ગાંધીનગર- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રધાનો અને સંગઠનના હોદેદારોને ગ્રાઉન્ડ સુધી પહોંચીને સરકારી યોજના (Publicity of government schemes)પ્રચારની રણનીતિ (BJP strategy for election 2022) ઘડવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપે આ પખવાડિયું એટલે કે, 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની (BJP Social Justice Fortnight celebration ) ઉજવણી કરી છે. આ પખવાડિયા અતર્ગત ભાજપે ખેડૂતો અને ગરીબો માટે કલ્યાણકારી યોજના પ્રધાન્ય આપીને આ સમાજને આવરી લેતો રોડ મેપ બનાવ્યો છે. જે માટે ભાજપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દરરોજ કાર્યકમ ટાસ્ક આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારની યોજના સાથે ગ્રાઉન્ડ પર જવા માટે ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની નિયુક્તિ કરી છે.
કઈ યોજના અને કોને સોંપાઈ જવાબદારી ? -આયુષ્યમાન ભારત યોજના માટે ભાજપે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કારોબારી સભ્ય અનિલ પટેલ અને ડોકટર સેલના ધર્મેન્દ્ર ગજ્જર જવાબદારી સોંપી છે. PM આવાસ યોજના પ્રચારની જવાબદારી રાજ્યકક્ષાના પ્રધાન વીનું મોરડીયા, ઉપપ્રમુખ જનક પટેલ અને સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને સોપાઈ છે.
આ પણ વાંચોઃ દેશ વિરોધી તાકતો ગુજરાતમાં ભાજપને હરાવવા આવી છે, ગુજરાતની પ્રજા તેમને જાકારો આપશે - પ્રદીપસિંહ વાઘેલા
આવનારા 09 થી 12 એપ્રિલના કાર્યક્રમોની જવાબદારી -09 એપ્રિલે 'નલ સે જલ' યોજના પ્રચારની જવાબદારી રાજ્યકક્ષાના પ્રધાન જીતુ ચૌધરી અને વ્યાપાર સેલના કન્વીનર વિજય પુરોહિતને સોપાઈ છે. 10 એપ્રિલે PM કિસાન યોજનાના પ્રચારની જવાબદારી કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ અને કિશાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલને સોપાઈ છે. 11 એપ્રિલે જ્યોતિબા ફૂલે દીવસ ઉજવણીની જવાબદારી કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર અને અનુ.જાતિ મોરચાના પ્રમુખ પ્રદ્યુમ્ન વાઝાને સોંપાઈ છે. 12 એપ્રિલે નિઃશુલ કોવિડ રસીકરણ યોજનાના પ્રચાર માટેની જવાબદારી પ્રધાન જીતુ વાઘણી અને શિક્ષક સેલના કન્વીનર મહેન્દ્ર પલાડીયા તેમજ સહ કન્વીનર મનુભાઈ પવારને સોંપાઈ છે.
આ પણ વાંચોઃ BJP Convention in Surat: કોઈ વહેલી ચૂંટણી થશે નહીં, ચૂંટણી બિલકુલ સમયસર થશે : સી.આર.પાટીલ
આવનારા 13 થી 16 એપ્રિલના કાર્યક્રમોની જવબદારી - 13 એપ્રિલે ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રચાર માટેની જવાબદારી પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર અને ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાને સોંપાઈ છે. 14 એપ્રિલ આંબેડકર જયંતિની ઉજવણી માટેની જવાબદારી પ્રધાન પ્રદીપ પરમાર (Social Justice Minister Pradip Parmar)અને અનુ. મોરચાના મહામંત્રી ગૌતમ ગેડિયાને સોંપાઈ છે. 15 એપ્રિલે અનુ.જનજાતિ કલ્યાણ યોજનાના પ્રચાર માટેની જવાબદારી પ્રધાન નરેશ પટેલ અને અનુ.જનજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાને સોપાઈ છે. 16 એપ્રિલે અસંગઠિત શ્રમિક સમેલનની જવાબદારી રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજા અને લઘુ ઉદ્યોગ સેલના કન્વીનર મનોજ કમાલીયા અને વ્યવસાયિક સેલના કન્વીનર મેહુલ વડોદરિયાને સોપાઈ છે.
17 થી 20 એપ્રિલના કાર્યક્રમોની જવાબદારી - 17 એપ્રિલે ગૌરવ દિવસ ઉજવણીના પ્રચાર માટેની જવાબદારી કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ અને સહકારી સેલના કન્વીનર બિપીન પટેલને સોપાઈ છે. 18 એપ્રિલે સ્વચ્છ ભારત મિશનના પ્રચારની જવાબદારી રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજા અને OBC મોરચાના પ્રમુખ ઉદય કાનગડને સોપાઈ છે.19 એપ્રિલે પોષણ આહાર દિવસ ઉજવાશે તેની જવાબદારી પ્રધાન મનીષાબેન વકીલ અને ભાજપના મહામંત્રી રજની પટેલને સોપાઈ છે. 20 એપ્રિલે આઝાદીના અમુત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સન્માન સમારોહ આયોજન કરાયુ છે.જેની જવાબદારી ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટને સોંપાઈ છે.