- કર્ણાટકના શિવમોગા જિલ્લામાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ
- આ ભયાનક વિસ્ફોટમાં 5 મજૂરોના મોત
- વિસ્ફોટથી ભૂંકપ જેવો અનુભવ થયો
કર્ણાટકઃ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસ રહેલા ઘરોના કાચ તુટી ગયા હતાં. આ ઘટનામાં 5 મજૂરોના મોત થયા છે.
દુર્ઘટનામાં 5 મજૂરોના મોત
શિવમોગા જિલ્લામાં પથ્થરની ખાણમાં ટ્રકમાં ભરીને લાવી રહેલા વિસ્ફોટકમાં ધમાકો થયો હતો. આ ઘટનામાં બિહારના 5 મજૂરોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો ઘાયલ થયા છે. મૃતકો બિહારથી રોજી રોટી મેળવવા માટે કર્ણાટક આવીને આ ખાણમાં કામ કરતા હતાં.
વિસ્ફોટથી ભૂંકપ જેવો અનુભવ થયો
પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરના કાચ પણ તુટી ગયા હતા અને રસ્તાઓ પર તિરાડ પડી ગઈ હતી. આ ધમાકાથી એવું લાગ્યું હતુ કે જાણે ભૂકંપ આવ્યો હોય, તેથી ભૂગર્ભ વૈજ્ઞાનિકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ વિસ્ફોટ શિવમોગા શહેરથી 5 થી 6 કિલોમીટરના અંતરે થયો હતો.