બિહાર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શહીદ થયેલા બિહારના જવાનનો પાર્થિવ દેહ મંગળવારે પટના એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.

જ્યાં બિહાર સરકારના વિજ્ઞાન અને પ્રાઔદ્યોગિક પ્રધાન જય કુમાર સિંહ, શિક્ષણ પ્રધાન કૃષ્ણ નંદન વર્મા, કૃષિ પ્રધાન પ્રેમ કુમાર, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા. હાજર નેતાઓએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

બિહાર સરકારના પ્રધાન જય કુમાર સિંહે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના શહીદ થયેલા જવાન માટે અમને ગર્વ છે. અમે શરૂઆતથી જ ભારત સરકાર પાસે માગ કરતા આવ્યા છીએ કે, જેટલા પણ સરહદ પર મિલિટન્ટ છે, તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે.

આ સાથે જય કુમારે માગ કરી હતી કે, શહીદોના પરિવારોને રોજગારી પણ આપવામાં આવે.