડવા પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ 55 વર્ષ જૂનો ગોરા બ્રીજ હવે ઈતિહાસ બની જશે

નોટિસ પણ આપી નથી

માધવબાગ સોસાયટી(Madhav Bag Society)ના ગેટ બહાર ખાડી પસાર થાય છે અને સોસાયટીમાં જવા માટે ગેટની આગળ ખાડી ઉપર એક બ્રીજ(Bridge) બનાવવામાં આવ્યો છે, પરંતુ ખાડી પુરની સમસ્યાને લઈને મનપા(Municipal Corporation)ની ટીમ અહીં બ્રીજ તોડવા પહોંચી હતી. જેથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ બ્રીજ તોડવા અંગે કોઈ નોટિસ(Notice) મળી નથી અને સીધા જ બ્રીજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રીજ તોડ્યા બાદ પણ સમસ્યા નહીં સર્જાઈ તેની કોઈ લેખિતમાં માહિતી આપતું નથી. આ ઉપરાંત અહીં બ્રીજ તોડી પાડવામાં આવશે તો આ વિસ્તારમાં રહેતા 30,000 જેટલા લોકો પ્રભાવિત થશે. આ સાથે જ તેમને અવર-જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.