ETV Bharat / bharat

WORLD TELECOMMUNICATION DAY : આજે વિશ્વ ટેલિકોમ દિવસ, ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો

author img

By

Published : May 17, 2023, 9:40 AM IST

આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઈન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરીયાત બની ગઈ છે. તેના વગર હવે જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓનો સેકન્ડોમાં સરળતાથી સંપર્ક કરી શકે છે. આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ છે.

WORLD TELECOMMUNICATION DAY
WORLD TELECOMMUNICATION DAY

અમદાવાદ: વિશ્વ ટેલિકોમ દિવસ દર વર્ષે 17 મે ના રોજ ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઈન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરીયાત બની ગઈ છે. તેના વગર હવે જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આજે તે વ્યક્તિના અંગત જીવનથી પ્રોફેશનલ લાઇફમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂકી છે. પહેલા જ્યાં લોકોને કોઈના સંપર્કમાં રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, આજે મોબાઈલ અને ઈન્ટરનેટ ખૂબ જ સરળ બની ગયા છે. વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓનો સેકન્ડોમાં સરળતાથી સંપર્ક કરી શકે છે. આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ છે, આથી ભારત જેવા કેટલાક વિકાસશીલ દેશોની પણ ગણતરી પણ દુનિયાના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થવ્યવસ્થામાં થાય છે.

ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો: ભલે આજે દુનિયા 5G, 6G અને 7Gની વાત કરી રહી છે, પરંતુ એક સમય હતો જ્યારે કોઈના ઘરે ટેલિફોન આવતો હતો, ત્યારે આખા વિસ્તારમાં ચર્ચા થતી હતી. આજે એન્ડ્રોઈડના યુગમાં મોબાઈલમાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે મોબાઈલની ટ્રીંગ-ટ્રિંગ વાગવા લાગે કે તરત જ લોકો એલર્ટ થઈ જતા. ખાસ કરીને નાના બાળકોમાં એક હરીફાઈ ચાલતી કે ફોન કોણ રીસીવ કરશે? હકીકતમાં, જૂના યુગની આ બાબતો વિશે વિચારવું એ કાલ્પનિક લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો.

ઇતિહાસ: 17 મે, 1969 ના રોજ, ITUની સ્થાપના કરી વિશ્વ દૂરસંચાર દિવસ પ્રથમ મનાવવામાં આવ્યો હતો, જે મૂળરૂપે આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે ઓળખાતું હતું. ITUની સ્થાપના 17 મે, 1865ના રોજ પેરિસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ કન્વેન્શન પર હસ્તાક્ષર કરીને કરવામાં આવ્યા હતા. તેણે 1932માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન રાખ્યું હતું યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા માર્ચ 2006ના ઠરાવમાં તારીખ 17 મેને વિશ્વ માહિતી સમાજ દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવી હતી.

આ વિશ્વ ટેલિકોમ દિવસ 2023ની થીમ છે: વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન સોસાયટી ડે 2023 ની થીમ "માહિતી અને સંચાર તકનીકો દ્વારા સૌથી ઓછા વિકસિત દેશોને સશક્તિકરણ" છે.

આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય: આ દિવસનો હેતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી માહિતી અને સંચાર ટેકનોલોજી સુલભ બનાવવાનો તેમજ લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાનો છે. કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે કે તેઓ વિશ્વભરમાં વિકસિત થઈ રહેલી નવી ટેકનોલોજી અને ટેકનોલોજીની માહિતી મેળવતા રહે. ટેલિકોમ મીડિયાએ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંંચો:

  1. WORLD HYPERTENSION DAY 2023: આજે વિશ્વ હાયપરટેન્શન દિવસ, શા માટે કિશોરોમાં કેસ વધી રહ્યા છે
  2. National Dengue Day 2023: શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, જાણો આ દિવસનુ મહત્વ

અમદાવાદ: વિશ્વ ટેલિકોમ દિવસ દર વર્ષે 17 મે ના રોજ ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઈન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરીયાત બની ગઈ છે. તેના વગર હવે જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આજે તે વ્યક્તિના અંગત જીવનથી પ્રોફેશનલ લાઇફમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂકી છે. પહેલા જ્યાં લોકોને કોઈના સંપર્કમાં રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, આજે મોબાઈલ અને ઈન્ટરનેટ ખૂબ જ સરળ બની ગયા છે. વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓનો સેકન્ડોમાં સરળતાથી સંપર્ક કરી શકે છે. આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ છે, આથી ભારત જેવા કેટલાક વિકાસશીલ દેશોની પણ ગણતરી પણ દુનિયાના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થવ્યવસ્થામાં થાય છે.

ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો: ભલે આજે દુનિયા 5G, 6G અને 7Gની વાત કરી રહી છે, પરંતુ એક સમય હતો જ્યારે કોઈના ઘરે ટેલિફોન આવતો હતો, ત્યારે આખા વિસ્તારમાં ચર્ચા થતી હતી. આજે એન્ડ્રોઈડના યુગમાં મોબાઈલમાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે મોબાઈલની ટ્રીંગ-ટ્રિંગ વાગવા લાગે કે તરત જ લોકો એલર્ટ થઈ જતા. ખાસ કરીને નાના બાળકોમાં એક હરીફાઈ ચાલતી કે ફોન કોણ રીસીવ કરશે? હકીકતમાં, જૂના યુગની આ બાબતો વિશે વિચારવું એ કાલ્પનિક લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો.

ઇતિહાસ: 17 મે, 1969 ના રોજ, ITUની સ્થાપના કરી વિશ્વ દૂરસંચાર દિવસ પ્રથમ મનાવવામાં આવ્યો હતો, જે મૂળરૂપે આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે ઓળખાતું હતું. ITUની સ્થાપના 17 મે, 1865ના રોજ પેરિસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ કન્વેન્શન પર હસ્તાક્ષર કરીને કરવામાં આવ્યા હતા. તેણે 1932માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન રાખ્યું હતું યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા માર્ચ 2006ના ઠરાવમાં તારીખ 17 મેને વિશ્વ માહિતી સમાજ દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવી હતી.

આ વિશ્વ ટેલિકોમ દિવસ 2023ની થીમ છે: વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન સોસાયટી ડે 2023 ની થીમ "માહિતી અને સંચાર તકનીકો દ્વારા સૌથી ઓછા વિકસિત દેશોને સશક્તિકરણ" છે.

આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય: આ દિવસનો હેતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી માહિતી અને સંચાર ટેકનોલોજી સુલભ બનાવવાનો તેમજ લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાનો છે. કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે કે તેઓ વિશ્વભરમાં વિકસિત થઈ રહેલી નવી ટેકનોલોજી અને ટેકનોલોજીની માહિતી મેળવતા રહે. ટેલિકોમ મીડિયાએ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંંચો:

  1. WORLD HYPERTENSION DAY 2023: આજે વિશ્વ હાયપરટેન્શન દિવસ, શા માટે કિશોરોમાં કેસ વધી રહ્યા છે
  2. National Dengue Day 2023: શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, જાણો આ દિવસનુ મહત્વ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.