ETV Bharat / city

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસનો આંકડો 500ને પાર

author img

By

Published : Jun 12, 2020, 9:08 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવાર સાંજ સુધીમાં નવા 29 કેસ નોંધાતા કુલ આંકડો 517 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો
અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકામાં કોરોનાએ સદી પુરી કરતા 144 કેસ નોંધાયા છે જ્યારે દસક્રોઈમાં 128, બાવળામાં 65 કેસ નોંધાયા છે. 4 જૂને બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો
અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો

ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થયો હતો. આથી હવે ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 91 ધંધુકા -25, વિરમગામ 43, બાવળા -65 અને માંડલ તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં 35 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.38 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનીટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 144 અને સાણંદમાં 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકામાં કોરોનાએ સદી પુરી કરતા 144 કેસ નોંધાયા છે જ્યારે દસક્રોઈમાં 128, બાવળામાં 65 કેસ નોંધાયા છે. 4 જૂને બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો
અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 500ને પાર થયો

ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થયો હતો. આથી હવે ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 91 ધંધુકા -25, વિરમગામ 43, બાવળા -65 અને માંડલ તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં 35 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.38 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનીટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 144 અને સાણંદમાં 91 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.