ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 62 કેસ નોંધાયા, 1 કોર્પોરેશન અને 20 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

author img

By

Published : Jul 5, 2021, 9:44 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 2 દર્દીનું કોરોનાથી મુત્યુ થયુ હતુ. આજે સોમવારે વધુ 194 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 62 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 62 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 62 પોઝિટિવ કેસ નોંધાયા

194 દર્દીઓએ કોરોનાને માત આપી

અમદાવાદમાં નવા 14, સુરતમાં 9 અને રાજકોટમાં 03 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં 100થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 62 કેસ નોંધાયા હતા. જ્યારે આજે સોમવારે વધુ 194 દર્દીઓએ કોરોનાને મોત આપી છે. છેલ્લા 24 કલાકમાં 02 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયા છે.

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ નવો કેસ નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ફક્ત 14 કેસ નોંધાયા છે, જ્યારે 76 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યની 6 કોર્પોરેશન રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, ગાંધીનગર, જામનગરમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ 10થી પણ ઓછા નોંધાયા હતા. સુરતમાં 9, વડોદરામાં 06 અને રાજકોટમાં 03 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચો- સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી

રાજયમાં વધુ 2,99,680 વ્યક્તિનું રસીકરણ કરાયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સોમવારે 2,99,680 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,71,07,405 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે સોમવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,48,486 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુના 5680 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં આજથી રશિયાની કોરોનાની Sputnik V vaccine મળશે

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ કુલ 2333 એક્ટિવ કેસ છે. જેમાં 09 વેન્ટિલેટર પર અને 2324 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,071 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,491 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતનો રિકવરી રેટ 98.49 ટકા સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 62 પોઝિટિવ કેસ નોંધાયા

194 દર્દીઓએ કોરોનાને માત આપી

અમદાવાદમાં નવા 14, સુરતમાં 9 અને રાજકોટમાં 03 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં 100થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 62 કેસ નોંધાયા હતા. જ્યારે આજે સોમવારે વધુ 194 દર્દીઓએ કોરોનાને મોત આપી છે. છેલ્લા 24 કલાકમાં 02 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયા છે.

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ નવો કેસ નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ફક્ત 14 કેસ નોંધાયા છે, જ્યારે 76 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યની 6 કોર્પોરેશન રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, ગાંધીનગર, જામનગરમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ 10થી પણ ઓછા નોંધાયા હતા. સુરતમાં 9, વડોદરામાં 06 અને રાજકોટમાં 03 કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ કોર્પોરેશનમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચો- સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી

રાજયમાં વધુ 2,99,680 વ્યક્તિનું રસીકરણ કરાયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સોમવારે 2,99,680 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,71,07,405 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે સોમવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,48,486 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુના 5680 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં આજથી રશિયાની કોરોનાની Sputnik V vaccine મળશે

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ કુલ 2333 એક્ટિવ કેસ છે. જેમાં 09 વેન્ટિલેટર પર અને 2324 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,071 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,491 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતનો રિકવરી રેટ 98.49 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.