ETV Bharat / city

આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડશે 10 સ્પેશિયલ ટ્રેન

author img

By

Published : Jun 1, 2020, 12:58 PM IST

દેશમાં અનલોક 1 અંગે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કેટલીક શરતોને આધીન કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવશે.

Ahmedabad, Train , Etv Bharat
Ahmedabad

અમદાવાદ: સમગ્ર દેશમાં લોકડાઉન ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે જાહેર પરિવહનને પણ અમુક શરતો સાથે શરુ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા પણ આજથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

આજેથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન દોડશે
જેમાંની મોટાભાગની ટ્રેન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મુંબઈ સાથે જોડાયેલી છે. જોકે આ ટ્રેનને અમદાવાદના સાબરમતી કે મણિનગર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે નહીં. યાત્રીઓએ પણ હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં લઇને દોઢ કલાક પહેલા રેલવે સ્ટેશન પર પહોંચવાનું રહેશે. આ ઉપરાંત આ તમામ ટ્રેનોનું બુકિંગ રિઝર્વેશન દ્વારા થાય છે. તમામ યાત્રીઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને માસ્ક, આરોગ્ય સેતુ એપ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવામાં આવશે.

જોકે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રિઝર્વ ટિકિટ બુકિંગ કરાવવા માટે અને કેન્સલ ટિકિટોના રિફંડ માટે મોટાપાયે યાત્રીઓની લાઈનો લાગી હતી. તેમજ જે લોકોનું રિઝર્વેશન બુકિંગ થઇ ગયું છે, તે લોકો પણ સ્ટેશને પહોંચ્યા હતા. મોટા ભાગની ટ્રેનનો સમય સાંજ અને રાતનો રાખવામાં આવેલો છે, જેથી બિનજરૂરી ટ્રાફિક નિવારી શકાય.

સમગ્ર દેશમાં જ્યારે બસ અને ખાનગી પરિવાહનની સેવાઓ પૂર્વવત થઈ રહી છે. ત્યારે રેલવે સેવાઓ પણ નજીકના સમયમાં જ પોતાની પૂરી કેપેસિટીથી પૂર્વવત થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

અમદાવાદ: સમગ્ર દેશમાં લોકડાઉન ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે જાહેર પરિવહનને પણ અમુક શરતો સાથે શરુ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા પણ આજથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

આજેથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન દોડશે
જેમાંની મોટાભાગની ટ્રેન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મુંબઈ સાથે જોડાયેલી છે. જોકે આ ટ્રેનને અમદાવાદના સાબરમતી કે મણિનગર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે નહીં. યાત્રીઓએ પણ હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં લઇને દોઢ કલાક પહેલા રેલવે સ્ટેશન પર પહોંચવાનું રહેશે. આ ઉપરાંત આ તમામ ટ્રેનોનું બુકિંગ રિઝર્વેશન દ્વારા થાય છે. તમામ યાત્રીઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને માસ્ક, આરોગ્ય સેતુ એપ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ ટ્રેનમાં પ્રવાસ કરવા દેવામાં આવશે.

જોકે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રિઝર્વ ટિકિટ બુકિંગ કરાવવા માટે અને કેન્સલ ટિકિટોના રિફંડ માટે મોટાપાયે યાત્રીઓની લાઈનો લાગી હતી. તેમજ જે લોકોનું રિઝર્વેશન બુકિંગ થઇ ગયું છે, તે લોકો પણ સ્ટેશને પહોંચ્યા હતા. મોટા ભાગની ટ્રેનનો સમય સાંજ અને રાતનો રાખવામાં આવેલો છે, જેથી બિનજરૂરી ટ્રાફિક નિવારી શકાય.

સમગ્ર દેશમાં જ્યારે બસ અને ખાનગી પરિવાહનની સેવાઓ પૂર્વવત થઈ રહી છે. ત્યારે રેલવે સેવાઓ પણ નજીકના સમયમાં જ પોતાની પૂરી કેપેસિટીથી પૂર્વવત થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.