અમદાવાદઃ દેશમાં સોમવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી ચાલી રહી છે જો કે મહત્વનું છે કે કોરોના મહામારીમાં લોકોને ઘરથી બહાર નીકળી અને રક્ષાબંધન નિમીત્તે ખરીદી કરી રહ્યા છે. લોકો વિવિધ મોલમાં જઇને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે મોલના સંચાલકો દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સરકાર દ્વારા તેમને કહેવામાં આવ્યું છે, જો કે અમદાવાદ શહેરના પ્રખ્યાત એવો અમદાવાદ વન મોલ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ વન મોલમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સરકારના નિયમોના ધજાગરા ઉડાળતા હોય તેવો વીડિયો એએમસીએ મોબાઇલમાં રેકોર્ડ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. તહેવારની રજામાં માસ્ક વગર અનેક લોકો એકઠા થયા હતા. જેના પગલે અમદાવાદ વન મોલ સંપૂર્ણ રીતે ખાલી કરાવાયો હતો અને મોલ સીલ કરવામાં આવ્યો હતો.