અમદાવાદ: ડિવિઝનલ રેલવે પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09089 અમદાવાદથી ગોરખપુર જતી સ્પેશિયલ ટ્રેન 1 જુલાઈ 2020થી દરરોજ 22:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 8:00 કલાકે ગોરખપુર પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09090 ગોરખપુરથી અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દરરોજ સવારે 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 18:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
![આગામી 1 જુલાઇથી અમદાવાદ-ગોરખપુર વિશેષ ટ્રેનના સમયમાં થશે ફેરફાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:27:31:1593431851_r-gj-ahd-gorkhpur-train-time-photo-story-7209112_29062020171826_2906f_1593431306_981.jpg)
આ વિશેષ ટ્રેન બદલાયેલા સમય મુજબ બંને દિશામાં વડોદરા, સુરત, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરા, છીવકી અને વારાણસી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સામાન્ય શ્રેણી (રિઝર્વ) કોચ હશે. નોંધનીય છે કે આ ટ્રેન અમદાવાદથી સુરત થઈને ચલાવામાં આવી રહી છે.