ETV Bharat / bharat

સંજય રાઉતની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

author img

By

Published : Aug 9, 2022, 4:30 PM IST

શિવસેનાના નેતા સંજય રાઉતની (Sanjay Raut ED Case) પત્ની વર્ષા રાઉત પણ શનિવારે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED Office Mumbai) સમક્ષ હાજર થઈ હતી. મની લોન્ડરિંગ (Money Laundering Case Sanjay Raut) કેસ 'ચાલ'ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા અને સંબંધિત વ્યવહારોથી સંબંધિત છે. પણ હવે સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

સંજય રાઉતની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
સંજય રાઉતની મુશ્કેલી વધી, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

મુંબઈઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતને (Sanjay Raut ED Case) સોમવારે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તેને તારીખ 22 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ (Money Laundering Case Sanjay Raut) કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટે ગુરુવારે રાઉતની કસ્ટડી (ED Office Mumbai) તારીખ 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી. કોર્ટે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસમાં "નોંધપાત્ર પ્રગતિ" કરી છે. EDએ પૈસાની લેવડદેવડમાં નવી વિગતો શોધી કાઢી હોવાનું કહીને વધુ આઠ દિવસની કસ્ટડી માંગી હતી.

આ પણ વાંચોઃ પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી

9 કલાક પૂછપરછઃ મુંબઈની ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં તારીખ 1 ઓગસ્ટના રોજ શિવસેનાના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. EDએ શનિવારે તેની પત્ની વર્ષા રાઉતની નવ કલાકથી વધુ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. સોમવારે EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સંજય રાઉતે ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ મુંબઈના અલીબાગમાં જમીન ખરીદવા માટે કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સ્પેશિયલ પીએમએલએ કોર્ટને જણાવ્યું કે, જમીન વેચનારાઓએ પણ સંજય રાઉત વતી એ પૈસાથી ખરીદીની પુષ્ટિ કરી છે.

શું કહે છે ED? EDનું કહેવું છે કે સંજય રાઉતે જે 5 લોકો પાસેથી જમીન ખરીદી હતી તેમાંથી બેના નિવેદન નોંધવામાં આવ્યા છે. તારીખ 31 જુલાઈના રોજ સંજય રાઉતના ઘરે દરોડા દરમિયાન જે દસ્તાવેજો મળી આવ્યા હતા તેમાં આ લોકોના નામ પણ મળી આવ્યા હતા. આ લોકોએ કબૂલ્યું છે કે તેમને એ જ રકમ મળી છે જે રિકવર કરાયેલા દસ્તાવેજોમાં દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

આ વાત સામે આવીઃ જમીન વેચનારાઓએ સ્વીકાર્યું છે કે તેમને સોદા માટે રોકડ રકમ મળી હતી. આ જમીન સંજય રાઉતને વેચવાની ફરજ પડી હતી. વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ પણ સંજય રાઉતને તારીખ 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તારીખ 31 જુલાઈના રોજ, ઘર પર દરોડા પાડ્યા અને લગભગ 17 કલાક સુધી પૂછપરછ કર્યા પછી, સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી.

મુંબઈઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતને (Sanjay Raut ED Case) સોમવારે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તેને તારીખ 22 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ (Money Laundering Case Sanjay Raut) કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટે ગુરુવારે રાઉતની કસ્ટડી (ED Office Mumbai) તારીખ 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી. કોર્ટે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસમાં "નોંધપાત્ર પ્રગતિ" કરી છે. EDએ પૈસાની લેવડદેવડમાં નવી વિગતો શોધી કાઢી હોવાનું કહીને વધુ આઠ દિવસની કસ્ટડી માંગી હતી.

આ પણ વાંચોઃ પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી

9 કલાક પૂછપરછઃ મુંબઈની ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં તારીખ 1 ઓગસ્ટના રોજ શિવસેનાના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. EDએ શનિવારે તેની પત્ની વર્ષા રાઉતની નવ કલાકથી વધુ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. સોમવારે EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સંજય રાઉતે ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ મુંબઈના અલીબાગમાં જમીન ખરીદવા માટે કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સ્પેશિયલ પીએમએલએ કોર્ટને જણાવ્યું કે, જમીન વેચનારાઓએ પણ સંજય રાઉત વતી એ પૈસાથી ખરીદીની પુષ્ટિ કરી છે.

શું કહે છે ED? EDનું કહેવું છે કે સંજય રાઉતે જે 5 લોકો પાસેથી જમીન ખરીદી હતી તેમાંથી બેના નિવેદન નોંધવામાં આવ્યા છે. તારીખ 31 જુલાઈના રોજ સંજય રાઉતના ઘરે દરોડા દરમિયાન જે દસ્તાવેજો મળી આવ્યા હતા તેમાં આ લોકોના નામ પણ મળી આવ્યા હતા. આ લોકોએ કબૂલ્યું છે કે તેમને એ જ રકમ મળી છે જે રિકવર કરાયેલા દસ્તાવેજોમાં દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ CISFના કર્મચારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ

આ વાત સામે આવીઃ જમીન વેચનારાઓએ સ્વીકાર્યું છે કે તેમને સોદા માટે રોકડ રકમ મળી હતી. આ જમીન સંજય રાઉતને વેચવાની ફરજ પડી હતી. વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ પણ સંજય રાઉતને તારીખ 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તારીખ 31 જુલાઈના રોજ, ઘર પર દરોડા પાડ્યા અને લગભગ 17 કલાક સુધી પૂછપરછ કર્યા પછી, સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.