ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ: ઓરૈયામાં મજૂરોને લઈ જઈ રહેલી ટ્રકનો અકસ્માત, 24 લોકોના મોત

author img

By

Published : May 16, 2020, 10:38 AM IST

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.

ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત
ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત

ઓરૈયા: ઉત્તર પ્રદેશના ઓરૈયામાં માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ અકસ્માત રાજ્યના ઔરૈયા જિલ્લામાં બન્યો હતો. બધા મજૂરો ફરીદાબાદથી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ રાહત-બચાવ કાર્ય શરૂ છે.

ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત
ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત

ગંભીર રીતે ઘાયલ લોકોને સૈફઇ રિફર કરાયા છે. અકસ્માત બાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ છે. પોલીસ અકસ્માતમાં મત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓરૈયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક સિંહના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 કામદારોનાં મોત થયા છે અને કુલ 35 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15 લોકોને સેફઇ રિફર કરાયા છે. 20 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઓરૈયા: ઉત્તર પ્રદેશના ઓરૈયામાં માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ અકસ્માત રાજ્યના ઔરૈયા જિલ્લામાં બન્યો હતો. બધા મજૂરો ફરીદાબાદથી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ રાહત-બચાવ કાર્ય શરૂ છે.

ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત
ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, 24 લોકોના મોત

ગંભીર રીતે ઘાયલ લોકોને સૈફઇ રિફર કરાયા છે. અકસ્માત બાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ છે. પોલીસ અકસ્માતમાં મત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓરૈયા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક સિંહના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 કામદારોનાં મોત થયા છે અને કુલ 35 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15 લોકોને સેફઇ રિફર કરાયા છે. 20 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.