ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના નાગરિકો માટે ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે તેવી જ રીતે હવે રાજ્યના પશુઓ માટે આપવામાં આવશે. ખેડૂતો પશુપાલન ખેડૂત આ બંને સિક્કાની બે બાજુ છે જ્યારે આ સુવિધાથી ખેડૂતો અને પશુપાલકો બન્નેને ફાયદો થશે. એનિમલ એમ્બ્યુલન્સ રાજ્યના ૧૦ ગામો પૈકી એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આવી કુલ અત્યારે ૪૬૦ જેટલા ફરતાં પશુ દવાખાના ambulance તરીકે શરૂ કરવામાં આવ્યાં છે. આ યોજના મારફતે પશુસારવાર સેવાઓ સવારના સાત વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી પશુપાલકોને ગામેગામ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીએમ વિજય રૂપાણીએ પશુઓના હરતાંફરતાં દવાખાનાનું લોકાર્પણ કર્યું, પ્રતિ 10 ગામ દીઠ 1 એમ્બ્યૂલન્સ ઉલ્લેખનીય છે કે લોકાર્પણ કરેલી તમામ એમ્બ્યુલન્સમાં હાઈ ટેક જીપીએસ સીસ્ટમ મુકવામાં આવી છે. જેથી ગાંધીનગર સરકારને સીધી ખબર પડી શકે કે કઈ એમ્બ્યુલન્સ કયા ગ્રામ્ય વિસ્તારમાં છે આ સાથે જ સીએમ ડેશબોર્ડ મારફતે યોજનાનું real-time મોનીટરીંગ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યોજના માટે સરકાર દ્વારા 88 કરોડથી વધુ રકમની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
સીએમ વિજય રૂપાણીએ પશુઓના હરતાંફરતાં દવાખાનાનું લોકાર્પણ કર્યું, પ્રતિ 10 ગામ દીઠ 1 એમ્બ્યૂલન્સ સમગ્ર દેશમાં પશુઓ માટે એમ્બ્યુલન્સ ગુજરાત સરકારે પ્રથમ શરૂ કરી હોવાના દાવો પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો.