ETV Bharat / business

સરકારે ત્રણ મહિના માટે EPF યોગદાનમાં ઘટાડો લાગુ કર્યો - શ્રમ મંત્રાલયે

શ્રમ મંત્રાલયે સોમવારે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ઇપીએફ ફાળમાં ઘટાડો મે, જૂન અને જુલાઈ મહિના 2020 સુધી લાગુ રહેશે.

સરકારે ત્રણ મહિના માટે ઇપીએફ ફાળામાં કપાત લાગુ કર્યો
સરકારે ત્રણ મહિના માટે ઇપીએફ ફાળામાં કપાત લાગુ કર્યો
author img

By

Published : May 19, 2020, 3:15 PM IST

નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઇ સુધી ત્રણ મહિના માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ના ફાળામાં 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાના નિર્ણયને અમલમાં મૂક્યો છે.

આ નિર્ણયથી સંગઠિત ક્ષેત્રના 4.3 કરોડ કર્મચારીઓ વધુ પગાર લઈ શકશે અને કોરોના વાયરસ મહામારીને કારણે રોકડની કટોકટીનો સામનો કરી રહેલા કર્મચારીઓને થોડી રાહત આપવામાં આવશે.

એક અંદાજ છે કે, આ નિર્ણયથી આગામી ત્રણ મહિનામાં રોકડમાં 6,750 કરોડનો વધારો થશે.

શ્રમ મંત્રાલયે સોમવારે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ઇપીએફ ફાળોમાં ઘટાડો મે, જૂન અને જુલાઈ, 2020 મહિના માટે લાગુ થશે.

આવી સ્થિતિમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પગાર વધારે રહેશે.આ સંદર્ભે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી.

નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઇ સુધી ત્રણ મહિના માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ના ફાળામાં 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાના નિર્ણયને અમલમાં મૂક્યો છે.

આ નિર્ણયથી સંગઠિત ક્ષેત્રના 4.3 કરોડ કર્મચારીઓ વધુ પગાર લઈ શકશે અને કોરોના વાયરસ મહામારીને કારણે રોકડની કટોકટીનો સામનો કરી રહેલા કર્મચારીઓને થોડી રાહત આપવામાં આવશે.

એક અંદાજ છે કે, આ નિર્ણયથી આગામી ત્રણ મહિનામાં રોકડમાં 6,750 કરોડનો વધારો થશે.

શ્રમ મંત્રાલયે સોમવારે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યું છે કે, ઇપીએફ ફાળોમાં ઘટાડો મે, જૂન અને જુલાઈ, 2020 મહિના માટે લાગુ થશે.

આવી સ્થિતિમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પગાર વધારે રહેશે.આ સંદર્ભે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.