ETV Bharat / city

ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ, જ્યાં સ્વામી વિવેકાનંદે પણ કરી હતી સાધના

author img

By

Published : Aug 17, 2021, 5:02 AM IST

ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ શ્રાવણ માસમાં અનેરુ મહત્વ ધરાવે છે. ગિરનારના જંગલોની વચ્ચે સ્વયંભૂ જટાશંકર મહાદેવના દર્શન કરવા શિવભક્તો પગપાળા આવે છે. ચોમાસા દરમિયાન ગિરનારની લીલી કંદરાઓ પ્રવાહિત થઈ ગુપ્ત ગંગા જટાશંકર મહાદેવ પર અભિષેક કરે છે. ગિરનારની ગોદમાં અને પ્રકૃતિની સાથે બિરાજતા જટાશંકર મહાદેવનું સ્થાનક હિમાલય કરતાં પણ પૌરાણિક માનવામાં આવે છે, ત્યારે આદિ અનાદિ કાળથી ગિરનારની ગોદમાં બિરાજી રહેલા જટાશંકર મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો શ્રાવણ મહિનામાં ધન્યતા અનુંભવે છે.

ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ
ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ
  • શ્રાવણ મહિનામાં જટાશંકર મહાદેવ પ્રત્યે ભક્તોને અનન્ય શ્રદ્ધા
  • ગિરનારના ગુપ્ત દ્વારા તરીકે માનવામાં આવતા જટાશંકર મહાદેવ
  • યોગ પુરુષ સ્વામી વિવેકાનંદે પણ અહીં કરી હતી સાધના

જૂનાગઢ : હાલ પવિત્ર શ્રાવણમાસ (Shravan Mass) ચાલી રહ્યો છે. સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા પ્રત્યેક શિવ ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ મુજબ કરતો જોવા મળી રહ્યો છે. જે આગામી અમાસ સુધી જોવા મળશે. શ્રાવણ માસ (Shravan Mass) દરમિયાન થતી પૂજાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ, ગિરનાર પર્વતમાં ચાર ગુપ્ત પ્રવેશ દ્વાર હતા, જે પૈકીનો પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ મંદિરને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે.

આ પણ વાંચો: સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ

આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક

શિવરાત્રીના દિવસે શિવભક્તો ગાઢ જંગલોમાંથી પસાર થતા હોય છે. માર્ગ પર રામભક્ત હનુમાન એવા કપિરાજ પણ દર્શનાર્થીઓને આવકારતા હોય એમ ઠેર ઠેર જોવા મળે છે. ગરવા ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવના મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ 3 પહોરની આરતી કરવામાં આવે છે. આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય બની જાય છે.

આ પણ વાંચો: શ્રાવણમાં કરો શનિવારે હનુમાનજીની ખાસ ભક્તિ : દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન હનુમાનજી

શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસોમાં શિવના ઉપાશકોનો ધસારો

ગિરનાર પર બિરાજતા માં અંબાજીના જમણા અંગુઠામાંથી સુવર્ણરેખા નદીનું એક ઝરણું પ્રવાહિત થાય છે, જે ગૌમુખી ગંગા પરથી જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છે. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ પણ અહીં ધ્યાન અને અનુસ્થાન માટે આવ્યા હોવાના પુરાવાઓ આજે પણ ધાર્મિક ગ્રથોમાં જોવા મળે છે, આથી જટાશંકર મહાદેવની ઓળખ ગંગેશ્વર મહાદેવ તરીકે પણ કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસોમાં અહીં વિશેષ રુદ્રી અને શિવ ચાલીસાના પાઠ શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે.

  • શ્રાવણ મહિનામાં જટાશંકર મહાદેવ પ્રત્યે ભક્તોને અનન્ય શ્રદ્ધા
  • ગિરનારના ગુપ્ત દ્વારા તરીકે માનવામાં આવતા જટાશંકર મહાદેવ
  • યોગ પુરુષ સ્વામી વિવેકાનંદે પણ અહીં કરી હતી સાધના

જૂનાગઢ : હાલ પવિત્ર શ્રાવણમાસ (Shravan Mass) ચાલી રહ્યો છે. સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પૂજા પ્રત્યેક શિવ ભક્ત પોતાની શક્તિ અને ભક્તિ મુજબ કરતો જોવા મળી રહ્યો છે. જે આગામી અમાસ સુધી જોવા મળશે. શ્રાવણ માસ (Shravan Mass) દરમિયાન થતી પૂજાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ, ગિરનાર પર્વતમાં ચાર ગુપ્ત પ્રવેશ દ્વાર હતા, જે પૈકીનો પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ મંદિરને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે.

આ પણ વાંચો: સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ

આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક

શિવરાત્રીના દિવસે શિવભક્તો ગાઢ જંગલોમાંથી પસાર થતા હોય છે. માર્ગ પર રામભક્ત હનુમાન એવા કપિરાજ પણ દર્શનાર્થીઓને આવકારતા હોય એમ ઠેર ઠેર જોવા મળે છે. ગરવા ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવના મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ 3 પહોરની આરતી કરવામાં આવે છે. આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય બની જાય છે.

આ પણ વાંચો: શ્રાવણમાં કરો શનિવારે હનુમાનજીની ખાસ ભક્તિ : દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન હનુમાનજી

શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસોમાં શિવના ઉપાશકોનો ધસારો

ગિરનાર પર બિરાજતા માં અંબાજીના જમણા અંગુઠામાંથી સુવર્ણરેખા નદીનું એક ઝરણું પ્રવાહિત થાય છે, જે ગૌમુખી ગંગા પરથી જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છે. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ પણ અહીં ધ્યાન અને અનુસ્થાન માટે આવ્યા હોવાના પુરાવાઓ આજે પણ ધાર્મિક ગ્રથોમાં જોવા મળે છે, આથી જટાશંકર મહાદેવની ઓળખ ગંગેશ્વર મહાદેવ તરીકે પણ કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ અને શિવરાત્રીના દિવસોમાં અહીં વિશેષ રુદ્રી અને શિવ ચાલીસાના પાઠ શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.