ETV Bharat / bharat

કોવિડ 19ઃ જમ્મુ-કાશ્મીરમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પર પ્રતિબંધ

author img

By

Published : Apr 16, 2020, 9:19 AM IST

મુખ્ય સચિવ, ગૃહ, શાલીન કાબરાએ બુધવારે એક આદેશ જાહેર કર્યો હતો, આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરવાના હેતુથી 27 એપ્રિલ સુધી જમ્મુના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સ્થગિત રહેશે.

J&K
J&K

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં 27 એપ્રિલ સુધી હાઇ સ્પીડ ઇન્ટરનેટ સ્થગિત કરાયું હોવાનું આચાર્ય સચિવ, ગૃહ, શાલીન કાબરાએ બુધવારે જણાવ્યું હતું.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ પ્રતિબંધિત આતંકી સંગઠનોના આતંકીઓના ફોટોગ્રાફ્સના પ્રસાર માટે અને ટોળાને એકઠા કરવા માટે થાય છે.

હાલમાં જ 500થી વધુ ગામલોકો આતંકવાદીના અંતિમ સંસ્કારમાં જોડાવા માટે એકઠા થયા હતા. આમ, લોકો લૉકડાઉનના નિયમનો ભંગ કરીને પોતાનો અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો હાલના ઘુસણખોરીના પ્રયાસો દ્વારા હાલની પરિસ્થિતિનો લાભ લેવા કોઈ કસર છોડતા નથી, જેના કારણે સુરક્ષા દળોની જાનહાની પણ થઈ હતી.

આદેશમાં જણાવ્યાનુસાર, "આતંકવાદીઓ દ્વારા નાગરિક હત્યા, સુરક્ષા દળો પર હુમલાઓ, હથિયારો અને દારૂગોળોની વસૂલાત, વીડિયો અપલોડ કરીને આતંકવાદનો પ્રચાર કરવાનો પ્રયાસ, સરહદ પારથી ઘૂસણખોરીનું સંકલન, નવા આતંકવાદી સંગઠનો શરૂ કરવાના ઘણા દાખલા જોવા મળ્યા છે."

નોંધનીય છે કે, 5 ઓગસ્ટે કલમ 370 રદ કરવાના સમયે જે એજન્ડામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સમગ્ર યુટીમાં તબક્કાવાર રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જો કે, હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં 27 એપ્રિલ સુધી હાઇ સ્પીડ ઇન્ટરનેટ સ્થગિત કરાયું હોવાનું આચાર્ય સચિવ, ગૃહ, શાલીન કાબરાએ બુધવારે જણાવ્યું હતું.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ પ્રતિબંધિત આતંકી સંગઠનોના આતંકીઓના ફોટોગ્રાફ્સના પ્રસાર માટે અને ટોળાને એકઠા કરવા માટે થાય છે.

હાલમાં જ 500થી વધુ ગામલોકો આતંકવાદીના અંતિમ સંસ્કારમાં જોડાવા માટે એકઠા થયા હતા. આમ, લોકો લૉકડાઉનના નિયમનો ભંગ કરીને પોતાનો અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો હાલના ઘુસણખોરીના પ્રયાસો દ્વારા હાલની પરિસ્થિતિનો લાભ લેવા કોઈ કસર છોડતા નથી, જેના કારણે સુરક્ષા દળોની જાનહાની પણ થઈ હતી.

આદેશમાં જણાવ્યાનુસાર, "આતંકવાદીઓ દ્વારા નાગરિક હત્યા, સુરક્ષા દળો પર હુમલાઓ, હથિયારો અને દારૂગોળોની વસૂલાત, વીડિયો અપલોડ કરીને આતંકવાદનો પ્રચાર કરવાનો પ્રયાસ, સરહદ પારથી ઘૂસણખોરીનું સંકલન, નવા આતંકવાદી સંગઠનો શરૂ કરવાના ઘણા દાખલા જોવા મળ્યા છે."

નોંધનીય છે કે, 5 ઓગસ્ટે કલમ 370 રદ કરવાના સમયે જે એજન્ડામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સમગ્ર યુટીમાં તબક્કાવાર રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જો કે, હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.