ETV Bharat / bharat

ગોધરાકાંડ: સુપ્રિમકોર્ટે મોદીને SIT ક્લિનચીટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજીની સુનાવણી સ્થગિત કરી

author img

By

Published : Apr 13, 2021, 4:51 PM IST

જજ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે, અરજદારે આ કેસમાં મુલતવી રાખવા એક પત્ર ફરજીયાત કર્યા હોવાથી આ મામલો બે અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે.

ગોધરાકાંડ
ગોધરાકાંડ

  • ઝાકિયા ઝાફરીની અરજીની સુનાવણી બે અઠવાડિયા સુધી મુલતવી
  • સુનાવણી પાંચ જજોની સંયુક્ત બેંચ દ્વારા કરવામાં આવી
  • SIT દ્વારા ટ્રાયલ જજ સમક્ષ તેના ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ અપાઈ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણોમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ક્લિનચીટને પડકારતી સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા ઝાફરીની અરજીની સુનાવણી બે અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી.

મામલો બે અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે

જજ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેઠકમાં જણાવ્યું હતું કે, આ મામલો બે અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે. કારણ કે, અરજદારે આ મામલો મુલતવી રાખવા માટેનો પત્ર આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 16 માર્ચ મંગળવારે સુનાવણી મુલતવી રાખી હતી અને કહ્યું હતું કે, તે મુલતવી રાખવા માટે વધુ વિનંતી કરશે નહીં.

આ પણ વાંચો:ગોધરાકાંડ: PM મોદીને ક્લીન ચીટ મુદ્દે જાકિયાની અરજી 14 એપ્રિલ સુધી સ્થગિત

વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલની વિનંતીની નોંધ લેવાઈ

બેન્ચે ગયા મહિને ઝાફરી સમક્ષ હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલની વિનંતીની નોંધ લીધી હતી કે, એપ્રિલ મહિનામાં સુનાવણી કરવામાં આવશે. કારણ કે, ઘણા અધિકારીઓ મરાઠા રિઝર્વેશન કેસમાં વ્યસ્ત હતા. જેની સુનાવણી પાંચ જજોની સંયુક્ત બેંચ દ્વારા કરવામાં આવી હતી. સોલિસીટર જનરલ તુષાર મહેતા ગુજરાત સરકાર તરફથી હાજર રહ્યા હતા, ત્યારે તેમણે સુનાવણી મુલતવી રાખવાની અરજીનો વિરોધ કર્યો હતો.

અગાઉ પણ આ મામલો ઘણી વાર મુલતવી રખાયો હતો

ગત વર્ષે ફેબ્રુઆરીમાં ટોચની અદાલતે આ કેસની સુનાવણી 14મી એપ્રિલ, 2020 ના રોજ નક્કી કરી હતી. અગાઉ પણ આ મામલો ઘણી વાર મુલતવી રાખવામાં આવ્યો હતો. આ પહેલા ઝાફરીના વકીલે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, અરજીમાં નોટિસ ફટકારવાની જરૂર છે કારણ કે, તે 27 ફેબ્રુઆરી, 2002થી મે 2002 સુધીના કથિત મોટા કાવતરા સાથે સંબંધિત છે.

8મી ફેબ્રુઆરી, 2012ના રોજ SITએ મોદી અને સરકારી અધિકારીઓ ક્લિનચીટ આપી

ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસનો એસ -6 કોચ સળગાવ્યાના એક દિવસ પછી, 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં એહસાન ઝાફરી પણ હતો. 8મી ફેબ્રુઆરી, 2012ના રોજ SITએ મોદી અને સરકારી અધિકારીઓ સહિત અન્ય 63 લોકોને ક્લિનચીટ આપતા ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમની સામે કોઈ કાયદેસર પુરાવા નથી.

આ પણ વાંચો:ગોધરાકાંડના 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને SOGએ ઘરમાંથી ઝડપી પાડ્યો

ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ આપ્યા બાદ અરજદારે વિરોધ નોંધાવ્યો

ઝાકિયા ઝાફરીએ SITના નિર્ણય સામે તેની અરજીને નકારી ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, SIT દ્વારા ટ્રાયલ જજ સમક્ષ તેના ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ આપ્યા બાદ અરજદારે વિરોધ નોંધાવ્યો હતો. મેજિસ્ટ્રેટે તેની યોગ્યતા ધ્યાનમાં લીધા વિના બરતરફ કરવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટ અરજદારની ફરિયાદની પ્રશંસા કરવામાં નિષ્ફળ ગઈ છે.

ઝાકિયા ઝાફરીની અરજીને મંજૂરી અપાઈ

હાઇકોર્ટે તેના ઓક્ટોબર 2017ના આદેશમાં કહ્યું હતું કે, SIT તપાસ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નજર રાખવામાં આવી હતી. જો કે, જ્યાં સુધી તેની વધુ તપાસની માગની ચિંતા છે ત્યાં સુધી તેણે ઝાકિયા ઝાફરીની અરજીને મંજૂરી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર યોગ્ય તપાસ ફોરમનો સંપર્ક કરી શકે છે. જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટ, હાઇકોર્ટની ડિવિઝન બેંચ અથવા સુપ્રીમ કોર્ટ વધુ તપાસની માગ કરે છે.

  • ઝાકિયા ઝાફરીની અરજીની સુનાવણી બે અઠવાડિયા સુધી મુલતવી
  • સુનાવણી પાંચ જજોની સંયુક્ત બેંચ દ્વારા કરવામાં આવી
  • SIT દ્વારા ટ્રાયલ જજ સમક્ષ તેના ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ અપાઈ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણોમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ક્લિનચીટને પડકારતી સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા ઝાફરીની અરજીની સુનાવણી બે અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી.

મામલો બે અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે

જજ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેઠકમાં જણાવ્યું હતું કે, આ મામલો બે અઠવાડિયા પછી સૂચિબદ્ધ કરવામાં આવશે. કારણ કે, અરજદારે આ મામલો મુલતવી રાખવા માટેનો પત્ર આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 16 માર્ચ મંગળવારે સુનાવણી મુલતવી રાખી હતી અને કહ્યું હતું કે, તે મુલતવી રાખવા માટે વધુ વિનંતી કરશે નહીં.

આ પણ વાંચો:ગોધરાકાંડ: PM મોદીને ક્લીન ચીટ મુદ્દે જાકિયાની અરજી 14 એપ્રિલ સુધી સ્થગિત

વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલની વિનંતીની નોંધ લેવાઈ

બેન્ચે ગયા મહિને ઝાફરી સમક્ષ હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલની વિનંતીની નોંધ લીધી હતી કે, એપ્રિલ મહિનામાં સુનાવણી કરવામાં આવશે. કારણ કે, ઘણા અધિકારીઓ મરાઠા રિઝર્વેશન કેસમાં વ્યસ્ત હતા. જેની સુનાવણી પાંચ જજોની સંયુક્ત બેંચ દ્વારા કરવામાં આવી હતી. સોલિસીટર જનરલ તુષાર મહેતા ગુજરાત સરકાર તરફથી હાજર રહ્યા હતા, ત્યારે તેમણે સુનાવણી મુલતવી રાખવાની અરજીનો વિરોધ કર્યો હતો.

અગાઉ પણ આ મામલો ઘણી વાર મુલતવી રખાયો હતો

ગત વર્ષે ફેબ્રુઆરીમાં ટોચની અદાલતે આ કેસની સુનાવણી 14મી એપ્રિલ, 2020 ના રોજ નક્કી કરી હતી. અગાઉ પણ આ મામલો ઘણી વાર મુલતવી રાખવામાં આવ્યો હતો. આ પહેલા ઝાફરીના વકીલે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, અરજીમાં નોટિસ ફટકારવાની જરૂર છે કારણ કે, તે 27 ફેબ્રુઆરી, 2002થી મે 2002 સુધીના કથિત મોટા કાવતરા સાથે સંબંધિત છે.

8મી ફેબ્રુઆરી, 2012ના રોજ SITએ મોદી અને સરકારી અધિકારીઓ ક્લિનચીટ આપી

ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસનો એસ -6 કોચ સળગાવ્યાના એક દિવસ પછી, 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 68 લોકોમાં એહસાન ઝાફરી પણ હતો. 8મી ફેબ્રુઆરી, 2012ના રોજ SITએ મોદી અને સરકારી અધિકારીઓ સહિત અન્ય 63 લોકોને ક્લિનચીટ આપતા ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમની સામે કોઈ કાયદેસર પુરાવા નથી.

આ પણ વાંચો:ગોધરાકાંડના 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને SOGએ ઘરમાંથી ઝડપી પાડ્યો

ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ આપ્યા બાદ અરજદારે વિરોધ નોંધાવ્યો

ઝાકિયા ઝાફરીએ SITના નિર્ણય સામે તેની અરજીને નકારી ગુજરાત હાઈકોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, SIT દ્વારા ટ્રાયલ જજ સમક્ષ તેના ક્લોઝર રિપોર્ટમાં ક્લિનચીટ આપ્યા બાદ અરજદારે વિરોધ નોંધાવ્યો હતો. મેજિસ્ટ્રેટે તેની યોગ્યતા ધ્યાનમાં લીધા વિના બરતરફ કરવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટ અરજદારની ફરિયાદની પ્રશંસા કરવામાં નિષ્ફળ ગઈ છે.

ઝાકિયા ઝાફરીની અરજીને મંજૂરી અપાઈ

હાઇકોર્ટે તેના ઓક્ટોબર 2017ના આદેશમાં કહ્યું હતું કે, SIT તપાસ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નજર રાખવામાં આવી હતી. જો કે, જ્યાં સુધી તેની વધુ તપાસની માગની ચિંતા છે ત્યાં સુધી તેણે ઝાકિયા ઝાફરીની અરજીને મંજૂરી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર યોગ્ય તપાસ ફોરમનો સંપર્ક કરી શકે છે. જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટ, હાઇકોર્ટની ડિવિઝન બેંચ અથવા સુપ્રીમ કોર્ટ વધુ તપાસની માગ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.