ETV Bharat / city

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં કામધેનુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ

author img

By

Published : Jan 18, 2020, 9:36 AM IST

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો હતો. કામધેનુ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના હસ્તે અમદાવાદ અંધજન મંડળ એસોસિયેશનને રૂ. 21 હજારનો ચેક એનાયત કરાયો. આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના કલરવ સહિતના વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું હતું.

Kamdhenu University convocation held in presence of Governor Acharya Devvrat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો

કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના એક મિશન સાથે થઈ હતી. ગૌ વંશની રક્ષા માટે સૌથી મહત્વનું કાર્ય દૂધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલીને મજબૂત બનાવવાનું છે. માનવનો પશુધન સાથે સીધો સંપર્ક રહ્યો છે. માનવ જીવનને સ્વસ્થ બનાવવાથી માંડીને કૃષિ અને રોજિંદા જીવનમાં પશુઓ મિત્ર જેમ જોડાયેલા છે પરંતુ, ટેકનોલોજીએ પશુધનની મહત્તા ઓછી કરી છે. નસલની જાળવણી નહીં થવાથી દુધાળા પશુધનની સંખ્યા ઘટતી જાય છે અને પશુઓ રસ્તા પર રખડતા થયા છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પશુ સહાયક ટેકનોલોજીનો વિકાસ કરે અને પશુ-માનવ વચ્ચેના સહયોગી સંબંધને પુનઃસ્થાપિત કરે તેવી આશા રાજ્યપાલે વ્યક્ત કરી છે.

ભારત દેશ કુલ ખનીજતેલના 80 ટકાની આયાત કરે છે. જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. કૃષિ ક્ષેત્ર વધુ ખનીજતેલનો ઉપયોગ કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. આવા સંજોગોમાં પશુધન જો કૃષિ સહાયક બનશે, તો ખનીજ તેલનો વપરાશ ઓછો થશે, અને રાષ્ટ્રની તિજોરી પરનું ભારણ ઘટશે. પશુધન આધારિત ટેકનોલોજી અને કૃષિની હિમાયત પણ આચાર્ય દેવવ્રતે કરી હતી.

દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા પર તેમણે ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદીની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી ગાયની ભાવિ પેઢી ઉચ્ચ નસલવાળી બને. રાજ્યપાલે પશુધનના બ્રિડિંગ માટે કિસાનોને પૂરતી જાણકારી આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલે કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયનો મોટો ફાળો છે અને પશુપાલ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં થયેલા પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન 237 લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં 10 ટકા વધારો નોંધાયો છે. જે ગુજરાત માટે સારા સમાચાર સમાન છે. કામધેનું યુનિવર્સિટીએ 10 વર્ષમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી પશુપાલન, ડેરી ઉદ્યોગ તથા મત્સ્ય પાલન ક્ષેત્રે સંશોધન દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી છે ત્યારે, આપ સૌ પણ ડેરી પશુપાલન ક્ષેત્રે જે પડકારો ઊભા થાય તેનું તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો અને રાજ્ય-દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો એવી આશા છે.

દેશની GDPમાં માત્ર ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં 4 ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે, એટલું જ નહીં હાલની સ્થિતિએ ભારત દેશમાં પ્રતિદિન 48 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. એટલે કે, વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. જે વર્ષ-1970માં પાંચ ટકા જ હતું. માત્ર દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે, જે અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં પણ વધુ છે. વર્ષ-2033-34 સુધીમાં ભારતમાં 91 કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના એક મિશન સાથે થઈ હતી. ગૌ વંશની રક્ષા માટે સૌથી મહત્વનું કાર્ય દૂધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલીને મજબૂત બનાવવાનું છે. માનવનો પશુધન સાથે સીધો સંપર્ક રહ્યો છે. માનવ જીવનને સ્વસ્થ બનાવવાથી માંડીને કૃષિ અને રોજિંદા જીવનમાં પશુઓ મિત્ર જેમ જોડાયેલા છે પરંતુ, ટેકનોલોજીએ પશુધનની મહત્તા ઓછી કરી છે. નસલની જાળવણી નહીં થવાથી દુધાળા પશુધનની સંખ્યા ઘટતી જાય છે અને પશુઓ રસ્તા પર રખડતા થયા છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પશુ સહાયક ટેકનોલોજીનો વિકાસ કરે અને પશુ-માનવ વચ્ચેના સહયોગી સંબંધને પુનઃસ્થાપિત કરે તેવી આશા રાજ્યપાલે વ્યક્ત કરી છે.

ભારત દેશ કુલ ખનીજતેલના 80 ટકાની આયાત કરે છે. જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. કૃષિ ક્ષેત્ર વધુ ખનીજતેલનો ઉપયોગ કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. આવા સંજોગોમાં પશુધન જો કૃષિ સહાયક બનશે, તો ખનીજ તેલનો વપરાશ ઓછો થશે, અને રાષ્ટ્રની તિજોરી પરનું ભારણ ઘટશે. પશુધન આધારિત ટેકનોલોજી અને કૃષિની હિમાયત પણ આચાર્ય દેવવ્રતે કરી હતી.

દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા પર તેમણે ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદીની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી ગાયની ભાવિ પેઢી ઉચ્ચ નસલવાળી બને. રાજ્યપાલે પશુધનના બ્રિડિંગ માટે કિસાનોને પૂરતી જાણકારી આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલે કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયનો મોટો ફાળો છે અને પશુપાલ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં થયેલા પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન 237 લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં 10 ટકા વધારો નોંધાયો છે. જે ગુજરાત માટે સારા સમાચાર સમાન છે. કામધેનું યુનિવર્સિટીએ 10 વર્ષમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી પશુપાલન, ડેરી ઉદ્યોગ તથા મત્સ્ય પાલન ક્ષેત્રે સંશોધન દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી છે ત્યારે, આપ સૌ પણ ડેરી પશુપાલન ક્ષેત્રે જે પડકારો ઊભા થાય તેનું તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો અને રાજ્ય-દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો એવી આશા છે.

દેશની GDPમાં માત્ર ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં 4 ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે, એટલું જ નહીં હાલની સ્થિતિએ ભારત દેશમાં પ્રતિદિન 48 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. એટલે કે, વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. જે વર્ષ-1970માં પાંચ ટકા જ હતું. માત્ર દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે, જે અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં પણ વધુ છે. વર્ષ-2033-34 સુધીમાં ભારતમાં 91 કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Intro:હેડલાઈન) વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા છે : રાજ્યપાલ

ગાંધીનગર,

ગૌ વંશની રક્ષા માટે સૌથી મહત્વનું કાર્ય દૂધાળા પશુધનની નસલ સુધારણા પ્રણાલીને મજબૂત બનાવવાનું છે. કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના એક મિશન સાથે થઈ હતી. માનવનો પશુધન સાથે સીધો સંપર્ક રહ્યો છે. માનવ જીવનને સ્વસ્થ બનાવવાથી માંડીને કૃષિ અને રોજિંદા જીવનમાં પશુઓ મિત્ર જેમ જોડાયેલા છે પરંતુ, ટેકનોલોજીએ પશુધનની મહત્તા ઓછી કરી છે. નસલની જાળવણી નહીં થવાથી દુધાળા પશુધનની સંખ્યા ઘટતી જાય છે અને પશુઓ રસ્તા પર રખડતા થયા છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પશુ સહાયક ટેકનોલોજીનો વિકાસ કરે અને પશુ-માનવ વચ્ચેના સહયોગી સંબંધને પુનઃસ્થાપિત કરે.Body:ભારત દેશ કુલ ખનીજતેલના 80 ટકાની આયાત કરે છે જેની પાછળ મોટું વિદેશી હૂંડિયામણ ખર્ચ થાય છે. કૃષિ ક્ષેત્ર વધુ ખનીજતેલનો ઉપયોગ કરનારા ક્ષેત્રો પૈકીનું એક છે. આવા સંજોગોમાં પશુધન જો કૃષિ સહાયક બનશે તો ખનીજ તેલનો વપરાશ ઓછો થશે અને રાષ્ટ્રની તિજોરી પરનું ભારણ ઘટશે. પશુધન આધારિત ટેકનોલોજી અને કૃષિની હિમાયત કરી હતી.
Conclusion:દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા ઉપર પણ ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદીની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી ગાયની ભાવિ પેઢી ઉચ્ચ નસલવાળી બને. રાજ્યપાલએ પશુધનના બ્રિડિંગ માટે કિસાનોને પૂરતી જાણકારી આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનુરોધ પણ કર્યો હતો.

દેશના આર્થિક વિકાસમાં પશુપાલન વ્યવસાયનો મોટો ફાળો છે અને પશુપાલ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં થયેલ પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન 237 લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં 10 ટકા વધારો નોંધાયો છે જે ગુજરાત માટે આવકારદાયક છે. કામધેનું યુનિવર્સિટી એ દસ વર્ષમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ થકી પશુપાલન ડેરી તથા મત્સ્ય પાલન ક્ષેત્રે સંશોધન દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી છે ત્યારે, આપ સૌ પણ ડેરી પશુપાલન ક્ષેત્રે જે પડકારો ઊભા થાય તેનું તમારા જ્ઞાન અને કુનેહથી લોકહિતમાં ઉકેલ લાવશો અને રાજ્ય-દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બનશો એવી આશા છે.

દેશની જીડીપીમાં માત્ર ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં ચાર ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે, એટલું જ નહીં હાલની સ્થિતિએ ભારત દેશમાં પ્રતિદિન 48 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. એટલે કે વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. જે વર્ષ-1970માં પાંચ ટકા જ હતું. માત્ર દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે, જે અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં પણ વધુ છે.

વર્ષ-2033-34 સુધીમાં ભારતમાં 91 કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. કામધેનુ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી તથા મેડલ એનાયત કરી રાજ્યપાલના હસ્તે અમદાવાદ અંધજન મંડળ એસોસિયેશનને રૂ. 21 હજારનો ચેક એનાયત કરાયો હતો તે ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના કલરવ સહિતના વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.