ETV Bharat / city

રાજકોટને રાહત: કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો

author img

By

Published : Apr 29, 2021, 4:59 PM IST

રાજકોટમાં ચૌધરી ગ્રાઉન્ડમાં ગુરૂવારે કોરોના દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આગાઉ, ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. પરંતુ, કોવિડ હોસ્પિટલ બહાર માત્ર 10થી 12 જેટલી ગાડીઓ જ લાઈનમાં જોવા મળી હતી.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો
  • રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો
  • શહેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવી શક્યતા
  • ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓક્સિજનની અછત જોવા મળી

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરી ગ્રાઉન્ડમાં આજે ગુરૂવારે કોરોના દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. અહીં દરરોજ, અંદાજે 70થી 80 જેટલા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. જેમાં, આજે રાહત સર્જાય છે. ગુરૂવારે, કોવિડ હોસ્પિટલ બહાર માત્ર 10થી 12 જેટલી ગાડીઓ જ લાઈનમાં જોવા મળી હતી. જે જોઈને લાગી રહ્યું છે કે, રાજકોટમાં ધીમેધીમે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. પરંતુ, રાજકોટમાં હજુ પણ ઓક્સિજનની અછત ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં જોવા મળી રહી છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે, ચોંકાવનારા ખુલાસા

હોસ્પિટલની બહાર લાઈનોમાં આંશિક ઘટાડો

રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સાથે, દરરોજ 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત પણ થઈ રહ્યા છે. ગુરૂવારે પણ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીઓના મોત થયા છે. ત્યારે, ઘણા દિવસો બાદ હોસ્પિટલની બહાર લાઈનોમાં આંશિક ઘટાડો જોવા મળતાં રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, રાજકોટમાં હજુ પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ

  • રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો
  • શહેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવી શક્યતા
  • ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓક્સિજનની અછત જોવા મળી

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરી ગ્રાઉન્ડમાં આજે ગુરૂવારે કોરોના દર્દીઓની લાઈનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. અહીં દરરોજ, અંદાજે 70થી 80 જેટલા ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. જેમાં, આજે રાહત સર્જાય છે. ગુરૂવારે, કોવિડ હોસ્પિટલ બહાર માત્ર 10થી 12 જેટલી ગાડીઓ જ લાઈનમાં જોવા મળી હતી. જે જોઈને લાગી રહ્યું છે કે, રાજકોટમાં ધીમેધીમે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે. પરંતુ, રાજકોટમાં હજુ પણ ઓક્સિજનની અછત ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં જોવા મળી રહી છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે, ચોંકાવનારા ખુલાસા

હોસ્પિટલની બહાર લાઈનોમાં આંશિક ઘટાડો

રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સાથે, દરરોજ 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત પણ થઈ રહ્યા છે. ગુરૂવારે પણ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીઓના મોત થયા છે. ત્યારે, ઘણા દિવસો બાદ હોસ્પિટલની બહાર લાઈનોમાં આંશિક ઘટાડો જોવા મળતાં રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, રાજકોટમાં હજુ પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.