ETV Bharat / city

અમદાવાદઃ પરંપરા મુજબ જોગમાયા મંદિરમાં 1008 દીવા પ્રગટાવવામાં આવ્યાં

author img

By

Published : Oct 22, 2020, 6:07 PM IST

શક્તિની આરાધનાના દિવસો નવરાત્રી દરમિયાન દરેક ગામ અને પ્રાંતની જુદી જુદી પરંપરાઓ જોવા મળે છે. આ પરંપરાગત બાબતો અનુષ્ઠાન, ઉપવાસ, શણગાર, પહેરવેશ અને ગરબા રૂપે જોવા મળે છે. શહેરના દિલ્હી દરવાજા પાસે પાંચમા નોરતે જોગમાયા મંદિરમાં દીવા પ્રગટાવવાની પરંપરા જોવા મળી હતી.

પરંપરા: જોગમાયા મંદિરમાં 1008 દીવા પ્રગટાવવામાં આવ્યાં
પરંપરા: જોગમાયા મંદિરમાં 1008 દીવા પ્રગટાવવામાં આવ્યાં
  • દિલ્હી દરવાજાના જોગમાયા મંદિરની 100 વર્ષ જૂની પરંપરા
  • નવરાત્રીની પાંચમે દીવા પ્રગટાવવામાં આવે છે
  • 1008 દીવાથી મંદિરનું પ્રાંગણ ઝગમગી ઉઠ્યું

    અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજાથી દૂધેશ્વર તરફ જતાં માર્ગ પર માધુપુરા નજીક આવેલા લીમડા ચોકમાં નવરાત્રીના પાંચમા દિવસે 1008 દીવડાં પ્રગટાવવામાં આવ્યાં હતાં. સો વર્ષ કરતાં જૂના જોગમાયા મંદિરમાં સ્થાનિક લોકોએ દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં. જોગમાયા મંદિરના મુખ્ય સેવક ગોવિંદ ઠાકોર કહે છે કે, અમારા વડવાઓની માતાજી સમક્ષ પાંચમના દિવસે દીવા કરવાની પરંપરા છે. આ વર્ષે 1008 દીવડાં પ્રગટાવી માતાજીને પ્રાર્થના કરી છે કે જગતમાંથી કોરોનારૂપે આવેલી મહામારીને નાબૂદ કરી સૌની રક્ષા કરે.
    દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં
    દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં

  • નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવી

કોરોનાની મહામારીના પગલે આ વર્ષે ઉત્સવો, તહેવારોની ઉજવણીમાં ઉમંગ નથી. મોટેભાગે લોકો એ સ્વયં શિસ્ત જાળવી સરકારની ગાઇડલાઇન મુજબ જ કાર્યો કર્યા છે. નવરાત્રિ મહોત્સવની મોટા પાયે ઉજવણી આયોજનની જગ્યાએ ફક્ત પરંપરાગત પૂજા આરતી અને અનુષ્ઠાન થતાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ જોગમાયા મંદિરમાં પણ 1008 દીવાને જુદા-જુદા આકારમાં મુકી પરંપરાગત પૂજા કરી હતી.

દિલ્હી દરવાજા પાસે પાંચમા નોરતે જોગમાયા મંદિરમાં દીવા પ્રગટાવવાની પરંપરા જોવા મળી

  • દિલ્હી દરવાજાના જોગમાયા મંદિરની 100 વર્ષ જૂની પરંપરા
  • નવરાત્રીની પાંચમે દીવા પ્રગટાવવામાં આવે છે
  • 1008 દીવાથી મંદિરનું પ્રાંગણ ઝગમગી ઉઠ્યું

    અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજાથી દૂધેશ્વર તરફ જતાં માર્ગ પર માધુપુરા નજીક આવેલા લીમડા ચોકમાં નવરાત્રીના પાંચમા દિવસે 1008 દીવડાં પ્રગટાવવામાં આવ્યાં હતાં. સો વર્ષ કરતાં જૂના જોગમાયા મંદિરમાં સ્થાનિક લોકોએ દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં. જોગમાયા મંદિરના મુખ્ય સેવક ગોવિંદ ઠાકોર કહે છે કે, અમારા વડવાઓની માતાજી સમક્ષ પાંચમના દિવસે દીવા કરવાની પરંપરા છે. આ વર્ષે 1008 દીવડાં પ્રગટાવી માતાજીને પ્રાર્થના કરી છે કે જગતમાંથી કોરોનારૂપે આવેલી મહામારીને નાબૂદ કરી સૌની રક્ષા કરે.
    દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં
    દીવા દ્વારા મા, ઓમ, ત્રિશૂળ, કુંભ જેવા આકાર તૈયાર કરવામાં આવ્યાં હતાં

  • નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવી

કોરોનાની મહામારીના પગલે આ વર્ષે ઉત્સવો, તહેવારોની ઉજવણીમાં ઉમંગ નથી. મોટેભાગે લોકો એ સ્વયં શિસ્ત જાળવી સરકારની ગાઇડલાઇન મુજબ જ કાર્યો કર્યા છે. નવરાત્રિ મહોત્સવની મોટા પાયે ઉજવણી આયોજનની જગ્યાએ ફક્ત પરંપરાગત પૂજા આરતી અને અનુષ્ઠાન થતાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ જોગમાયા મંદિરમાં પણ 1008 દીવાને જુદા-જુદા આકારમાં મુકી પરંપરાગત પૂજા કરી હતી.

દિલ્હી દરવાજા પાસે પાંચમા નોરતે જોગમાયા મંદિરમાં દીવા પ્રગટાવવાની પરંપરા જોવા મળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.