- રિયલ એસ્ટેડ માર્કેટમાં મંદીનો માહોલ
- બાંધકામની 80 ટકાથી વધારે સાઇટ બંધ હાલતમાં
- નવુ રોકાણ કરતા પણ લોકો ડરી રહ્યા છે
અમદાવાદઃ રાજયમાં કોરોનાની બીજી લહેર સૌથી વધારે ઘાતક થઈ રહી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સેવા પર તો મોટી અસર થઇ છે. સાથે સાથે ઉદ્યોગોમાં પણ મોટી અસર થઇ છે. હાલમાં સરકાર લોકડાઉન કરી નથી રહી, અને કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કંપનીઓ, કારખાનાઓ, અને બાંધકામ સહિતના ઉદ્યોગોને 50 ટકા કામદારોની મંજૂરી સાથે કામ શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
બાંધકામના ઉદ્યોગને 50 ટકા કામદારો સાથે શરૂ રાખવાની મંજૂરી
અમદાવાદના જાણીતા ગણેશ ગ્રુપના બિલ્ડર પંકજ પટેલે જાણકારી આપતા કહ્યું હતું કે, રિયલ એસ્ટેડ માર્કેટમાં હાલ સૌથી મોટી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. કારણ કે, કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનના કારણે બાંઘકામના કામો બંધ હતા. ત્યારબાદ તમામ ધંધાઓ શરૂ થતા રિયલ એસ્ટેડ માર્કેટમાં તેજીનો માહોલ દેખાયો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો મૃત્યુ દર વધ્યો છે. તેવામાં હાલ સરકાર પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરી રહી છે અને બાંધકામના ઉદ્યોગને 50 ટકા કામદારો સાથે શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રિયલ એસ્ટેટનું માર્કેટ ખૂલવા છતાં મિલકતોના ભાવમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો