ETV Bharat / bharat

Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે, જાણો કેમ..

author img

By

Published : Jan 5, 2022, 1:18 PM IST

કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને લઈને (Omicron variant of Corona) સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે, પરંતુ તે એક સામાન્ય સંક્રમણ બનીને રહી ગયું છે. નિષ્ણાતો આનાથી ડરવા અથવા ગભરાવા માટેની વાત કરી રહ્યાં નથી. આ બાબતે નિષ્ણાતોના મતમુજબ, રસી ન લેનારા લોકોએ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી.

Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે
Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે

નવી દિલ્હી: ભારતમાં 15થી 18 વર્ષના બાળકોને એન્ટી-કોરોના વાયરસની રસી (children vaccination) આપવામાં આવી રહી છે, ત્યારે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા (omicron case increase) છે, પરંતુ સારી વાત એ છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant of Corona) પણ એક રીતે કુદરતી રસી તરીકે કામ કરી (Omicron Working As Natural Vaccine) રહ્યો છે, તેમ નિષ્ણાતો માને છે. ઓમિક્રોનની હળવી અસર એ દર્દીઓ માટે વરદાન (Mild-acting Omicron infection) સમાન છે, જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી, તે લોકો ઓમિક્રોનથી સંક્રમિત થાય ત્યારે તેમના શરીરમાં એન્ટિબોડીઝ કુદરતી રીતે ઉત્પન્ન (natural antibody omicron) થાય છે.

ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે

બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.એસ.સી.એલ ગુપ્તા જણાવે છે કે, ઓમિક્રોનના રુપમાં કોરોના એટલો ઘાતક નથી જેટલો ઘાતક નિષ્ણાતોએ વિચાર્યો હતો. સાથેના અમારા ભૂતકાળના અનુભવો સારા રહ્યા નથી, તેથી સ્વાભાવિક રીતે મનમાં થોડો ડર હતો, પરંતુ આ વાયરસની પ્રકૃતિને જોતા લાગે છે કે તે ખતરનાક નથી. ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે. સામાન્ય રીતે, વેક્સિન બનાવવા માટે માત્ર નિષ્ક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે અથવા વાયરસના RNA કાઢવામાં આવે છે. આ વાયરસ શરીરમાં હળવુ ઈન્ફેક્સન લગાવે છે, પછી તે જાતે જ મટી થઈ જાય છે એટલે કે, તે શરીરમાં રસીની જેમ કામ કરે છે અને કુદરતી રીતે એન્ટિબોડીઝ બનાવે છે.

ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે

ડો. ગુપ્તાએ એમ પણ જણાવ્યું કે, ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે, પરંતુ ક્યારે એ ઓમિક્રોન માંથી પોમિક્રોન અથવા ક્રોમિક્રોન બની જાય અને તમને મુશ્કેલી આપવાનું શરૂ કરે તે કહી શકાય નહીં કારણ કે, તેના વિવિધ વેરિઅન્ટની અલગ અલગ અસરો હોઈ શકે છે. આ કિસ્સામાં સાવચેતી રાખવી જરૂરી છે, તેથી હંમેશા કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વેક્સિન લેવી જ જોઈએ.

ઓમિક્રોન કુદરતી સ્વરૂપમાં પણ કામ કરશે

સામાન્ય રીતે શરદી, ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ સાથે તાવ કોરોના વાયરસના લક્ષણોમાં જોવા મળે છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટમાં આ વાયરસ ફેફસામાં નથી પહોંચી રહ્યો, તે શ્વસન માર્ગમાં એટલે કે બ્રોન્કાઇટિસમાં જઈને અટકી જાય છે, જેથી દર્દીઓને વેન્ટિલેટર અથવા ઓક્સિજનની જરૂર પડતી નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે, જો ઓમિક્રોન આ રીતે હળવા સંક્રમણનું કારણ બને છે, તો તે કુદરતી સ્વરૂપમાં પણ કામ કરશે, જે કામ વેક્સિન કરે છે, તે જ કાર્ય આ વાયરસ પણ શરીરમાં જઈને કરશે.

આ પણ વાંચો:

Corona Cases in India : ભારતમાં કોરોનાના 58,097 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,135 કેસ નોંધાયા

Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

નવી દિલ્હી: ભારતમાં 15થી 18 વર્ષના બાળકોને એન્ટી-કોરોના વાયરસની રસી (children vaccination) આપવામાં આવી રહી છે, ત્યારે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા (omicron case increase) છે, પરંતુ સારી વાત એ છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant of Corona) પણ એક રીતે કુદરતી રસી તરીકે કામ કરી (Omicron Working As Natural Vaccine) રહ્યો છે, તેમ નિષ્ણાતો માને છે. ઓમિક્રોનની હળવી અસર એ દર્દીઓ માટે વરદાન (Mild-acting Omicron infection) સમાન છે, જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી, તે લોકો ઓમિક્રોનથી સંક્રમિત થાય ત્યારે તેમના શરીરમાં એન્ટિબોડીઝ કુદરતી રીતે ઉત્પન્ન (natural antibody omicron) થાય છે.

ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે

બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.એસ.સી.એલ ગુપ્તા જણાવે છે કે, ઓમિક્રોનના રુપમાં કોરોના એટલો ઘાતક નથી જેટલો ઘાતક નિષ્ણાતોએ વિચાર્યો હતો. સાથેના અમારા ભૂતકાળના અનુભવો સારા રહ્યા નથી, તેથી સ્વાભાવિક રીતે મનમાં થોડો ડર હતો, પરંતુ આ વાયરસની પ્રકૃતિને જોતા લાગે છે કે તે ખતરનાક નથી. ઓમિક્રોન વેરિઅન્ટ લોકો માટે પ્રાકૃતિક વેક્સિન તરીકે કામ કરશે. સામાન્ય રીતે, વેક્સિન બનાવવા માટે માત્ર નિષ્ક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે અથવા વાયરસના RNA કાઢવામાં આવે છે. આ વાયરસ શરીરમાં હળવુ ઈન્ફેક્સન લગાવે છે, પછી તે જાતે જ મટી થઈ જાય છે એટલે કે, તે શરીરમાં રસીની જેમ કામ કરે છે અને કુદરતી રીતે એન્ટિબોડીઝ બનાવે છે.

ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે

ડો. ગુપ્તાએ એમ પણ જણાવ્યું કે, ઓમિક્રોનથી બચવું જોઈએ કારણ કે, તે પોલીમોર્ફિક વાયરસ છે, પરંતુ ક્યારે એ ઓમિક્રોન માંથી પોમિક્રોન અથવા ક્રોમિક્રોન બની જાય અને તમને મુશ્કેલી આપવાનું શરૂ કરે તે કહી શકાય નહીં કારણ કે, તેના વિવિધ વેરિઅન્ટની અલગ અલગ અસરો હોઈ શકે છે. આ કિસ્સામાં સાવચેતી રાખવી જરૂરી છે, તેથી હંમેશા કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વેક્સિન લેવી જ જોઈએ.

ઓમિક્રોન કુદરતી સ્વરૂપમાં પણ કામ કરશે

સામાન્ય રીતે શરદી, ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ સાથે તાવ કોરોના વાયરસના લક્ષણોમાં જોવા મળે છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટમાં આ વાયરસ ફેફસામાં નથી પહોંચી રહ્યો, તે શ્વસન માર્ગમાં એટલે કે બ્રોન્કાઇટિસમાં જઈને અટકી જાય છે, જેથી દર્દીઓને વેન્ટિલેટર અથવા ઓક્સિજનની જરૂર પડતી નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે, જો ઓમિક્રોન આ રીતે હળવા સંક્રમણનું કારણ બને છે, તો તે કુદરતી સ્વરૂપમાં પણ કામ કરશે, જે કામ વેક્સિન કરે છે, તે જ કાર્ય આ વાયરસ પણ શરીરમાં જઈને કરશે.

આ પણ વાંચો:

Corona Cases in India : ભારતમાં કોરોનાના 58,097 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,135 કેસ નોંધાયા

Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.