ETV Bharat / bharat

જયપુરના આ મહોલ્લામાં હજુ પણ તાજી છે સુશાંતની યાદો!

ફિલ્મ 'છીછોરે'માં આત્મહત્યાનો પ્રયાસ કરનારા પોતાના બાળકને જિંંદગી જીવતા શીખવાડતા પિતાની ભૂમિકા ભજવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ખુદ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા તેના ચાહકો સહિત સમગ્ર બોલીવૂડ આઘાતમાં છે. ત્યારે જયપુરમાં તેની ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'ના શૂટિંગ વખતેની અભિનેતા સાથે વિતાવેલી ખાસ પળો જયપુરવાસીઓ યાદ કરી રહ્યા છે.

author img

By

Published : Jun 14, 2020, 9:31 PM IST

જયપુરના આ મોહલ્લામાં હજી પણ તાજી છે સુશાંતની યાદો!

રાજસ્થાન: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેના ટૂંકાગાળાના ફિલ્મી સફરમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'માં તેણે જયપુરના યુવાનની ભૂમિકા ભજવી હતી જેને માટે તે જયપુરના પરકોટા વિસ્તારમાં રહ્યો હતો. તે જે ઘરમાં રહ્યો હતો તેની આજુબાજુ રહેતા લોકોએ શૂટિંગ સમયની પળો તેમજ સુશાંતના વ્યક્તિત્વ સાથે જોડાયેલી વાતો યાદ કરી હતી.

7 વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મમાં સુશાંત સાથે પરિણીતી ચોપરા અને વાણી કપૂરે જોડી જમાવી હતી. ફિલ્મનું 90 ટકા શૂટિંગ જયપુરની ગલી-મહોલ્લામાં થયું હતું. જયપુરની ગોવિંદ દેવ કોલોનીના એક ઘરમાં સુશાંતના ઘરનો સેટ અપ ગોઠવાયો હતો. જ્યાં 12 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.

આ કોલોનીના રહેવાસીઓએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુશાંતનો સ્વભાવ ખૂબ જ સારો હતો. એક બોલીવૂડ સ્ટાર હોવા છતાં કોલોનીમાં રહેતી દરેક વ્યક્તિને તે મળતો હતો. મહિલા પ્રશંસકો સાથે પણ સન્માનપૂર્વક વાત કરતો. તેણે ક્યારેય કોઈને ઑટોગ્રાફ માટે ના પાડી ન હતી. તે રહેવાસીઓના ઘરે જઈ દાળભાત પણ ખાઈ લેતો. તો ક્યારેક બાળકો સાથે પતંગબાજી અને કેરમ પણ રમતો હતો.

સુશાંતની ફેન ફોલોઈંગના પગલે સમગ્ર મોહલ્લામાં દિવાળી જેવું વાતાવરણ રહેતું હતું. આજે ભલે સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ તેની યાદો કાયમ જયપુર સાથે જોડાયેલી રહેશે.

રાજસ્થાન: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેના ટૂંકાગાળાના ફિલ્મી સફરમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'માં તેણે જયપુરના યુવાનની ભૂમિકા ભજવી હતી જેને માટે તે જયપુરના પરકોટા વિસ્તારમાં રહ્યો હતો. તે જે ઘરમાં રહ્યો હતો તેની આજુબાજુ રહેતા લોકોએ શૂટિંગ સમયની પળો તેમજ સુશાંતના વ્યક્તિત્વ સાથે જોડાયેલી વાતો યાદ કરી હતી.

7 વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મમાં સુશાંત સાથે પરિણીતી ચોપરા અને વાણી કપૂરે જોડી જમાવી હતી. ફિલ્મનું 90 ટકા શૂટિંગ જયપુરની ગલી-મહોલ્લામાં થયું હતું. જયપુરની ગોવિંદ દેવ કોલોનીના એક ઘરમાં સુશાંતના ઘરનો સેટ અપ ગોઠવાયો હતો. જ્યાં 12 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.

આ કોલોનીના રહેવાસીઓએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુશાંતનો સ્વભાવ ખૂબ જ સારો હતો. એક બોલીવૂડ સ્ટાર હોવા છતાં કોલોનીમાં રહેતી દરેક વ્યક્તિને તે મળતો હતો. મહિલા પ્રશંસકો સાથે પણ સન્માનપૂર્વક વાત કરતો. તેણે ક્યારેય કોઈને ઑટોગ્રાફ માટે ના પાડી ન હતી. તે રહેવાસીઓના ઘરે જઈ દાળભાત પણ ખાઈ લેતો. તો ક્યારેક બાળકો સાથે પતંગબાજી અને કેરમ પણ રમતો હતો.

સુશાંતની ફેન ફોલોઈંગના પગલે સમગ્ર મોહલ્લામાં દિવાળી જેવું વાતાવરણ રહેતું હતું. આજે ભલે સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ તેની યાદો કાયમ જયપુર સાથે જોડાયેલી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.