ETV Bharat / business

Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર યોજના પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન

ટાટા ગ્રૂપના ચેરમેન (Charimen of Tata Group) એન ચંદ્રશેખરને કહ્યું કે, ગ્રૂપની ભાવિ રણનીતિમાં ચાર વિષયો પર કામ કરવાની યોજના બનાવામાં આવી છે. ટાટા ગ્રુપની રણનીતિમાં (Tata Group's strategy) ડિજિટલ, નવી ઉર્જા અને હેલ્થ જેવા મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. આ સાથે ચંદ્રશેખરન વિશેષ સલાહ આપે છે કે, વ્યવસાય કરનારાઓને અને સમાજે કોરોના મહામારીની (Corona epidemic) પરિસ્થિતિને કેન્દ્રમાં રાખી તૈયારી કરવી જોઈએ. 2021માં એર ઈન્ડિયાને હાંસિલ કરી એ અમારી મોટી સફળતા છે.

author img

By

Published : Dec 28, 2021, 2:02 PM IST

Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર વિષયો પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન
Tata Group: ટાટાની ભાવિ રણનીતિમાં ચાર વિષયો પર કામ, કોરોના અનુસાર તૈયારી: ચેરમેન ચંદ્રશેખરન

નવી દિલ્હી: ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરન જણાવે છે કે, આવનારા સમયમાં અમારી રણનીતિમાં ડિજિટલ, નવી ઊર્જા, અને હેલ્થ જેવા વિષયો ટાટા ગ્રૂપની વ્યૂહરચનાનો (Tata Group's strategy) ભાગ હશે. આ અનુસંધાને વિગતવાર જણાવે છે કે, આ બધી મહત્વાકાંક્ષી યોજનાઓ કોરોના વાયરસને (Corona epidemic) કારણે લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારોને ધ્યાને રાખી બનાવામાં આવી છે.

ચંદ્રશેખરને કહ્યું કે, કોરોના વાયરસની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તૈયારી કરવી

ઉલ્લેખનીય છે કે, મીઠાથી લઇને સોફ્ટવેર સેક્ટર સુધીના (Software sector India) 100 અરબ ડોલરથી વધુના ગ્રુપોમાં આઠ લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને સંબોધતા ચંદ્રશેખરને કહ્યું કે, ધંધો કરતા વેપારીઓ અને સમાજએ કોરોના મહામારીની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તે અનુરૂપ તૈયારી કરવી જોઇએ. પાછલા વર્ષ પર નજર કરીએ તો, જૂથ નાણાકીય રીતે મજબૂત બની રહ્યું છે.

ટાટા ગ્રૂપમાં ચાર નવી યોજનાનુ સર્જન કરાયું

ચંદ્રશેખરને કહ્યું, અમે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા ઉપર સારું કામ કર્યું છે. 2021માં અમે એર ઈન્ડિયાને (Air India) જીતી લીધુ તે સૌથી મોટી સફળતા છે. ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ છે.

ભવિષ્ય માટે અમે રણનીતિમાં મહત્વના ચાર વિષયને સમાવાયા

ટાટાની ભાવિ સફર પર,ચંદ્રશેખરને જણાવ્યું કે, ભવિષ્ય માટે અમારી રણનીતિમાં ચાર ખાસ વિષયને સમાવામાં આવ્યાં છે. જે છે, ડિજિટલ, નવી ઊર્જા અને આરોગ્ય. અમારી કંપની આ નવા થતા ફેરફારોને સ્વીકારી રહી છે અને અમે તેનું મજબૂત પ્રદર્શન થતું પણ જોઈ રહ્યા છીએ.

સારા રસીકરણ કાર્યક્રમે 'રક્ષણની દિવાલ' બનાવી

ચંદ્રશેખરન વાત કરે છે કે, 2024 સુધીમાં 3,000 અબજ ડોલરનું અર્થતંત્ર બનવાની દેશની મહત્ત્વાકાંક્ષાને અનુરૂપ ટાટા જૂથ આ વૃદ્ધિમાં તેનો ભાગ ભજવી શકે છે. ચેરમેન ચંદ્રશેખરન જણાવે છે કે, ભારતના સારા રસીકરણ કાર્યક્રમે 'રક્ષણની દિવાલ' બનાવી છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો:

Business News: શું સરકારી બોન્ડ જોખમ વગરના રોકાણો માટે સુરક્ષિત શરત છે?

ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા

નવી દિલ્હી: ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરન જણાવે છે કે, આવનારા સમયમાં અમારી રણનીતિમાં ડિજિટલ, નવી ઊર્જા, અને હેલ્થ જેવા વિષયો ટાટા ગ્રૂપની વ્યૂહરચનાનો (Tata Group's strategy) ભાગ હશે. આ અનુસંધાને વિગતવાર જણાવે છે કે, આ બધી મહત્વાકાંક્ષી યોજનાઓ કોરોના વાયરસને (Corona epidemic) કારણે લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારોને ધ્યાને રાખી બનાવામાં આવી છે.

ચંદ્રશેખરને કહ્યું કે, કોરોના વાયરસની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તૈયારી કરવી

ઉલ્લેખનીય છે કે, મીઠાથી લઇને સોફ્ટવેર સેક્ટર સુધીના (Software sector India) 100 અરબ ડોલરથી વધુના ગ્રુપોમાં આઠ લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને સંબોધતા ચંદ્રશેખરને કહ્યું કે, ધંધો કરતા વેપારીઓ અને સમાજએ કોરોના મહામારીની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તે અનુરૂપ તૈયારી કરવી જોઇએ. પાછલા વર્ષ પર નજર કરીએ તો, જૂથ નાણાકીય રીતે મજબૂત બની રહ્યું છે.

ટાટા ગ્રૂપમાં ચાર નવી યોજનાનુ સર્જન કરાયું

ચંદ્રશેખરને કહ્યું, અમે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા ઉપર સારું કામ કર્યું છે. 2021માં અમે એર ઈન્ડિયાને (Air India) જીતી લીધુ તે સૌથી મોટી સફળતા છે. ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ છે.

ભવિષ્ય માટે અમે રણનીતિમાં મહત્વના ચાર વિષયને સમાવાયા

ટાટાની ભાવિ સફર પર,ચંદ્રશેખરને જણાવ્યું કે, ભવિષ્ય માટે અમારી રણનીતિમાં ચાર ખાસ વિષયને સમાવામાં આવ્યાં છે. જે છે, ડિજિટલ, નવી ઊર્જા અને આરોગ્ય. અમારી કંપની આ નવા થતા ફેરફારોને સ્વીકારી રહી છે અને અમે તેનું મજબૂત પ્રદર્શન થતું પણ જોઈ રહ્યા છીએ.

સારા રસીકરણ કાર્યક્રમે 'રક્ષણની દિવાલ' બનાવી

ચંદ્રશેખરન વાત કરે છે કે, 2024 સુધીમાં 3,000 અબજ ડોલરનું અર્થતંત્ર બનવાની દેશની મહત્ત્વાકાંક્ષાને અનુરૂપ ટાટા જૂથ આ વૃદ્ધિમાં તેનો ભાગ ભજવી શકે છે. ચેરમેન ચંદ્રશેખરન જણાવે છે કે, ભારતના સારા રસીકરણ કાર્યક્રમે 'રક્ષણની દિવાલ' બનાવી છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો:

Business News: શું સરકારી બોન્ડ જોખમ વગરના રોકાણો માટે સુરક્ષિત શરત છે?

ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.