ETV Bharat / city

Ramsar Site Khijadiya Attributes : પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર ખીજડીયા અભયારણ્ય કઇ રીતે બન્યું જાણો છો?

author img

By

Published : Feb 4, 2022, 9:22 PM IST

ગુજરાતની પશ્ચિમે આવેલું ખીજડીયા રામસર સાઈટ બનવાને લઇને આજકાલ ચર્ચામાં છે. પણ તમે જાણો છે તે આજકાલનું નથી? જાણો પક્ષીઓના પ્યારા (Ramsar Site Khijadiya Attributes) આ સ્થળની રોચક વાતો.

Ramsar Site Khijadiya Attributes : પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર ખીજડીયા અભયારણ્ય કઇ રીતે બન્યું જાણો છો?
Ramsar Site Khijadiya Attributes : પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર ખીજડીયા અભયારણ્ય કઇ રીતે બન્યું જાણો છો?

અમદાવાદઃ જામનગરમાં આવેલું ખીજડીયા અભયારણ્ય ગુજરાતીઓ માટે સાવ નવું નથી. જોકે તે રામસર સાઈટ (Ramsar Site Khijariya Bird Sanctuary ) ઘોષિત થતા અભયારણ્ય તરીકેની તેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ (Ramsar Site Khijadiya Attributes) ઓળંગી ગઈ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે. મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે ખીજડીયાના મોંઘેરા મહેમાન બને છે.

યાયાવર પક્ષીઓમાં માનીતું બનવાનું કારણ

ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી (Ramsar Site Khijadiya Attributes) અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.

ખીજડીયા રામસર સાઈટ બનવાને લઇને આજકાલ ચર્ચામાં છે
ખીજડીયા રામસર સાઈટ બનવાને લઇને આજકાલ ચર્ચામાં છે

ખીજડીયાના જૈવવૈવિધ્યને દુનિયા સમક્ષ મૂકાયું હતું

ગુજરાત સરકારના પ્રયાસો હતાં કે આ સ્થળનું જૈવવૈવિધ્ય દુનિયાની આંખે ચડે. જે કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળ્યો છે. પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવવૈવિધ્ય દેશવિદેશના પક્ષી પ્રેમીઓ માટે કુદરતી આકર્ષણનું કેન્દ્ર (Ramsar Site Khijadiya Attributes) બની જાય છે.

આ છે પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર, જેમાં 29 તો અતિ દુર્લભ

અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે. જ્યારે 29 જાતિના પક્ષીઓ તો વૈશ્વિકસ્તરે દુર્લભ ગણાય છે. એવા પક્ષીઓમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો (Birds seen in the Khijariya Bird Sanctuary ) સમાવેશ થાય છે. કુલ 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં પ્રજોત્પાદન કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ (Ramsar Site Khijadiya Attributes) આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યાં હતાં.

ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે
ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે

દુર્લભ પ્રજાતિના પક્ષીઓની સંખ્યામાં વધારો અહીં થાય છે

ખીજડીયા પક્ષી અભ્યારણના આરએફઓ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્થળને આગવી ઓળખ પ્રાપ્ત થઇ છે. અહીંનું જૈવવૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ (Migratory Bird Favorite Khijadiya Sanctuary) સમાન સાબિત થયું છે. આ અભયારણ્ય લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો (Ramsar Site Khijadiya Attributes)થતો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ જામનગર: વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?

દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખાથી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. આ બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતો ગયો અને ક્રમશઃ અહીં દેશવિદેશના પક્ષીઓનું આગમન થવા લાગ્યું હતું. સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ (Ramsar Site Khijadiya Attributes) બની ગયુંં. વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીતે આપણી રામસર સાઈટને વધાવી લીધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીતે આપણી રામસર સાઈટને વધાવી લીધી હતી

રામસર સાઈટ બનતાં બનશે દેશવિદેશના પક્ષીપ્રેમીઓનું પણ માનીતું સ્થળ

ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને નિહાળવાનો અનેરો (Ramsar Site Khijadiya Attributes) લહાવો મળશે. 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમ જ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા બ્લેકનેક સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન વગેરેની નિરવિધ ઉડાનો નિહાળવાનો આનંદ માણી શકાશે.

આ પણ વાંચોઃ World Wetlands Day: જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યે પ્રાપ્ત કર્યો નવી રામસર સાઇટનો દરજ્જો

આટલા દેશના પક્ષીઓ ખીજડીયાની મહેમાનગતિ માણેે છે

શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભયારણ્યમાં ઊતરવા લાગે છે. પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે ખીજડીયા પક્ષીઓ માટે પસંદગીનું બન્યું છે. અનેક દેશોના યાયાવર પક્ષીઓ આખો શિયાળો આ સ્થળે જ (Ramsar Site Khijadiya Attributes)વિતાવે છે.

અહીં કઇ રીતે પહોંચશો?

ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી 3 કિ.મી. દૂર આવેલુ છે. ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી (How to reach Khijariya Bird Sanctuary) પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજે 12 કિલોમીટર (Ramsar Site Khijadiya Attributes) જેવું છે.

અમદાવાદઃ જામનગરમાં આવેલું ખીજડીયા અભયારણ્ય ગુજરાતીઓ માટે સાવ નવું નથી. જોકે તે રામસર સાઈટ (Ramsar Site Khijariya Bird Sanctuary ) ઘોષિત થતા અભયારણ્ય તરીકેની તેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ (Ramsar Site Khijadiya Attributes) ઓળંગી ગઈ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે. મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે ખીજડીયાના મોંઘેરા મહેમાન બને છે.

યાયાવર પક્ષીઓમાં માનીતું બનવાનું કારણ

ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી (Ramsar Site Khijadiya Attributes) અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.

ખીજડીયા રામસર સાઈટ બનવાને લઇને આજકાલ ચર્ચામાં છે
ખીજડીયા રામસર સાઈટ બનવાને લઇને આજકાલ ચર્ચામાં છે

ખીજડીયાના જૈવવૈવિધ્યને દુનિયા સમક્ષ મૂકાયું હતું

ગુજરાત સરકારના પ્રયાસો હતાં કે આ સ્થળનું જૈવવૈવિધ્ય દુનિયાની આંખે ચડે. જે કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળ્યો છે. પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવવૈવિધ્ય દેશવિદેશના પક્ષી પ્રેમીઓ માટે કુદરતી આકર્ષણનું કેન્દ્ર (Ramsar Site Khijadiya Attributes) બની જાય છે.

આ છે પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર, જેમાં 29 તો અતિ દુર્લભ

અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે. જ્યારે 29 જાતિના પક્ષીઓ તો વૈશ્વિકસ્તરે દુર્લભ ગણાય છે. એવા પક્ષીઓમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો (Birds seen in the Khijariya Bird Sanctuary ) સમાવેશ થાય છે. કુલ 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં પ્રજોત્પાદન કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ (Ramsar Site Khijadiya Attributes) આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યાં હતાં.

ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે
ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે

દુર્લભ પ્રજાતિના પક્ષીઓની સંખ્યામાં વધારો અહીં થાય છે

ખીજડીયા પક્ષી અભ્યારણના આરએફઓ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્થળને આગવી ઓળખ પ્રાપ્ત થઇ છે. અહીંનું જૈવવૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ (Migratory Bird Favorite Khijadiya Sanctuary) સમાન સાબિત થયું છે. આ અભયારણ્ય લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો (Ramsar Site Khijadiya Attributes)થતો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ જામનગર: વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?

દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખાથી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. આ બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતો ગયો અને ક્રમશઃ અહીં દેશવિદેશના પક્ષીઓનું આગમન થવા લાગ્યું હતું. સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ (Ramsar Site Khijadiya Attributes) બની ગયુંં. વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીતે આપણી રામસર સાઈટને વધાવી લીધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીતે આપણી રામસર સાઈટને વધાવી લીધી હતી

રામસર સાઈટ બનતાં બનશે દેશવિદેશના પક્ષીપ્રેમીઓનું પણ માનીતું સ્થળ

ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને નિહાળવાનો અનેરો (Ramsar Site Khijadiya Attributes) લહાવો મળશે. 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમ જ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા બ્લેકનેક સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન વગેરેની નિરવિધ ઉડાનો નિહાળવાનો આનંદ માણી શકાશે.

આ પણ વાંચોઃ World Wetlands Day: જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યે પ્રાપ્ત કર્યો નવી રામસર સાઇટનો દરજ્જો

આટલા દેશના પક્ષીઓ ખીજડીયાની મહેમાનગતિ માણેે છે

શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભયારણ્યમાં ઊતરવા લાગે છે. પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે ખીજડીયા પક્ષીઓ માટે પસંદગીનું બન્યું છે. અનેક દેશોના યાયાવર પક્ષીઓ આખો શિયાળો આ સ્થળે જ (Ramsar Site Khijadiya Attributes)વિતાવે છે.

અહીં કઇ રીતે પહોંચશો?

ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી 3 કિ.મી. દૂર આવેલુ છે. ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી (How to reach Khijariya Bird Sanctuary) પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજે 12 કિલોમીટર (Ramsar Site Khijadiya Attributes) જેવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.