ETV Bharat / city

વિધાનસભામાં લવ જેહાદ બિલ: ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં બિલની કોપી ફાડતા માહોલ ગરમાયો

author img

By

Published : Apr 1, 2021, 6:07 PM IST

વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ ગરમાયું હતું.

વિધાનસભામાં લવ જેહાદ બિલ
વિધાનસભામાં લવ જેહાદ બિલ
  • નીતિન પટેલે કહ્યું કે, પબ્લિસિટી માટે બિલ ફાડ્યું
  • પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, આ અપમાન છે
  • ગૃહમાં ઠપકો આપવાની વાત પર મુદ્દો ગરમાયો


ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ ગરમાયું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ એક પછી એક પોતાના વિચારો બિલ મુદ્દે કર્યા હતા. જેમાં ઈમરાન ખેડાવાલાએ પણ આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, 'હિન્દુ દિકરી' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દરેક ધર્મમાં દિકરીઓનું મહત્વ રહેલું છે.

આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

100થી વધુ મુસ્લિમ દિકરીઓએ બીજા ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બિલનિ કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "દિકરીઓ દરેક ધર્મની હોય છે. 100થી વધુ મુસ્લિમ દિકરીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા હોવાના કિસ્સાઓ પણ મારી પાસે છે. આપણે સાઉદી જેવા કડક કાયદાઓ બનાવવાની જરૂર છે." તેમના સમર્થનમાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "અગાઉ પણ ગૃહમાં કેટલાય બિલ ફાડવામાં તેમજ સળગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી આ બિલ પાસ ન થાય, ત્યાં સુધી એ માત્ર કાગળ જ રહે છે."

આ પણ વાંચો: રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે

આ બિલ ફાડીને અમારી લાગણી દુભાવવામાં આવી છે

ગૃહમાં ઇમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ પ્રધાન પ્રદીપસિંહે કહ્યું કે, "અમારી દીકરીઓ સાથે થઈ રહેલા અન્યાય સામેનું આ બિલ છે. બિલ ફાડીને અમારી લાગણીઓ દુભાવવામાં આવી છે." તેમના સમર્થનમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, "ઇમરાન ખેડાવાલાએ પબ્લિસિટી માટે બિલ ફાડયું છે."

આ પણ વાંચો: રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

વિધાનસભાના અધ્યક્ષે ઘટનાને વખોડી

ગુજરાત વિધાનસભામાં બિલ ફાડવું તે યોગ્ય વર્તન ન હતું. ઇમરાન ખેડવાલાને આ બિલ મુદે ચર્ચા કરવા દેવામાં આવી હતી. ઇમરાન ખેડવાલાને કોઈએ બોલતા રોક્યા નથી અને તેમને બિલ ફાડ્યું તે આયોગ્ય વર્તન છે. ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ નેતાએ આ મામલે ચર્ચા કરી છે. આ ગલી-મહોલ્લાઓમાં કરાતી બિલની હોળી નથી. અહીં(ગૃહમાં) સંસ્કારથી વર્તવું જોઈએ. ઇમરાન ભાઈના વર્તનથી હું પોતે દુઃખી થયો છું. ગૃહમાં ઇમરાન ખેડવાલા પોતાની દિલગીરી વ્યક્ત કરે તેવી મારી ઇચ્છા છે.

  • નીતિન પટેલે કહ્યું કે, પબ્લિસિટી માટે બિલ ફાડ્યું
  • પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, આ અપમાન છે
  • ગૃહમાં ઠપકો આપવાની વાત પર મુદ્દો ગરમાયો


ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ ગરમાયું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ એક પછી એક પોતાના વિચારો બિલ મુદ્દે કર્યા હતા. જેમાં ઈમરાન ખેડાવાલાએ પણ આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, 'હિન્દુ દિકરી' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દરેક ધર્મમાં દિકરીઓનું મહત્વ રહેલું છે.

આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

100થી વધુ મુસ્લિમ દિકરીઓએ બીજા ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બિલનિ કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "દિકરીઓ દરેક ધર્મની હોય છે. 100થી વધુ મુસ્લિમ દિકરીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કર્યા હોવાના કિસ્સાઓ પણ મારી પાસે છે. આપણે સાઉદી જેવા કડક કાયદાઓ બનાવવાની જરૂર છે." તેમના સમર્થનમાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "અગાઉ પણ ગૃહમાં કેટલાય બિલ ફાડવામાં તેમજ સળગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી આ બિલ પાસ ન થાય, ત્યાં સુધી એ માત્ર કાગળ જ રહે છે."

આ પણ વાંચો: રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે

આ બિલ ફાડીને અમારી લાગણી દુભાવવામાં આવી છે

ગૃહમાં ઇમરાન ખેડાવાલાએ બિલની કોપી ફાડતા ગૃહ પ્રધાન પ્રદીપસિંહે કહ્યું કે, "અમારી દીકરીઓ સાથે થઈ રહેલા અન્યાય સામેનું આ બિલ છે. બિલ ફાડીને અમારી લાગણીઓ દુભાવવામાં આવી છે." તેમના સમર્થનમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, "ઇમરાન ખેડાવાલાએ પબ્લિસિટી માટે બિલ ફાડયું છે."

આ પણ વાંચો: રાજ્યમાં બંધ પડેલી સરકારી શાળાઓ ફરીથી શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્યની માગ

વિધાનસભાના અધ્યક્ષે ઘટનાને વખોડી

ગુજરાત વિધાનસભામાં બિલ ફાડવું તે યોગ્ય વર્તન ન હતું. ઇમરાન ખેડવાલાને આ બિલ મુદે ચર્ચા કરવા દેવામાં આવી હતી. ઇમરાન ખેડવાલાને કોઈએ બોલતા રોક્યા નથી અને તેમને બિલ ફાડ્યું તે આયોગ્ય વર્તન છે. ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ નેતાએ આ મામલે ચર્ચા કરી છે. આ ગલી-મહોલ્લાઓમાં કરાતી બિલની હોળી નથી. અહીં(ગૃહમાં) સંસ્કારથી વર્તવું જોઈએ. ઇમરાન ભાઈના વર્તનથી હું પોતે દુઃખી થયો છું. ગૃહમાં ઇમરાન ખેડવાલા પોતાની દિલગીરી વ્યક્ત કરે તેવી મારી ઇચ્છા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.