અમદાવાદઃ એક બાજુ કોરોના વાયરસ હવે વિશ્વવ્યાપી રોગચાળો બન્યો છે ત્યારે લાખો લોકો આ વાયરસના સંક્રમણનો ભોગ બન્યાં છે. ત્યારે બીજી તરફ લગાવી દેવામાં આવેલ લોકડાઉનનાના પગલે લાખો લોકોની નોકરીઓ પણ જતી રહી છે. જેના લીધે નાના વ્યવસાય કરતાં લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેવા સંજોગોમાં કલાજગત સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. તેવામાં એવા પણ કેટલાક લોકો છે જ જેઓ નાના માણસની મદદે આવી રહ્યાં છે અને તેમનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
151 જૂનિયર આર્ટિસ્ટને રાશન કિટ આપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કલાજગત સાથે સંકળાયેલા લાખો લોકો આજે બેરોજગાર બન્યાં છે. જોકે ક્યાંકને ક્યાંક તેમને આશા છે કે નવરાત્રિની મંજૂરી આપવામાં આવશે અને તેમને થોડો ઘણો પણ રોજગાર મળી રહેશે. પરંતુ આવા સંજોગોમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે શહેરના નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા આવા જ 151 જેટલા જૂનિયર આર્ટિસ્ટ અને એક મહિનાની રાશન કિટ આપવામાં આવી હતી જેના લીધે તેમના ઘરનું ગુજરાત ચાલી શકે.151 જૂનિયર આર્ટિસ્ટને રાશન કિટ આપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી