ઓરૈયા: ઉત્તર પ્રદેશના ઓરૈયામાં માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ અકસ્માત રાજ્યના ઔરૈયા જિલ્લામાં બન્યો હતો. બધા મજૂરો ફરીદાબાદથી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ રાહત-બચાવ કાર્ય શરૂ છે.
ગંભીર રીતે ઘાયલ લોકોને સૈફઇ રિફર કરાયા છે. અકસ્માત બાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ છે. પોલીસ અકસ્માતમાં મત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઓરૈયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક સિંહના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 કામદારોનાં મોત થયા છે અને કુલ 35 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15 લોકોને સેફઇ રિફર કરાયા છે. 20 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.