ETV Bharat / bharat

Bihar Crime : પુત્રએ ઓનલાઈન મંગાવેલ હથિયારથી પિતાની કરી હત્યા

author img

By

Published : Mar 31, 2023, 5:25 PM IST

બિહારના નાલંદામાં એક પુત્રએ ઓનલાઈન હથિયારો મંગાવીને પિતાની હત્યા કરી હતી. જે મામલે પોલીસે પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Bihar Crime
Bihar Crime

નાલંદા: બિહારના નાલંદામાં 15 દિવસ પહેલા ધોરાહી ગામ પાસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પુત્ર જ હોવાનું સામે આવ્યું હતું. પુત્રએ પિતાને મારવા માટે ઓનલાઈન એપ પરથી હથિયારો મંગાવ્યા અને પછી તેનાથી પિતાની હત્યા કરી નાખી હતી.

નાઇટ વોચમેન પિતાનું મોત: 15 માર્ચની રાત્રે ધોરાહી ગામ પાસે બાંધકામ હેઠળના બ્રિજના સિક્યુરિટી ગાર્ડ સનોજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. રાજગીરના ડીએસપી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે NH-31 પર નિર્માણાધીન બ્રિજમાં નાઈટ ગાર્ડ ડ્યૂટી પર તૈનાત ગાર્ડ સનોજ સિંહની અજાણ્યા ગુનેગારોએ ચાકુ મારીને હત્યા કરી હતી. એસપી નાલંદાએ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો અને એક SITની રચના કરી અને વિલંબ કર્યા વિના તેની તપાસ શરૂ કરી.

આંતરિક વિખવાદને કારણે પિતાની હત્યા: ડીએસપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ટેકનિકલ સંશોધનના આધારે ઝડપી કાર્યવાહી કરીને મામલો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યાનો આરોપી મૃતકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પુત્ર શ્રીકેસ કુમારની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના કારણો અંગે ડીએસપીએ જણાવ્યું કે ઘરના આંતરિક વિખવાદને કારણે પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો: UP News: બાંદામાં પાગલ યુવાને માતાની જ કરી હત્યા, કહ્યું - ભગવાને સપનામાં હત્યાનો કર્યો હતો આદેશ

ઓનલાઈન મંગાવ્યું હતું હથિયાર: ડીએસપીએ જણાવ્યું કે આ ઘટનાની સૌથી મોટી વાત એ છે કે હત્યા માટે ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીએ તેને ઓનલાઈન શોપિંગ એપ પરથી ઓર્ડર કર્યો હતો. પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીએ આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ હત્યામાં વપરાયેલ છરીની સાથે આરોપીના મોબાઈલ ફોનમાંથી ઈ-કોમર્સ એપના ઓનલાઈન ઓર્ડરને લગતા ઈન્વોઈસ પણ કાઢવામાં આવ્યા હતા. આ સાથે છરી, મોબાઈલ અને ઈન્વોઈસ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Dutch woman assault: ગોવામાં ડચ મહિલા પર હુમલો, હોટલના કર્મચારીની ધરપકડ

નાલંદા: બિહારના નાલંદામાં 15 દિવસ પહેલા ધોરાહી ગામ પાસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પુત્ર જ હોવાનું સામે આવ્યું હતું. પુત્રએ પિતાને મારવા માટે ઓનલાઈન એપ પરથી હથિયારો મંગાવ્યા અને પછી તેનાથી પિતાની હત્યા કરી નાખી હતી.

નાઇટ વોચમેન પિતાનું મોત: 15 માર્ચની રાત્રે ધોરાહી ગામ પાસે બાંધકામ હેઠળના બ્રિજના સિક્યુરિટી ગાર્ડ સનોજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. રાજગીરના ડીએસપી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે NH-31 પર નિર્માણાધીન બ્રિજમાં નાઈટ ગાર્ડ ડ્યૂટી પર તૈનાત ગાર્ડ સનોજ સિંહની અજાણ્યા ગુનેગારોએ ચાકુ મારીને હત્યા કરી હતી. એસપી નાલંદાએ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો અને એક SITની રચના કરી અને વિલંબ કર્યા વિના તેની તપાસ શરૂ કરી.

આંતરિક વિખવાદને કારણે પિતાની હત્યા: ડીએસપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ટેકનિકલ સંશોધનના આધારે ઝડપી કાર્યવાહી કરીને મામલો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યાનો આરોપી મૃતકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પુત્ર શ્રીકેસ કુમારની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના કારણો અંગે ડીએસપીએ જણાવ્યું કે ઘરના આંતરિક વિખવાદને કારણે પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો: UP News: બાંદામાં પાગલ યુવાને માતાની જ કરી હત્યા, કહ્યું - ભગવાને સપનામાં હત્યાનો કર્યો હતો આદેશ

ઓનલાઈન મંગાવ્યું હતું હથિયાર: ડીએસપીએ જણાવ્યું કે આ ઘટનાની સૌથી મોટી વાત એ છે કે હત્યા માટે ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીએ તેને ઓનલાઈન શોપિંગ એપ પરથી ઓર્ડર કર્યો હતો. પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીએ આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ હત્યામાં વપરાયેલ છરીની સાથે આરોપીના મોબાઈલ ફોનમાંથી ઈ-કોમર્સ એપના ઓનલાઈન ઓર્ડરને લગતા ઈન્વોઈસ પણ કાઢવામાં આવ્યા હતા. આ સાથે છરી, મોબાઈલ અને ઈન્વોઈસ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Dutch woman assault: ગોવામાં ડચ મહિલા પર હુમલો, હોટલના કર્મચારીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.