ETV Bharat / bharat

કોરોના કટોકટી: મીડિયાકર્મીઓની છટણી પર સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટીસ

author img

By

Published : Apr 27, 2020, 6:59 PM IST

પત્રકારોની કેટલીક સંસ્થાઓએ તમામ મીડિયા સંસ્થાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે. જેમણે કોરોના રોગચાળા વચ્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના બહાને કર્મચારીઓને છૂટા કર્યા છે. આ અરજી નેશનલ અલાયન્સ જર્નાલિસ્ટ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ અને બૃહધ મુંબઈ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે.

SC seeks Centre's response on media layoffs, salary cuts
મીડિયાકર્મીઓની છટણી પર સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટીસ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે મીડિયા હાઉસ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જેમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અથવા કોરોના વાઇરસના લોકડાઉન દરમિયાન પગાર ચૂકવ્યો નથી. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા પછી વધુ સુનાવણીની ખાતરી આપતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. આ અરજી નેશનલ અલાયન્સ જર્નાલિસ્ટ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ અને બૃહધ મુંબઈ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે.

આ જનહિતની અરજીમાં જે મીડિયા હાઉસે કેટલાક મીડિયા કર્મીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે, પગારમાં ઘટાડો કર્યો છે કે પગાર વિના રજા આપી દીધી છે. એવા મુદ્દા સામેલ છે. આ અરજીમાં નોકરીમાંથી કાંઢી મુકવાના લેટરને સ્થગિત કરવા અને પગારની ચુકવણી કરવાની માંગ કરી છે.

આ અંગે પત્રકાર સંગઠનોએ કેન્દ્ર, ભારતીય અખબાર સોસાયટી અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને એમ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે મીડિયા હાઉસ કોરોના મહામારીને બહાને દુરઉપયોગ ન કરે અને છટણી કરનાર મીડિયા હાઉસ સામે કાર્યવાહી કરે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે મીડિયા હાઉસ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જેમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અથવા કોરોના વાઇરસના લોકડાઉન દરમિયાન પગાર ચૂકવ્યો નથી. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા પછી વધુ સુનાવણીની ખાતરી આપતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. આ અરજી નેશનલ અલાયન્સ જર્નાલિસ્ટ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ અને બૃહધ મુંબઈ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે.

આ જનહિતની અરજીમાં જે મીડિયા હાઉસે કેટલાક મીડિયા કર્મીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે, પગારમાં ઘટાડો કર્યો છે કે પગાર વિના રજા આપી દીધી છે. એવા મુદ્દા સામેલ છે. આ અરજીમાં નોકરીમાંથી કાંઢી મુકવાના લેટરને સ્થગિત કરવા અને પગારની ચુકવણી કરવાની માંગ કરી છે.

આ અંગે પત્રકાર સંગઠનોએ કેન્દ્ર, ભારતીય અખબાર સોસાયટી અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને એમ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે મીડિયા હાઉસ કોરોના મહામારીને બહાને દુરઉપયોગ ન કરે અને છટણી કરનાર મીડિયા હાઉસ સામે કાર્યવાહી કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.