ETV Bharat / bharat

ઈટાવાથી અમદાવાદ આવી રહેલી બસ પલટી, 2ના મોત, 24થી વધુ ઘાયલ

author img

By

Published : Aug 23, 2020, 10:13 AM IST

Updated : Aug 23, 2020, 12:26 PM IST

ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

gujarat
અમદાવાદ

મધ્યપ્રદેશ: ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસે પલટી મારતા 2ના મોત

ઉત્તર પ્રદેશના ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસમાં (UP 83 BT 0141) ક્ષમતાથી વધુ પ્રવાસીઓ સવાર હતા. આ બસ અંદાજે વહેલી સવારે 3:00 કલાકે ઉજ્જૈનના કાયથા પહોંચતા પલટી મારી ગઈ હતી. વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી પ્રવાસી ભરેલી બસે પલટી મારી હતી.

આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જો કે, ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે જેસીબીની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી.

મધ્યપ્રદેશ: ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસે પલટી મારતા 2ના મોત

ઉત્તર પ્રદેશના ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસમાં (UP 83 BT 0141) ક્ષમતાથી વધુ પ્રવાસીઓ સવાર હતા. આ બસ અંદાજે વહેલી સવારે 3:00 કલાકે ઉજ્જૈનના કાયથા પહોંચતા પલટી મારી ગઈ હતી. વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી પ્રવાસી ભરેલી બસે પલટી મારી હતી.

આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જો કે, ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે જેસીબીની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી.

Last Updated : Aug 23, 2020, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.