ETV Bharat / bharat

ગુજરાત કેડરના 1984ની બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા

author img

By

Published : Jul 28, 2021, 7:50 AM IST

1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલય તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે. અત્યારે બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કમિશ્નર બનવાની સાથે-સાથે રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો પણ આપવામાં આવ્યો છે. રાકેશ અસ્થાના 31 જુલાઈએ નિવૃત્ત થવાના હતા.

IPS અધિકારી રાકેશ અસ્થાના
IPS અધિકારી રાકેશ અસ્થાના
  • રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળશે
  • રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી
  • રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો આપવામાં આવ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસને નવા એક પોલીસ કમિશ્નર મળી ગયા છે. 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલય તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે. બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો હતો. સૂત્રો જણાવે છે કે, દિલ્હી પોલીસમાં આ મોટું પરિવર્તન આવશે. કમિશ્નર બનવાની સાથે-સાથે રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો પણ આપવામાં આવ્યો છે. 31 જુલાઈએ રાકેશ અસ્થાના નિવૃત્ત થવાના હતા.

આ પણ વાંચો : ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી, BSFના નવા DG બન્યા

ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી અપાઇ

30 જૂનના રોજ દિલ્હી પોલીસ કમિશ્નર એસ. એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો છે. જોકે, તેમને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે જાહેર કરાયા નથી. મંગળવારે BSFના DG રાકેશ અસ્થાનાના નામને ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી આપવામાં આવી છે. તે થોડા દિવસો પછી નિવૃત્ત થવાના હતા. અગાઉ તેમના દિલ્હી પોલીસ કમિશ્નરના આદેશો આવ્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારી છે.

આ પણ વાંચો : કોર્ટનો CBIને સવાલ, રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાયો?

રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવવામાંં આવ્યું છે કે, 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશ્નર રહેશે. અત્યારે તે BSFના DG હતા. તેમને જલ્દીથી દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ લેવાનું જણાવવામાંં આવ્યું છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી છે. આ પહેલા તેઓ CBIના સ્પેશિયલ ડાયરેક્ટરનું નિયામક પદ પણ સંભાળી ચૂક્યા છે. અત્યારમાંં BSF DG સિવાય તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના DGનો ચાર્જ પણ સંભાળી રહ્યા હતા.

આ પણ વાંચો -

  • રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળશે
  • રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી
  • રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો આપવામાં આવ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસને નવા એક પોલીસ કમિશ્નર મળી ગયા છે. 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલય તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે. બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો હતો. સૂત્રો જણાવે છે કે, દિલ્હી પોલીસમાં આ મોટું પરિવર્તન આવશે. કમિશ્નર બનવાની સાથે-સાથે રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો પણ આપવામાં આવ્યો છે. 31 જુલાઈએ રાકેશ અસ્થાના નિવૃત્ત થવાના હતા.

આ પણ વાંચો : ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી, BSFના નવા DG બન્યા

ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી અપાઇ

30 જૂનના રોજ દિલ્હી પોલીસ કમિશ્નર એસ. એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો છે. જોકે, તેમને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે જાહેર કરાયા નથી. મંગળવારે BSFના DG રાકેશ અસ્થાનાના નામને ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી આપવામાં આવી છે. તે થોડા દિવસો પછી નિવૃત્ત થવાના હતા. અગાઉ તેમના દિલ્હી પોલીસ કમિશ્નરના આદેશો આવ્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારી છે.

આ પણ વાંચો : કોર્ટનો CBIને સવાલ, રાકેશ અસ્થાનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કેમ ન કરાયો?

રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવવામાંં આવ્યું છે કે, 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસના નવા કમિશ્નર રહેશે. અત્યારે તે BSFના DG હતા. તેમને જલ્દીથી દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ લેવાનું જણાવવામાંં આવ્યું છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી છે. આ પહેલા તેઓ CBIના સ્પેશિયલ ડાયરેક્ટરનું નિયામક પદ પણ સંભાળી ચૂક્યા છે. અત્યારમાંં BSF DG સિવાય તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના DGનો ચાર્જ પણ સંભાળી રહ્યા હતા.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.