- મંગળવારે મજબૂતી સાથે બંધ થયું ભારતીય શેર બજાર
- સેન્સેક્સ 1128.08 પોઈન્ટ (2.30 ટકા)ના વધારા સાથે બંધ થયો
- નિફ્ટીમાં 337.80 પોઈન્ટ (2.33 ટકા)નો થયો વધારો
આ પણ વાંચોઃ નીલાંચલ ઇસ્પાત નિગમના ખાનગીકરણ માટે સરકારને ઘણાં પત્રો મળ્યાં
નવી દિલ્હીઃ વૈશ્વિક શેર બજારની અસર મંગળવારે ભારતીય શેર બજારમાં જોવા મળી હતી. ભારતીય શેર બજારમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી. આ સાથે જ સેન્સેક્સ 1128.08 પોઈન્ટ (2.30 ટકા)ના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 337.80 પોઈન્ટ (2.33 ટકા)ની મજબૂતી સાથે 14,845.10ના સ્તરે બંધ થયો હતો. મંગળવારે શેર બજારમાં નાના શેરમાં પણ જોરદાર એક્શન જોવા મળી હતી. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.98 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.30 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
આ પણ વાંચોઃ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ: ટાટા જૂથ અને સ્પાઇસ જેટ બોલી લગાવવા માટે શોર્ટલિસ્ટ થયા
સરકાર ઈ-કોમર્સ FDIની પોલિસીના નિયમોને કડક બનાવવાની તૈયારીમાં
ઘરેલુ વેપારીઓની ફરિયાદ પછી સરકાર ઈ-કોમર્સ FDIની પોલિસીના નિયમોને કડક બનાવવાની તૈયારીમાં છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ઈ-કોમર્સ કંપનીઓને દરેક વેચાણકર્તા સાથે એક સમાન શરતો પર વેપાર કરવો અને વેન્ડરની ઈન્વેન્ટરી 25 ટકાથી ઘટીને 10થી 15 ટકા જેવી શરતોને જોડવામાં આવી શકે છે.
સતત બીજા વર્ષે હોળીના દિવસે બજારને નુકસાન થયું
Confederation of All India Traders (CAIT)ના મતે દેશભરના વેપારીઓને આ વર્ષે કોરોનાના કારણે કુલ 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સામાન્ય રીતે હોળી દરમિયાન 50,000 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો, પરંતુ આ વખતે સતત બીજા વર્ષે પણ કોરોનાના કારણે બજારે નુકસાન વેઠવું પડ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગમાં પણ આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે, જેની સીધી અસર વેપાર પર પડ્યો છે.