ETV Bharat / city

અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો

author img

By

Published : Nov 18, 2020, 3:46 PM IST

ફટાકડાના કારણે દર વર્ષે આગના બનાવો વધુ બનતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી અને ફટાકડા ફોડવાના નિયત સમય ધ્યાનમાં રાખી અમદાવાદમાં 12 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી આગના 116 બનાવો બન્યા છે. પરંતુ સદનસીબે એક પણ બનાવ ગંભીર બન્યો નથી.

અમદાવાદ
અમદાવાદ

  • ગત વર્ષ કરતાં આગની ઘટનામાં 35 ટકાનો ઘટાડો
  • ફટાકડાના કારણે આગના 71 બનાવ બન્યા
  • અન્ય કારણોસર આગના 45 બનાવો
  • આગના કુલ 116 બનાવો બન્યા

અમદાવાદઃ આગના બનાવની માહિતી માટે અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ફટાકડાના કારણે લાગતી આગમાં 8થી 10 જેટલા સીરીયલ ફાયરના બનાવો બનતા હોય છે અને કેટલાકમાં 18થી 20 જેટલી ફાયર વાહનોની જરૂર પડતી હોય છે. ક્યારેક તો બ્રિગેડ કોલ જાહેર કરવું પડે તેવી પણ જરૂરિયાત ઊભી થતી હોય છે અને મોટી માત્રામાં પાણીનો જથ્થો આગ બૂઝાવવામાં વપરાતો હોય છે. નુકસાની પણ મોટાપાયે થતી હોય છે. પરંતુ આ વર્ષે આગની એક પણ સિરિયસ ઘટના બની નથી અને કોઈપણ જાનહાનિના બનાવો પણ બન્યાં નથી.

અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
ફટાકડાના કારણે આગના બનાવો આ વખતે ઓછાફટાકડાના ઘણા વખતે બનેલી આગના બનાવ ઓછા બનાવના કારણે કોઈ પણ મોટા પાયે આર્થિક નુકસાન થયું નથી અને કોઈ પણ જાનહાનિ થઈ નથી. જેના પરિણામે અમદાવાદના જે ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને અધિકારીઓ રાહતનો શ્વાસ લઇ પોતાના પરિવારજનો સાથે દીપાવલીનો મહાપર્વની ઉજવણી કરી શક્યાં હતાં. અમદાવાદીઓએ પણ પોતાનું કર્તવ્ય સમજી આ વર્ષે ઓછા ફટાકડાઓ ફોડ્યાં છે.
અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
  • અમદાવાદીઓનું આવકાર્ય પગલું

ફટાકડાને કારણે થતું પ્રદૂષણ, આગ લાગવાના કારણે થતું મોટું આર્થિક નુકસાન, ઇજા, જાનહાનિ અને દુર્ઘટના ન ફેલાવવાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદીઓએ ફટાકડા ધ્યાનપૂર્વક ફોડી અને સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યાં હતાં તે નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરી છે. આ કામગીરી અને આ પગલું આવકાર્ય ગણી શકાય.

  • ગત વર્ષ કરતાં આગની ઘટનામાં 35 ટકાનો ઘટાડો
  • ફટાકડાના કારણે આગના 71 બનાવ બન્યા
  • અન્ય કારણોસર આગના 45 બનાવો
  • આગના કુલ 116 બનાવો બન્યા

અમદાવાદઃ આગના બનાવની માહિતી માટે અમદાવાદના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ફટાકડાના કારણે લાગતી આગમાં 8થી 10 જેટલા સીરીયલ ફાયરના બનાવો બનતા હોય છે અને કેટલાકમાં 18થી 20 જેટલી ફાયર વાહનોની જરૂર પડતી હોય છે. ક્યારેક તો બ્રિગેડ કોલ જાહેર કરવું પડે તેવી પણ જરૂરિયાત ઊભી થતી હોય છે અને મોટી માત્રામાં પાણીનો જથ્થો આગ બૂઝાવવામાં વપરાતો હોય છે. નુકસાની પણ મોટાપાયે થતી હોય છે. પરંતુ આ વર્ષે આગની એક પણ સિરિયસ ઘટના બની નથી અને કોઈપણ જાનહાનિના બનાવો પણ બન્યાં નથી.

અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
ફટાકડાના કારણે આગના બનાવો આ વખતે ઓછાફટાકડાના ઘણા વખતે બનેલી આગના બનાવ ઓછા બનાવના કારણે કોઈ પણ મોટા પાયે આર્થિક નુકસાન થયું નથી અને કોઈ પણ જાનહાનિ થઈ નથી. જેના પરિણામે અમદાવાદના જે ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને અધિકારીઓ રાહતનો શ્વાસ લઇ પોતાના પરિવારજનો સાથે દીપાવલીનો મહાપર્વની ઉજવણી કરી શક્યાં હતાં. અમદાવાદીઓએ પણ પોતાનું કર્તવ્ય સમજી આ વર્ષે ઓછા ફટાકડાઓ ફોડ્યાં છે.
અમદાવાદમાં પ્રથમવાર દિવાળી સમયે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો
  • અમદાવાદીઓનું આવકાર્ય પગલું

ફટાકડાને કારણે થતું પ્રદૂષણ, આગ લાગવાના કારણે થતું મોટું આર્થિક નુકસાન, ઇજા, જાનહાનિ અને દુર્ઘટના ન ફેલાવવાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદીઓએ ફટાકડા ધ્યાનપૂર્વક ફોડી અને સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યાં હતાં તે નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરી છે. આ કામગીરી અને આ પગલું આવકાર્ય ગણી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.