ETV Bharat / bharat

આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો

author img

By

Published : Jul 18, 2021, 9:09 PM IST

માઈગ્રેન એક એવી સમસ્યા છે જેના માટે કાયમી ઇલાજ શક્ય નથી, પરંતુ આયુર્વેદ મુજબ કેટલીક વિશેષ ઔષધીયો અને ઉપાયોની મદદથી તેની તીવ્રતા અને આવર્તન પર નિયંત્રણ લાવી શકાય છે.

આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો
આયુર્વેદની મદદથી માઈગ્રેનનો દુખાવો કરો ઓછો

માઈગ્રેન (Migraine )એક એવી સમસ્યા છે જેનાથી કુલ વસ્તીમાં લગભગ 10-15 ટકા લોકો સામાન્ય રૂપથી પીડિત રહે છે. આ એક સામાન્ય પરંતુ અપ્રત્યાશીત સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. સાથે જ આની પર નિયંત્રણમાં કેટલીય વાર મુશ્કેલીઓ પણ આવી શકે છે. આયુર્વેદ(ayurved)માં માઈગ્રેન માટે ઉપચાર તથા ઔષધી છે. જે અંગે વધુ જાણકારી મેળવવા માટે ETV Bharat સુખીભવ (sukhibhava)એ આયુર્વેદાચાર્ય ડૉ. પી.વી.રંગનાયકુલું (dr.p.v.rangnaykulu)સાથે વાત કરી હતી.

માઈગ્રેન અને સામાન્ય માથામાં દુખાવામાં ઘણું અંતર

ડો. રંગનાયકુલું (dr.p.v.rangnaykulu)જણાવે છે કે, માઈગ્રેનના ઉપચાર વિશે જાણતા પહેલા જરૂરી છે કે તેની પ્રવૃત્તિ વિશે જાણવામાં આવે. તેઓ જણાવે છે કે, સામાન્ય રીતે માથાનો દુખાવો કેટલાક કલાકથી વધુ રહેતો નથી અને માથાના બન્ને કિનારા પર અનુભવ થાય છે, જ્યારે માઈગ્રેન (Migraine )એક તરફો હોય છે, અને બે દિવસથી વધારે સમય સુધી રહી શકે છે. આયુર્વેદમાં તેને અર્ધભેદકના નામે ઓળખવામાં આવે છે. આ સૂકા ભોજનનું વધુ પડતું સેવન, ધુમ્મસ અને ઝાકળ અને આત્યંતિક થાકના સંપર્કમાં આવવાને કારણે થાય છે.

આનુવંશિક કારણો અને હોર્મોન્સ અસંતુલનના કારણે સામાન્યરીતે મહિલાઓમાં પુરૂષોની તુલનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

માઈગ્રેન(Migraine )ની અવસ્થામાં પીડિતને ક્યારેક ક્યારેક ઉબકા અને ઉલટી પણ થાય છે. આ સાથે આંખોમાં આંસુ અથવા નાક ભારે લાગવા જેવી સમસ્યા પણ પીડિત મહેસૂસ કરે છે.

ડો. રંગનાયકુલું જણાવે છે કે, માઈગ્રેનથી (Migraine ) પીડિત લગભગ 20 ટકા લોકો દર્દ દરમિયાન આંખો સામે ચમકતી લાઇટ, ચમકીલા ધબ્બા તથા વાંકી-ચુકી રેખાઓ થવા જેવી અનુભૂતિ મહેસૂસ કરે છે. આ ઉપરાંત દ્રષ્ટિમાં પરિવર્તન, આંગળીઓ, હોઠ, જીભ, અને જનજનાહટનો અનુભવ થવો તથા વાણીમાં સમસ્યા પણ માઈગ્રેન દરમિયાન જોવા મળી શકે છે.

ઉપચાર

ડો. રંગનાયકુલું જણાવે છે કે, જો કે, આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી, પરંતુ આયુર્વેદિક દવાઓ અને જીવનશૈલી પ્રબંધનની મદદથી આ પ્રકારના માથાના દુખાવાનું પ્રબંધન કરી શકાય છે. આયુર્વેદ માઈગ્રેન માટે નિમ્નલિખિત ઔષધીય અને ઉપચારો જણાવે છે.

1- અવપીદાન નસ્ય( ઔષધીય ઝાડના રસને નસકોરાંમાં દબાવવો

2- લેબેક વૃક્ષના મૂળ અને ફળોનો વપરાશ કરો.

3- વાંસના વૃક્ષનું કરો સેવન

4- નદ્યપાન પાવડરને મધ સાથે મિક્સ કરીને સેવન કરો

5- ચંદન પાવડરનું મધ સાથે કરો સેવન

6- લાલ આર્સેનિકનો લેપ

7- અનુ તેલના 6-6 ટીપા નાકમાં નિયમિત અંતરે 2 અઠવાડિયા સુધી લગાવો

8- આખા શરીર પર તેલ અથવા ઘીની કરો માલિશ

9- શુદ્ધિકરણ ચિકિત્સા અને ઉપચાર કરો

10- દૂધમાં સુગર મિક્ષ કરીને પીવો

11- કફકેતુ રસની ગોળીઓનું 30 દિવસ સુધી સેવન કરો

ડો. રંગનાયકુલું જણાવે છે કે, આ સમસ્યા સામાન્ય રીતે અતિશય ભેજ અને ધ્વનિ પ્રદૂષણને કારણે થાય છે, તેથી અંધારું, ઠંડી અને શાંત રૂમમાં મીઠાઈ ખાવાથી પણ માઈગ્રેનના દુખાવામાં આંશિક રાહત મળી શકે છે.

માઈગ્રેન (Migraine )એક એવી સમસ્યા છે જેનાથી કુલ વસ્તીમાં લગભગ 10-15 ટકા લોકો સામાન્ય રૂપથી પીડિત રહે છે. આ એક સામાન્ય પરંતુ અપ્રત્યાશીત સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. સાથે જ આની પર નિયંત્રણમાં કેટલીય વાર મુશ્કેલીઓ પણ આવી શકે છે. આયુર્વેદ(ayurved)માં માઈગ્રેન માટે ઉપચાર તથા ઔષધી છે. જે અંગે વધુ જાણકારી મેળવવા માટે ETV Bharat સુખીભવ (sukhibhava)એ આયુર્વેદાચાર્ય ડૉ. પી.વી.રંગનાયકુલું (dr.p.v.rangnaykulu)સાથે વાત કરી હતી.

માઈગ્રેન અને સામાન્ય માથામાં દુખાવામાં ઘણું અંતર

ડો. રંગનાયકુલું (dr.p.v.rangnaykulu)જણાવે છે કે, માઈગ્રેનના ઉપચાર વિશે જાણતા પહેલા જરૂરી છે કે તેની પ્રવૃત્તિ વિશે જાણવામાં આવે. તેઓ જણાવે છે કે, સામાન્ય રીતે માથાનો દુખાવો કેટલાક કલાકથી વધુ રહેતો નથી અને માથાના બન્ને કિનારા પર અનુભવ થાય છે, જ્યારે માઈગ્રેન (Migraine )એક તરફો હોય છે, અને બે દિવસથી વધારે સમય સુધી રહી શકે છે. આયુર્વેદમાં તેને અર્ધભેદકના નામે ઓળખવામાં આવે છે. આ સૂકા ભોજનનું વધુ પડતું સેવન, ધુમ્મસ અને ઝાકળ અને આત્યંતિક થાકના સંપર્કમાં આવવાને કારણે થાય છે.

આનુવંશિક કારણો અને હોર્મોન્સ અસંતુલનના કારણે સામાન્યરીતે મહિલાઓમાં પુરૂષોની તુલનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

માઈગ્રેન(Migraine )ની અવસ્થામાં પીડિતને ક્યારેક ક્યારેક ઉબકા અને ઉલટી પણ થાય છે. આ સાથે આંખોમાં આંસુ અથવા નાક ભારે લાગવા જેવી સમસ્યા પણ પીડિત મહેસૂસ કરે છે.

ડો. રંગનાયકુલું જણાવે છે કે, માઈગ્રેનથી (Migraine ) પીડિત લગભગ 20 ટકા લોકો દર્દ દરમિયાન આંખો સામે ચમકતી લાઇટ, ચમકીલા ધબ્બા તથા વાંકી-ચુકી રેખાઓ થવા જેવી અનુભૂતિ મહેસૂસ કરે છે. આ ઉપરાંત દ્રષ્ટિમાં પરિવર્તન, આંગળીઓ, હોઠ, જીભ, અને જનજનાહટનો અનુભવ થવો તથા વાણીમાં સમસ્યા પણ માઈગ્રેન દરમિયાન જોવા મળી શકે છે.

ઉપચાર

ડો. રંગનાયકુલું જણાવે છે કે, જો કે, આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી, પરંતુ આયુર્વેદિક દવાઓ અને જીવનશૈલી પ્રબંધનની મદદથી આ પ્રકારના માથાના દુખાવાનું પ્રબંધન કરી શકાય છે. આયુર્વેદ માઈગ્રેન માટે નિમ્નલિખિત ઔષધીય અને ઉપચારો જણાવે છે.

1- અવપીદાન નસ્ય( ઔષધીય ઝાડના રસને નસકોરાંમાં દબાવવો

2- લેબેક વૃક્ષના મૂળ અને ફળોનો વપરાશ કરો.

3- વાંસના વૃક્ષનું કરો સેવન

4- નદ્યપાન પાવડરને મધ સાથે મિક્સ કરીને સેવન કરો

5- ચંદન પાવડરનું મધ સાથે કરો સેવન

6- લાલ આર્સેનિકનો લેપ

7- અનુ તેલના 6-6 ટીપા નાકમાં નિયમિત અંતરે 2 અઠવાડિયા સુધી લગાવો

8- આખા શરીર પર તેલ અથવા ઘીની કરો માલિશ

9- શુદ્ધિકરણ ચિકિત્સા અને ઉપચાર કરો

10- દૂધમાં સુગર મિક્ષ કરીને પીવો

11- કફકેતુ રસની ગોળીઓનું 30 દિવસ સુધી સેવન કરો

ડો. રંગનાયકુલું જણાવે છે કે, આ સમસ્યા સામાન્ય રીતે અતિશય ભેજ અને ધ્વનિ પ્રદૂષણને કારણે થાય છે, તેથી અંધારું, ઠંડી અને શાંત રૂમમાં મીઠાઈ ખાવાથી પણ માઈગ્રેનના દુખાવામાં આંશિક રાહત મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.