ETV Bharat / bharat

તમિલનાડુના વિકાસ માટે એક મંચ પર આવી શકે છે રજનીકાંત અને કમલ હાસન

ચેન્નઈઃ રજનીકાંત અને કમલ હાસને સિલ્વર સ્ક્રીન ઉપર ઘણા કિરદાર નિભાવ્યા છે. પરંતુ તમિલનાડુના વિકાસ માટે આ બંને દિગ્ગજ સિતારાઓ હાથ મિલાવશે. આ સંકેત બંનેના નિવેદનો પરથી મળી રહ્યા છે.

author img

By

Published : Nov 20, 2019, 8:46 AM IST

તમિલનાડુના વિકાસ માટે એક મંચ પર આવી શકે છે રજનીકાંત અને કમલ હાસન

કમલ હાસને સુપરસ્ટાર રજનીકાંતની કેટલીક વાતોનું સમર્થન કર્યુ હતું. જેમાં તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીને ઉચ્ચ પદ મળે એની સામે અસંતોષ વ્યક્ત કરાયો હતો. હાસને તેનું સમર્થન કરતા કહ્યુ હતું કે આ ટીકા નહીં પરંતુ સત્ય હકીકત છે.

કમલ હાસને ઉમેર્યુ હતું કે તેઓ તમિલનાડુની ભલાઈ માટે રજનીકાંત સાથે હાથ મિલાવી શકે છે. રજનીકાંતે પણ આ માટે તૈયારી બતાવી હતી. રજનીકાંતે કહ્યુ હતું કે, ' જો એવી સ્થિતિ પેદા થશે તો ચોક્કસપણે મારે અને કમલે એક મંચ પર આવવું પડશે.'

વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણીમાં લડવા માટે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.

રજનીકાંતે આ પત્રકાર પરિષદમાં પણ જણાવ્યુ હતું કે, પલાનીસ્વામીએ મુખ્યપ્રધાન બનવા અંગે સ્વપ્નમાં પણ વિચાર્યુ નહોતું. તેમણએ અન્નાદ્રમુકના નેતાના મુખ્યપ્રધાન બનવા પર આશ્ચર્ય વ્યકત કરી તેને ચમત્કાર ગણાવ્યો હતો, આ નિવેદનને સત્તારૂઢ પાર્ટીએ વખોડી કાઢ્યો હતો.

બીજી બાજુ અન્નાદ્રમુકે પલટવાર કરતાં કહ્યુ હતું કે, પલાનીસ્વામી એમ જ મુખ્યપ્રધાન નથી બની ગયા. પરંતુ સખત મહેનતથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે.

કમલ હાસને સુપરસ્ટાર રજનીકાંતની કેટલીક વાતોનું સમર્થન કર્યુ હતું. જેમાં તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીને ઉચ્ચ પદ મળે એની સામે અસંતોષ વ્યક્ત કરાયો હતો. હાસને તેનું સમર્થન કરતા કહ્યુ હતું કે આ ટીકા નહીં પરંતુ સત્ય હકીકત છે.

કમલ હાસને ઉમેર્યુ હતું કે તેઓ તમિલનાડુની ભલાઈ માટે રજનીકાંત સાથે હાથ મિલાવી શકે છે. રજનીકાંતે પણ આ માટે તૈયારી બતાવી હતી. રજનીકાંતે કહ્યુ હતું કે, ' જો એવી સ્થિતિ પેદા થશે તો ચોક્કસપણે મારે અને કમલે એક મંચ પર આવવું પડશે.'

વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણીમાં લડવા માટે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી હતી. આ દરમિયાન પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.

રજનીકાંતે આ પત્રકાર પરિષદમાં પણ જણાવ્યુ હતું કે, પલાનીસ્વામીએ મુખ્યપ્રધાન બનવા અંગે સ્વપ્નમાં પણ વિચાર્યુ નહોતું. તેમણએ અન્નાદ્રમુકના નેતાના મુખ્યપ્રધાન બનવા પર આશ્ચર્ય વ્યકત કરી તેને ચમત્કાર ગણાવ્યો હતો, આ નિવેદનને સત્તારૂઢ પાર્ટીએ વખોડી કાઢ્યો હતો.

બીજી બાજુ અન્નાદ્રમુકે પલટવાર કરતાં કહ્યુ હતું કે, પલાનીસ્વામી એમ જ મુખ્યપ્રધાન નથી બની ગયા. પરંતુ સખત મહેનતથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.