ETV Bharat / bharat

Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા

author img

By

Published : Jul 4, 2021, 6:02 AM IST

કર્ણાટક રાજ્યના દાવણગર જિલ્લામાં એક અનોખુ ગામ છે. જ્યાં લોકોનો સાપ પ્રત્યે અનોખો પ્રેમ જોવા મળ્યો છે, નાગેનહલ્લી ગામના લોકોની સાપ પ્રત્યેની પ્રતિક્રિયા સંપુર્ણ પણે અલગ છે. ગામના લોકોનો કોબ્રા સાથેનો પ્રેમ તેમજ ધાર્મિકતા અને શ્રદ્ધા સાથે સંબંધિત છે. તો જુઓ ગામના લોકોનો સાપ પ્રત્યેનો પ્રેમ...

Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા
Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા
  • કર્ણાટક રાજ્યના એક ગામમાં લોકોનો સાપ પ્રત્યે અનોખો પ્રેમ
  • અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ
  • સાપ ડંખે તો 3 દિવસ મંદિરમાં રાખવામાં આવે

કર્ણાટકઃ રાજ્યના દાવણગરે જિલ્લાના નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખો પ્રેમ અને લાગણી જોવા મળી રહી છે. ગામના લોકો કોબ્રા વિશે જુદી જુદી ધારણા ધરાવે છે. જ્યારે આ ગામના બાળકો પણ કોબ્રાને જોઈને તેની સાથે રમવાનું શરૂ કરે છે. અહીં બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો સરળતાથી કોઈ પણ ડર વિના કોબ્રાને પકડે છે. આ ગામમાં આ પ્રથા સામાન્ય બની ગઈ છે.

Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા

ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ આવી રહ્યા છે ગામમાં

સાપને લઈને નાગેનહલ્લી ગામના લોકોના આ વર્તનને જોતાં, મધ્ય કર્ણાટકના આ ગામને સાપનું ગામ કહેવામાં આવે છે. અહીં લોકો સાપ સાથેના ધાર્મિક સંબંધમાં બંધાયેલા છે અને સરળતાથી તેમની સાથે મળી જાય છે. બાળકોને અહીં સાપ સાથે રમતા જોવાનું સામાન્ય છે. ગામના લોકોનું માનવું છે કે, ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ ગામમાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ

ગામના વડાની ETV Bharat સાથેની વાતચીતમાં આ ગામની સૌથી આશ્ચર્યજનક બાબત જણાવવામાં આવી છે કે, અત્યાર સુધીમાં કોઈને સાપથી નુકસાન પહોંચ્યુ નથી. ગામમાં મોટી સંખ્યામાં સાપ હોવા છતાં અહીં સર્પ કરડવાથી કોઈનું મોત નીપજ્યું નથી. આ ગામમાં ભગવાન શિવ અને અંજનેયા મંદિરોની નજીક ઘણીવાર સાપ જોઇ શકાય છે.

સાપ ડંખે તો 3 દિવસ મંદિરમાં રાખવામાં આવે

સાપ સાથેના પ્રેમ અને સંબંધ પ્રત્યે ગામલોકોના ગામલોકોના જણાવ્યા મુજબ સદીઓથી આ ગામમાં સાપ આવે છે અને ગામના લોકો એક બીજાને મળે છે અને પ્રભાવિત કરે છે. જોકે ગામમાં પણ અનેક વખત સાપ કરડવાના કિસ્સા નોંધાયા છે, પરંતુ તેના કારણે કોઈનું મોત નીપજ્યું નથી.

આ પણ વાંચોઃ ઘોડાના વાળમાંથી બને છે બંગડી અને કડા

ગામમાંથી કોઈ વ્યક્તિને સાપ ડંખે છે તો તેને ત્રણ દિવસ મંદિરમાં રાખી તેની સારવાર માટે તેમને તુલસીનું પવિત્ર જળ આપવામાં આવે છે. જો સાપ મરી જાય છે, તો ગામલોકો તેની સાથે માનવીની જેમ વર્તે છે, આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે.

ગામના લોકોને ભગવાન શિવ અને અંજનેયમાં વિશ્વાસ

સદીઓથી આ ગામમાં સાપની સંખ્યા પણ સતત વધી રહી છે, કારણ કે ગામના લોકોને ભગવાન શિવ અને અંજનેયમાં વિશ્વાસ છે. ગામલોકોનું માનવું છે કે, શિવ અને અંજનેયની કૃપાથી ગામડે સાપ આવતા રહે છે. આ બધા સિવાય આ ગામના લોકોએ કોઈ પણ પ્રકારના ભય વગર મરેલા સાપની પૂજા અને સાપને લગતા જૂના રિવાજો ચાલુ રાખ્યા છે. અને કોઈ પણ જાતના ડર વગરના સાંપોનું સ્વાગત કરે છે.

  • કર્ણાટક રાજ્યના એક ગામમાં લોકોનો સાપ પ્રત્યે અનોખો પ્રેમ
  • અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ
  • સાપ ડંખે તો 3 દિવસ મંદિરમાં રાખવામાં આવે

કર્ણાટકઃ રાજ્યના દાવણગરે જિલ્લાના નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખો પ્રેમ અને લાગણી જોવા મળી રહી છે. ગામના લોકો કોબ્રા વિશે જુદી જુદી ધારણા ધરાવે છે. જ્યારે આ ગામના બાળકો પણ કોબ્રાને જોઈને તેની સાથે રમવાનું શરૂ કરે છે. અહીં બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો સરળતાથી કોઈ પણ ડર વિના કોબ્રાને પકડે છે. આ ગામમાં આ પ્રથા સામાન્ય બની ગઈ છે.

Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા

ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ આવી રહ્યા છે ગામમાં

સાપને લઈને નાગેનહલ્લી ગામના લોકોના આ વર્તનને જોતાં, મધ્ય કર્ણાટકના આ ગામને સાપનું ગામ કહેવામાં આવે છે. અહીં લોકો સાપ સાથેના ધાર્મિક સંબંધમાં બંધાયેલા છે અને સરળતાથી તેમની સાથે મળી જાય છે. બાળકોને અહીં સાપ સાથે રમતા જોવાનું સામાન્ય છે. ગામના લોકોનું માનવું છે કે, ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ ગામમાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ

ગામના વડાની ETV Bharat સાથેની વાતચીતમાં આ ગામની સૌથી આશ્ચર્યજનક બાબત જણાવવામાં આવી છે કે, અત્યાર સુધીમાં કોઈને સાપથી નુકસાન પહોંચ્યુ નથી. ગામમાં મોટી સંખ્યામાં સાપ હોવા છતાં અહીં સર્પ કરડવાથી કોઈનું મોત નીપજ્યું નથી. આ ગામમાં ભગવાન શિવ અને અંજનેયા મંદિરોની નજીક ઘણીવાર સાપ જોઇ શકાય છે.

સાપ ડંખે તો 3 દિવસ મંદિરમાં રાખવામાં આવે

સાપ સાથેના પ્રેમ અને સંબંધ પ્રત્યે ગામલોકોના ગામલોકોના જણાવ્યા મુજબ સદીઓથી આ ગામમાં સાપ આવે છે અને ગામના લોકો એક બીજાને મળે છે અને પ્રભાવિત કરે છે. જોકે ગામમાં પણ અનેક વખત સાપ કરડવાના કિસ્સા નોંધાયા છે, પરંતુ તેના કારણે કોઈનું મોત નીપજ્યું નથી.

આ પણ વાંચોઃ ઘોડાના વાળમાંથી બને છે બંગડી અને કડા

ગામમાંથી કોઈ વ્યક્તિને સાપ ડંખે છે તો તેને ત્રણ દિવસ મંદિરમાં રાખી તેની સારવાર માટે તેમને તુલસીનું પવિત્ર જળ આપવામાં આવે છે. જો સાપ મરી જાય છે, તો ગામલોકો તેની સાથે માનવીની જેમ વર્તે છે, આ પરંપરા ઘણા વર્ષોથી ચાલે છે.

ગામના લોકોને ભગવાન શિવ અને અંજનેયમાં વિશ્વાસ

સદીઓથી આ ગામમાં સાપની સંખ્યા પણ સતત વધી રહી છે, કારણ કે ગામના લોકોને ભગવાન શિવ અને અંજનેયમાં વિશ્વાસ છે. ગામલોકોનું માનવું છે કે, શિવ અને અંજનેયની કૃપાથી ગામડે સાપ આવતા રહે છે. આ બધા સિવાય આ ગામના લોકોએ કોઈ પણ પ્રકારના ભય વગર મરેલા સાપની પૂજા અને સાપને લગતા જૂના રિવાજો ચાલુ રાખ્યા છે. અને કોઈ પણ જાતના ડર વગરના સાંપોનું સ્વાગત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.