ETV Bharat / bharat

માહિતી વગર દવાઓનું સેવન પડ્યું મોઘું: પુત્રનું મોત, પિતાની હાલત ગંભીર

author img

By

Published : May 24, 2020, 3:54 PM IST

કોરોના વાઈરસ સામે લડવા માટે લોકો આડેધડ આયુર્વેદિક દવાઓનું સેવન કરી રહ્યા છે. કર્ણાટકમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આયુર્વેદિક દવાનું સેવન કર્યા બાદ એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેના પિતાની હાલત ગંભીર છે.

માહિતી વગર દવાઓનું સેવન પડ્યું મોઘું
માહિતી વગર દવાઓનું સેવન પડ્યું મોઘું

કર્ણાટક: અતિ સર્વત્ર વર્જયતે કહેવત સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાઈરસને રોકવા માટે આડેધડ આયુર્વેદિક દવા પીધા પછી પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ પિતાની હાલત ગંભીર છે. આ ઘટના સીરસી તાલુકાના રમણબેલ ગામમાં બની હતી.

રમણબેલ ગામના ફ્રાન્સિસનું આયુર્વેદિક દવા પીધા બાદ અવસાન થયું હતું. જ્યારે તેના એન્થોની જેમની ઉંમર 70 વર્ષની છે. તેમને પણ આ આયુર્વેદિક દવા પીધી હતી. હાલ તેમની હાલત પણ ગંભીર છે.

પિતા-પુત્રએ કેટલીક આયુર્વેદિક દવા પીધી હતી. પરંતુ આ દવાની આડઅસરથી પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એન્થનીને ગંભીર હાલતમાં સિરસીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કર્ણાટક: અતિ સર્વત્ર વર્જયતે કહેવત સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાઈરસને રોકવા માટે આડેધડ આયુર્વેદિક દવા પીધા પછી પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ પિતાની હાલત ગંભીર છે. આ ઘટના સીરસી તાલુકાના રમણબેલ ગામમાં બની હતી.

રમણબેલ ગામના ફ્રાન્સિસનું આયુર્વેદિક દવા પીધા બાદ અવસાન થયું હતું. જ્યારે તેના એન્થોની જેમની ઉંમર 70 વર્ષની છે. તેમને પણ આ આયુર્વેદિક દવા પીધી હતી. હાલ તેમની હાલત પણ ગંભીર છે.

પિતા-પુત્રએ કેટલીક આયુર્વેદિક દવા પીધી હતી. પરંતુ આ દવાની આડઅસરથી પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એન્થનીને ગંભીર હાલતમાં સિરસીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.