નવી દિલ્હીઃ બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયાં છે. 1990ના દશકમાં શરૂ થયેલા રામ મંદિરના આંદોલનના સૂત્રધારોમાં સામેલ રહેલા ભાજપના નેતા અડવાણીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજન વર્ષો જૂનું સપનું સાકાર થઇ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. અડવાણીએ કહ્યું કે, 'મને એ વિશ્વાસ છે કે, રામ મંદિર બધા માટે ન્યાયની સાથે એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યા રાષ્ટ્રના રૂપે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે, આ પહેલા કોઇની અપેક્ષા અથવા તિરસ્કાર હશે નહીં. જેનાથી આપણે વાસ્તવમાં રામ રાજ્યમાં સુશાસનનું પ્રતિક બની શકે.'
અડવાણીએ કહ્યું કે, ક્યારેક ક્યારેક મહત્વપૂર્ણ સપનાઓને પુરા કરવામાં લાંબો સમય લાગે છે, પરંતુ જ્યારે અંતમાં તે પૂર્ણ થાય છે, તે ભાવનામાં એક સંતોષની ભાવના હોય છે. તેમણે કહ્યું કે, એવું જ એક સપનું જે મારા દિલની નજીક હતું તે પૂર્ણ થવા જઇ રહ્યું છે. અડવાણીએ કહ્યું કે, વડાપ્રધાન રામ મંદિરનો પાયો નાખશે. જે ન માત્ર મારા માટે પરંતુ બધા ભારતીયો માટે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.
રામ મંદિર આંદોલનમાં અડવાણીની ભૂમિકા
- 1990માં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર પોતાની પાર્ટીનું વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી હતી. 1984ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીએ લોકસભામાં માત્ર બે સીટો જીતી હતી. 1989 સુધી પાર્ટીએ 80થી વધુ લોકસભા સીટ જીતી હતી. લાલકૃષ્ણ અડવાણી 1989માં પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. જે બાદ બે ઘટનાઓ થઇ. એક 6 ડિસેમ્બર, 1992નો વિવાદિત ઢાંચાનો વિધ્વંસ અને સત્તામાં ભાજપનું આવવું.
- અડવાણીએ 25 સપ્ટેમ્બર, 1990ના ગુજરાતના સોમનાથથી રથયાત્રા શરૂ કરી, જેને વિભિન્ન રાજ્યોથી લઇને 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચાડવામાં આવી હતી. અડવાણીએ તે કારસેવામાં સામેલ થવાના હતાં. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 100નો આંકડો પાર કર્યો. 6 ડિસેમ્બર 1992માં જ્યારે વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો, તો અડવાણી અને અન્ય ભાજપના નેતાઓની સાથે કારસેવકોની ભીડમાં ભાષણ આપતા અયોધ્યામાં હાજર હતા.
- 1996માં ભાજપ લોકસભામાં એકલી સૌથી મોટી પાર્ટ બનીને ઉભરી અને 13 દિવસ સુધી કેન્દ્રમાં અલ્પકાળની સરકાર બની. 1998માં અડવાણીના ગૃહ પ્રધાનના રૂપે પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ભાગ રૂપે ફરીથી સતામાં આવી હતી. જે બાદમાં તેમને ઉપ વડાપ્રધાનના રૂપે પદ સંભાળ્યું હતું, પરંતુ ભાજપ 2004 અને 2009ની સામાન્ય ચૂંટણીમાં હારી ગઇ હતી. અડવાણીને બંને દિવસોમાં તેના PM ઉમેદવારના રૂપે પ્રોજેક્ટ કર્યો છે. જેવી જ રીતે નરેન્દ્ર મોદી પ્રમુખતાથી આગળ વધ્યા અડવાણીએ પોતે પાર્ટીમાંથી બહાર નીકળી ગયા હતા.