- તોફાન યાસ 26મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી સંભાવના છે
- રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરશે
- તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ પર ચર્ચા કરશે
કોલકત્તા: ચક્રવાત તૌકતે બાદ હવે તોફાન યાસ 26મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરે તેવી સંભાવના છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના અધિકારીઓ સાથે બેઠક કરશે અને તોફાનને પહોંચી વળવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે ચક્રવાત યાસ પર સમીક્ષા બેઠક કરશે
પશ્ચિમ બંગાળ સરકારે ચક્રવાત 'યાસ'ને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીના પગલા લીધાં છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ કંટ્રોલ રૂમમાં હાજર રહી પરિસ્થિતિનો હિસ્સો લેશે. અધિકારીઓએ આ અસર અંગે માહિતી આપી હતી.
આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું નિર્માણ થઇ શકે છે
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, ચક્રવાત યાસ ઉત્તર, ઉત્તર પશ્ચિમ બાજુ વધવાની સંભાવના છે, જે 24મે સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું નિર્માણ થઇ શકે છે.
26મેની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળની નજીક પહોંચશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26મેની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળની નજીક અને તેની બાજુમાં ઉત્તરીય બંગાળની ખાડી, ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચશે.
સંવેદનશીલ વિસ્તારો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે
રાજ્ય સચિવાલયમાં અધિકારીઓ સાથે આજે ઉચ્ચ કક્ષાની બેઠક યોજનારા મુખ્યપ્રધાન બેનર્જીએ કહ્યું કે, સંવેદનશીલ વિસ્તારો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે. અધિકારીઓને કિનારા અને નદી વિસ્તારના લોકોને સલામત સ્થળે લઈ જવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ સાઈક્લોન 'યાસ' 26 મેના રોજ ઓડિશામાં પટકવાની સંભાવના
સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ, જિલ્લાધિકારિયો અને પોલીસ અધિક્ષક સાથે બેઠક કરશે
બેનર્જીએ ટ્વીટ કર્યું છે કે, આજે બપોરે સંબંધિત સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ, જિલ્લાધિકારિયો અને પોલીસ અધિક્ષક સાથે બેઠક કરશે. આ બેઠકમાં સંભવિત ચક્રવાત 'યાસ' ને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનો હિસ્સો લીધો હતો.